________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૮૯
અધ્યાપનની દેખરેખ ન જાળવવી, શિક્ષિત કરાવીને યોગ્ય લાયક બનાવવાની કોશિશ ન કરવી (૪૩) સાધુઓ દ્વારા સ્ત્રીઓનો વધારે સંપર્ક રાખવો કે રાખવા દેવો તેમજ સાધ્વીઓ દ્વારા પુરુષોનો સંપર્ક રાખવો કે રાખવા દેવો (૪૪) બહુમૂલ્ય ઉપકરણ, માળાઓ વગેરે રાખવી, ગળામાં પહેરવી (૪૫) ભાષાનો કોઈ વિવેક ન રાખવો, યોગ્યાયોગ્યનો વિચાર ન કરવો (૪૬) સામેથી લાવેલું કે ટીફીનમાં આણેલો આહાર લેવો (૪૭) ઉતાવળે ચાલવું (૪૮) વાતો કરતાં-કરતાં ચાલવું (૪૯) યંત્ર, મંત્ર, તંત્ર, ચિકિત્સા વગેરે પ્રવૃત્તિઓ કરવી, કરાવવી તથા શુભ મુહૂર્ત વગેરે ગૃહસ્થોને જણાવવા (૫૦) દીક્ષા, વય, શ્રુતજ્ઞાન, ગંભીરતા વિચક્ષણતા વગેરે યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના જ મુખી બનીને અથવા એકલા થઈને વિહાર કરવો કે કરવા દેવો (૫૧) ચિંતન જાગૃતિયુક્ત પ્રતિક્રમણ ન કરવું બબ્બે વાતો કરવી કે ઊંઘવું (પર) ચા, દૂધ, મેવા, ફળો વગેરે માટે નિમંત્રણ પૂર્વક અથવા સંકેતપૂર્વક જાવું (૫૩) રાત્રિ વ્યાખ્યાન માટે કે શૌચ નિવૃત્તિ માટે ઘણું દૂર જાવું (૫૪) પ્રકાશન કાર્યમાં ભાગ લેવો, નિબંધ છાપવા આપવો, પુસ્તકો છપાવવા અથવા છપાવવા માટે પુસ્તકો લખવા વગેરે. જિગ્નેશ – શિથિલાચારની સાચી અને સચોટ પરિભાષા કઈ છે? જ્ઞાનચંદ – (૧) આગમ વિપરીત, ભગવદાજ્ઞા વિપરીત પ્રવૃત્તિઓનું પરંપરાના રૂપમાં આચરણ કરવું, તેનું પ્રાયશ્ચિત્ત ન લેવું અથવા પ્રાયશ્ચિત્ત લેવાનો સંકલ્પ પણ ન રાખવો, અકારણ અથવા સામાન્ય કારણોસર આગમ વિપરીત પ્રવૃત્તિ કરતાં રહેવી, આ બધા શિથિલાચાર છે, આવી વૃત્તિઓવાળાને શિથિલાચારી જાણવા.
(૨) સકારણ પરિસ્થિતિવશ હાનિ લાભનો વિવેક રાખીને આગમ વિપરીત નાનું કે મોટું આચરણ કરવું, તેને છોડવાનો કે પ્રાયશ્ચિત્ત લેવાનો સંકલ્પ કરવો, તે પ્રવૃત્તિને ટેવ કે પરંપરારૂપ ન બનાવવી અને તેને પોતાનો દોષ છે તેમ દોષ રૂપ જાણવું તથા અંતરમનમાં પણ દોષ સમજી પ્રાયશ્ચિત્ત લેવું તે શિથિલાચાર નથી. આવી વૃત્તિવાળાને શિથિલાચારી ન કહી શકાય.
TIT ©© સંજ્યા-નિયંઠા વાત ©© ID જિગ્નેશ – નિયંઠા અવસ્થાની કે સંયમ અવસ્થાની શી સીમા રહી છે? જ્ઞાનચંદ – આગમમાં નિયંઠારૂપ સંયમાવસ્થાના ૬ પ્રકાર બતાવ્યા છે જેમાં અત્યારે ત્રણ નિયંઠા હોય છે. જેમ કે– (૧) બકુશ (ર) પ્રતિસેવના (૩) કષાય કુશલ.
(૧) શરીર ઉપકરણ સંબંધી પ્રમાદ વૃત્તિઓ તથા સંયમ સ્વાધ્યાય વગેરે યોગોમાં જાગૃતિની કમીને કારણે થતાં આચરણો સિવાય સંયમની મૂળગુણ ઉત્તરગુણની આગમોક્ત બધી પ્રવૃત્તિઓનું યથાવત્ પાલન કરનારા તથા સાચી પ્રરૂપણા કરવાવાળા “બકુશ નિયંઠા’ની સીમામાં ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org