SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવશ્યક્તા છે અને કેવી રીતે કરવામાં ક્રિયા, પ્રમાદ, ગૃહસ્થ સેવા વગેરેને ઓછામાં ઓછી રીતે આદરવામાં આવે એટલે જ્યારે લખવાનું કાર્ય જરૂરી હોય તે સમયે પોસ્ટ, તત્સંબંધી લેખન સામગ્રી તથા પોસ્ટેજ સામગ્રી રાખવામાં પ્રમાદ વગેરે ઓછો થવાથી તે વિવેક જ ગણાશે. ૮૦ પરિગ્રહ સંબંધી આગમ નિર્દેશ તો અહને બિખ્ખાય વ રચયે = ભિક્ષુ ધન, સોનું, ચાંદી વગેરેને ન રાખે, તેમ કથન છે. પણ ઉપયોગી વસ્તુઓનો નિષેધ નથી. ધનનો અર્થ અહીં લે-વેંચના વ્યવહારમાં ઉપયોગી પૈસાને સમજવો. વ્યવહાર દૃષ્ટિથી પણ બજારમાં જેના દ્વારા, વેપાર-વાણિજ્ય, ધંધો, વગેરે થાય તેને રૂપિયા, પૈસા વગેરેને ધન કહેવાયું છે. જે ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી અલ્પ અથવા અધિક કિંમતી આવશ્યક ઉપયોગી વસ્તુને ત્યાં ધન રૂપ પરિગ્રહમાં નથી ગણાવી. માટે પોસ્ટેજ રાખવાથી ધન રાખી લીધું તેમ ન સમજવું જોઈએ. આ વિષયનો પ્રમાણોલ્લેખ ધાતુ સંબંધી નિબંધમાં જુઓ— છેદશાસ્ત્ર, સારાંશ ખંડ–૪. સૂર્ય પ્રજ્ઞપ્તિ વાર્તા » જિજ્ઞેશ :— ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર એક જ છે કે જુદા-જુદા છે ? જ્ઞાનચંદ :- આ સૂત્ર પણ મધ્યકાળમાં થયેલી વિકૃતિઓથી પ્રભાવિત છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રના પ્રારંભ માં જે પ્રતિજ્ઞા રૂપે ગાથાઓ આપેલી છે તેમાં તેનું નામ ‘જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ' દર્શાવેલું છે, ચંદ્ર પ્રજ્ઞપ્તિ કે સૂર્ય પ્રજ્ઞપ્તિ તે બંને નામો નથી. આ વિષયમાં વધારે ચિંતન એ જ સૂત્રના સારાંશમાં છે. તે માટે જુઓ સારાંશ ખંડ–૭, તત્ત્વ શાસ્ત્ર. હાલ આ બંને એક જ સૂત્રમાં ઉપલબ્ધ છે. જિજ્ઞેશ :- આ સૂત્રમાં માંસાહાર સંબંધી કથન છે ખરૂં ? શાનચંદ :– જૈનાગમોમાં માંસ ભક્ષણને નરકમાં જવાનું કારણ સ્પષ્ટરૂપથી દર્શાવવામાં આવ્યું છે. ત્યારે તેના ખાવા સંબંધી વિધાન આગમોમાં હોઈ જ ન શકે એવું નિશ્ચિંત જાણવું, સમજવું જોઈએ. એટલે આ સૂત્રમાં કે અન્ય કોઈપણ સૂત્રમાં માંસ સંબંધી જે વર્ણન છે તે મધ્યકાળમાં લહિયા વગેરે દ્વારા અથવા અશુદ્ધ માનસવાળાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિવર્તન કે પ્રક્ષેપ છે અથવા તેને લિપિદોષ માનવો જોઈએ. કોલ લોગસ્સ પ્રતિક્રમણ વાર્તા જિજ્ઞેશ :– બે પ્રતિક્રમણ કે ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ અને ધર્મ ધ્યાનનો કાઉસગ્ગ વગેરે શી પરંપરાઓ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy