________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
અને ગ્રંથોના બધા પ્રમાણોને ભૂલી જવાની અદ્ભુત શક્તિ રાખે છે અને એટલા માટે જ ધોવણ પાણીનો નિષેધ કર્યા કરે છે.
© તેરાપંથ ધર્મ વાર્તા
૮૩
જિજ્ઞેશ ઃ- તેરાપંથ કયો ધર્મ છે ?
જ્ઞાનચંદ :– આ કોઈ પંથ કે ધર્મ કે સિદ્ધાંત નથી. આ તો સ્થાનકવાસીઓ જ છે. તેમના આચાર-વિચાર સિદ્ધાંત અને આગમ બધું જ સ્થાનકવાસીનું જ લગભગ છે. એક સંપ્રદાયમાં કે ગચ્છમાં અનેક સાધુઓ હોય છે અને તેમના અનેક પ્રકારે જુદા-જુદા વિચારો હોય છે. એવા જ કોઈ સામાન્ય વિચારોને કારણે ગુરુથી જૂદા થઈને આ લોકો અલગ રીતે વિચરવા લાગ્યા છે અને તેમનો પોતાનો સ્વતંત્ર સંપ્રદાય અને અનુશાસન ચાલુ થઈ ગયેલ છે. એમ તો દેરાવાસીઓમાં પણ ઘણાં સંપ્રદાયો અને અનેક વિચાર ભેદ અન્યોન્ય ગચ્છમાં છે. તેમ છતાં ત્રણ શૂઈ, ચાર શૂઈ, તથા ખરતર વગેરે બધા ગચ્છો આમ તો દેરાવાસી જ કહેવાય છે. સ્થાનકવાસીઓમાં પણ વિભિન્ન સંપ્રદાયોમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ છે, તેમ છતાં મૌલિક સિદ્ધાંત અને આગમ એક જ છે, એટલે સ્થાનકવાસી ધર્મ તો એક જ છે. આજ રીતે સ્થાનકવાસીથી પણ એક ગચ્છ સમૂહ સામાન્ય વિચારોથી અલગ વિચરવા લાગ્યો છે જેનું નામ તેરાપંથી સમુદાયથી પ્રસિદ્ધ થઈ ગયું છે.
આ સમુદાય પણ દેરાવાસીઓના દેરાસર કે પૂજા વગેરે સિદ્ધાંતોને માનતો નથી. આગમની માન્યતા તથા પ્રમાણિકતા પણ સ્થાનકવાસીઓ જેવી જ છે. વેશભૂષામાં પણ કોઈ ખાસ પરિવર્તન નથી. એટલે આ એક સ્થાનકવાસીનો જ વિશેષ સમુદાય છે. સ્થાનકવાસીઓનો મુખ્ય સિદ્ધાંત મુહપત્તિ બાંધવાનો અને મંદિર, મૂર્તિપૂજા ધર્મને આગમ સમ્મત ન માનવાનો છે. તે બંને સિદ્ધાંતને આ તેરાપંથી સમુદાય માન્ય કરે છે. જેવી રીતે શ્વેતાબંરમાંથી નીકળેલો સ્થાનકવાસી સમૂહ શ્વેતાંબર સ્થાનકવાસી કહેવાય છે, તેવી જ રીતે સ્થાનકવાસીમાંથી નીકળેલો તેરાપંથી સમૂહ પણ સ્થાનકવાસી તેરાપંથ છે.
જિજ્ઞેશ ઃ– એમનો જુદો સમુદાય બનાવવાનો મુખ્ય વિચાર ભેદ કર્યો છે. જ્ઞાનચંદ ઃ— આગમ વિષયના સૂક્ષ્મ ચિંતનના કોઈ ભાગનું કથન કરવાની વાક્યશૈલીમાં અને કોઈ દષ્ટિકોણમાં અંતર પડી ગયું અને ચર્ચામાં ઘર્ષણ વધી જવાથી થોડા સાધુઓ ગુરુથી વિખૂટાં પડીને અલગ રીતે વિચરવા લાગ્યા. તે વિષય આ પ્રમાણે છે– (૧) જીવોની હિંસા ન કરવી એ ધર્મ તો બરાબર છે, પરંતુ કોઈ જીવ સ્વતઃ મરી રહ્યો છે, કોઈને બીજો જીવ મારી રહ્યો છે તો તેમાં વચ્ચે પડીને છોડાવવા જવું નહીં. (૨) અન્ન પુણ્ય વગેરે જે પુણ્ય બતાવ્યાં છે, તેમાં કોઈપણ જીવની સહેજ પણ હિંસા થાય તો તેને એકાંત પાપ સમજવું, પુણ્ય નહીં. નાની-નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org