SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત. છાલ અંદરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા રગો દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટ્યા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે જુઓ સારાંશ ખંડ-૪ છેદ શાસ્ત્રમાં વનસ્પતિજ્ઞાન સંબંધી પરિશિષ્ટ અથવા પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) વજકંદ (૫) લીલી હળદર (૬) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે વાસક્ષેપ વાર્તા જિગ્નેશ :- વાસક્ષેપ શું છે? શા માટે નાખવામાં આવે છે? જ્ઞાનચંદ – કલ્પસૂત્ર કથિત ભગવાન મહાવીર સ્વામી પછી ૨૦૦૦ વર્ષનો ભસ્મગ્રહ સમાપ્ત થતાં પુનઃ શુદ્ધધર્મ અર્થાત્ સ્થાનકવાસી ધર્મ ચાલવા લાગ્યો. મહાન આત્મા શ્રી લોકાશાહ દ્વારા તે સત્ય, અહિંસા પૂર્ણ ધર્મનો પુરજોરથી પ્રચાર થવા લાગ્યો. મંદિરમાર્ગીઓનો પોતાનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. ત્યારે તેમણે લોકો ઉપર મંત્રિત ભૂકી નાખવાનું શરૂ કર્યું જેથી, જેના માથામાં તે પાવડર નાખ્યો હોય, તે લોકાશાહના પ્રભાવમાં ન આવે પરંતુ આ ચમત્કાર પણ તેમનો ઝાઝો ટક્યો નહીં. અડધા કરતાં પણ વધારે અર્થાત્ ૧૫ લાખ જૈનોમાંથી આઠ લાખ જૈનોને તેમણે શુદ્ધ ધર્મથી સંલગ્ન કરી દીધા હતા. તે સમયે તેમના ઉપદેશનો મૌલિક વિષય હતો- જૈન સાધુનું શુદ્ધ મહાવ્રત તથા આચારનું સ્વરૂપ દેખાડવું તથા વ્યર્થના પાપકારી આડમ્બરો અર્થાત્ સંઘ કાઢવો, પૂજા પ્રતિષ્ઠા કરવી, મંદિર બનાવવા વગેરે સાવધ સપાપ પ્રવૃત્તિઓનો વિરોધ કરવો તથા “અહિંસા પરમોધર્મ ને સાકાર કરવો. હવે તો આ વાસક્ષેપ પાવડર ચંદનના ભૂકા વગેરે સારી સારી ૪૦-૫૦ વસ્તુઓના મિશ્રણ વડે, થોડાક મંત્ર-જાપ સંયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને હવે તેનો ઉપયોગ ફક્ત ભક્તોને ખુશ રાખવા માટે કે પૈસા કઢાવવા માટે કરવામાં આવે છે અને ભગત લોકો પોતાના લૌકિક પારિવારિક સુખ સુવિધાની આશા રાખીને વાસક્ષેપ નખાવ્યા કરે છે. પ્રાયઃ બધી પદવી પ્રાપ્ત અને સંઘાડા પ્રમુખની પાસે એ રેશમી કપડાના ડબ્બા જેવી પોટલી વાસક્ષેપ ભરેલી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy