________________
૮૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત |
શાસન અવનતિમાં ચાલશે અર્થાત્ અસંયતિની પૂજા થશે તેવું કથન છે. તે અવધિમાં ધર્મના નામથી હિંસા, આડંબર વધુને વધુ થતાં ગયાં અને જૈન સાધુઓ પણ પરિગ્રહ વૃત્તિવાળા તથા આગમ વિપરીત આચરણવાળા બની ગયા હતા અનેક પ્રકારની કુરીતિઓ, દુષ્ટ અને અન્યાયપૂર્ણ પ્રવૃત્તિઓ પણ જૈન યતિ વર્ગમાં પ્રવિષ્ટ થઈ ગઈ હતી. આવા ૨૦૦૦ વર્ષના સમય સંયોગમાં લોકશાહે આગમ સાપેક્ષ શુદ્ધ અહિંસા સંયમ પ્રધાન ધર્મ તથા આડંબર, આરંભ-સમારંભ રહિત ધર્મનો ઉપદેશ આપ્યો તથા ખોટા હિંસા-પરિગ્રહમૂલક રિવાજોનો વિરોધ કરી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓને પુનઃ શુદ્ધ ધર્મના માર્ગમાં પ્રેરિત કર્યા. આ પ્રકારે વીર નિર્વાણના ર000 વર્ષ પછી અને આજથી ૫૦૦ વર્ષ પૂર્વ આ સ્થાનકવાસી ધર્મ તરીકે ભગવાન મહાવીર ઉપદિષ્ટ ધર્મ ચેતનવંતો થયો. વાસ્તવમાં મધ્યકાળમાં વિકૃત બનેલાં વીતરાગ ધર્મનો પુનરુદ્ધાર માત્ર થયો છે. આગમાનુસાર શુદ્ધ ધર્મનો પુનઃ જોર શોરથી પ્રચાર થયો છે, તે અપેક્ષાએ આ સ્થાનકવાસી ધર્મ પોતાના સિદ્ધાંત અને પ્રરૂપણ તથા લક્ષ્યની અપેક્ષાએ તો મૌલિક વીતરાગ ધર્મ જ છે, જે પ્રારંભથી તીર્થકરના શાસનનો જ ધર્મ છે. વચ્ચે આવી પડેલી વિકૃતિઓનું ભાન (જ્ઞાન) કરાવીને તેને દૂર કરવાના પુનરુદ્ધારથી આ ધર્મને સ્થાનકવાસી નામ સાંપડ્યું છે, જે એ જ નામે ઓળખાય છે. જિગ્નેશ :- સ્થાનકવાસીઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જ્ઞાનચંદ – મધ્યકાળમાં પ્રવર્તતી આગમ વિપરીત વિકૃતિનો ત્યાગ કરવો, શાસ્ત્રાજ્ઞા અનુસાર જ સંયમના મહાવ્રતો, સમિતિ, ગુપ્તિ વગેરે નિયમોનું યથાર્થ પાલન કરવું વગેરે ઉદ્દેશ્ય મુખ્યરૂપે છે. સાથે સાથે, મંદિર, મૂર્તિ બનાવવાની પ્રેરણા ન કરવી, મૂર્તિપૂજાને ધર્મનું અંગ ન માનવું, ધર્મના નામે આડંબર આરંભ સમારંભની પ્રેરણા ન દેવી તથા મોઢા પર મુહપત્તિ બાંધવી, આગમ વિપરીત કોઈ પ્રરૂપણા ન કરવી, આગમ વિપરીત કોઈપણ ઉપકરણ રિવાજ રૂપે ન રાખવા, ધર્મના નામથી દ્રવ્ય પૂજાના ચક્કરમાં ન પડવું, શાસ્ત્રથી પણ વધુ કે શાસ્ત્રની સમકક્ષ ગ્રંથોને મહત્વ ન આપવું, મૂર્તિ પૂજાના નામથી પૃથ્વી, પાણી, અગ્નિ, ફળ-ફૂલના એકેદ્રિય જીવોનું પાપ ન વધારવું, તીર્થયાત્રા માટે ન ફરવું પરંતુ ફક્ત સંયમ પાલન કે ધર્મનો પ્રચાર કરવાને માટે યોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરવું, ચાલતી વખતે પૂજવા માટે યોગ્ય એવું લાંબુ રજોહરણ રાખવું.
આ બધા સિદ્ધાંતો તેરાપંથી અને સ્થાનકવાસીઓમાં એક સરખા જ છે. દેરાવાસીઓ પણ ઉક્ત કેટલાક સિદ્ધાંતોને સાચા માને છે પરંતુ આચરણમાં ગતાનુગતિક પરંપરાવાળા જ બની રહે છે.
સ્થાનકવાસી ધર્મરૂપ વિતરાગ ધર્મનો પુનરુદ્ધાર કરનારા લોકશાહના જીવન પરિચય વિશે આ પુસ્તકમાં જ આગળ વિવરણ આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org