SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત વાતો પણ વિવાદ અને વિરોધમાં પડી જતી હોય છે. આવા નજીવા મતભેદોને કારણે આ તેરાપંથ સમુદાય સ્થાનકવાસીથી પોતાને અલગ માનવા તથા કહેવડાવવા લાગ્યો છે. વાસ્તવમાં, આગમ તથા મૌલિકતા એક જ હોવાથી સ્થાનકવાસીનો જ એક સ્વતંત્ર સમુદાય વિશેષ છે. અલગતા હોવાથી હીનાધિક સમાચારી ભેદ રહે તે સ્વાભાવિક જ છે. G[ દયા દાન વાર્તા છ© > જિગ્નેશ – એવું કહેવાય છે ને કે તેરાપંથી દયાદાનને નથી માનતા? જ્ઞાનચંદ – આ તો આગ્રહપૂર્વક કહેલી વાત છે જે શબ્દો સુધી સિમીત છે. બાકી તેમના ભોજન કે પાણીમાં કોઈ માખી વગેરે પડે તો તેઓ તરફડતી માખીને તત્કાળકાઢીને તેના જીવની રક્ષા તો કરે જ છે. ગુરુથી જુદા થયા પછી પણ તે સાધુઓ આવું કરતા હતા તથા ક્યારેક કોઈ સાધુ-સાધ્વીના માથામાં જૂ પડી જાય તો તેને પણ તેઓ પોતાનું રક્ત પીવરાવીને રક્તદાન તો કરતા જ હતા. દયા અને અનુકંપા તો સમકિતના લક્ષણો છે, તે કોઈ ધર્મિષ્ટ લોકોમાંથી નીકળી શકે તેમ નથી. દાન, શીલ, તપ અને ભાવના આ ચાર આત્મકલ્યાણના અંગો છે, તેમાં પણ દાન તો પ્રથમ છે. જિજ્ઞેશ:– કોઈ જીવ સ્વયં મરવા પડ્યો હોય કે તેને કોઈ મારતું હોય અને આપણે તેને ન બચાવીએ તો તેમાં આપણું શું નુકસાન થાય? જ્ઞાનચંદ – જે રીતે જૈન સાધુના સ્વયંના ગચ્છના કે અન્ય કોઈ પણ ગચ્છના પરિચિત અથવા અપરિચિત સાધુ પાણીમાં ડૂબતાં હોય અને જોનાર સાધુને તરતાં આવડતું હોય તો તેણે તત્કાલ ડૂબતાને બચાવવા એવી ઠાણાંગ સૂત્રની આજ્ઞા છે. તેથી પાણી અને પાણીમાંના જીવોની હિંસા પ્રત્યક્ષ હોવા છતાં, તેને સાધુનું કર્તવ્ય આગમમાં બતાવ્યું છે. જ્યારે પાણીમાં મરતા સાધુને સાધુ બચાવી શકે છે, આહાર પાણીમાં પડેલા જીવ(તિર્યંચ)ને કોઈ આગમમાં નથી કહ્યું છતાં સાધુ બચાવી શકે છે, જૂને પોતાનું રક્ત પાઈ શકે છે તે સાધુ ધર્મ છે. તેવી જ રીતે ગૃહસ્થ માનવના દ્વારા કોઈ માનવને કે પશુને મરતા બચાવવું તે પણ ગૃહસ્થ ધર્મ છે. સાધુને બચાવવામાં નદીના ત્રણ સ્થાવર જીવોની પ્રત્યક્ષ થયેલી હિંસા પણ અનુકંપાની પ્રમુખતાએ ગૌણ થઈ જાય છે. જિંદગીભર સાધુ પણ ગમનાગમન ક્રિયાઓ કરે જ છે, ખાય છે, શૌચ જાય છે. એ જ પ્રકારે માણસ પણ માણસની કે પશુની રક્ષા કરે છે, તેમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ દ્રવ્ય અને ભાવ હિંસા સંભવ હોય તો તે પણ અનુકંપાની પ્રમુખતામાં ગૌણ બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy