SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ : oc બહુમતોવાળી પરંપરાઓ કેમ ચાલી રહી છે ? એકતા કેમ નથી પ્રવર્તતી? જ્ઞાનચંદ :- પાંચમ અને પૂનમ, અમાસથી ચાલેલી પરંપરામાં ક્યારેક પરિસ્થિતિ વશ પરિવર્તન કરવું પડયું હોય ત્યારે તો કેટલાક લોકો અનુકરણ વૃત્તિથી પરંપરા બનાવી લે છે. જેમ ભવિતવ્યતા વશ દુનિયામાં અનેક ખોટા ધર્મો પ્રવર્તે છે તેવી જ રીતે જૈન ધર્મમાં આવી અનેક અનાગમિક અથવા વિકૃત પરંપરાઓ ચાલી રહી છે. ક્યારેક કોઈ વાતનું આગમમાંથી સમાધાન ન મેળ વી શકવાથી પણ કોઈ પોતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ આચર્યા કરે છે. આ વિશે સ્વતંત્ર સંવાદ આ જ પુસ્તકમાં આગળ જુઓ— ‘સંવત્સરી વિચારણા સંવાદ’. ધાતુ ગ્રહણ-ધારણ વાર્તા જિજ્ઞેશ :– ધાતુની વસ્તુ રાખવા સંબંધી શી પરંપરા છે ? : જ્ઞાનચંદ – ત્રણ જાતિના પાત્ર રાખવાનું તથા અન્ય કોઈ બીજું પાત્ર ન રાખવાનું વર્ણન આગમોમાં છે તથા સકારણ રાખવા માટેનો દંડ પણ કાષ્ટ, વાંસ વગેરેનો જ રાખવાનું વિધાન છે. સાધના પ્રમુખ, સાધકની પ્રત્યેક ઉપધિ અત્યાવશ્યક તથા સામાન્ય જાતિની હોવી જોઈએ. આ તેનો અપરિગ્રહ મહાવ્રતનો વિષય છે. પરંતુ સમય પ્રભાવથી જ્યારે લેખન કાર્ય સ્વીકાર કરવું પડ્યું છે ત્યારે તેમાં સમય શક્તિના ખર્ચનો વિવેક તો રાખવો પડે. ત્યાં પરંપરાનો દુરાગ્રહ રાખવાને બદલે હાનિ તથા લાભાલાભનો વિચાર કરી આગમ દ્વારા તેની ચિંતવના કરવી જોઈએ. આમ કરવા જતાં અત્યાવશ્યક ઉપકરણ ચશ્મા, પેન વગેરે ધાતુનો ઉપયોગ થઈ જાય તો તે આગમ વિરુદ્ધ ન ગણાય તથા અન્ય બીજા ઘણાં દોષો, પ્રમાદોનો પણ આનાથી બચાવ થઈ જાય છે. આ વિષયમાં વિશેષ સપ્રમાણ ચર્ચાનો સંવાદ છેદશાસ્ત્ર ખંડ–૪માં આપેલ છે, તે વાંચી લેવો જોઈએ. ન પોસ્ટેજ રાખવા સંબંધી વાર્તા જિજ્ઞેશ ઃ- પોસ્ટેજ રાખવું તે પણ શું અશુદ્ધ પરંપરા છે, પરિગ્રહ મહાવ્રતમાં દોષ છે ? જ્ઞાનચંદ :— જૈન સાધુને પોસ્ટ લખવાનું અને લખાવવાનું કાર્ય અથવા ગૃહસ્થ દ્વારા સમાચાર મોકલવાનું કે મંગાવવાનું કાર્ય એક પરિસ્થિતિજન્ય પ્રવૃત્તિ છે. આમ તો કાંઈ જ લખવું તે પણ એક પરિસ્થિતિવશ કરાતું કાર્ય જ છે. કેમ કે પ્રશ્નવ્યાકરણ વગેરે સૂત્રોમાં સાધુઓના ઉપકરણોમાં ક્યાંય પણ લખવાની સામગ્રી કે પુસ્તકો રાખવા સંબંધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ લેખન પ્રવૃત્તિ અને તત્સંબંધી અનેક ઉપકરણ પરિસ્થિતિજન્ય પ્રવૃત્તિઓ જાણવી જોઈએ. પરિસ્થિતિજન્ય પ્રવૃત્તિમાં એટલો વિવેક રાખવો જોઈએ કે કેટલી પ્રવૃત્તિની For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy