SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ o૩ આવ્યું છે, તો ક્યાંક દેવલોકમાં પણ મૂર્તિ માટે મહાવીર અને ઋષભ નામ લખ્યાં છે, આવું તો મૂળ આગમ પાઠોમાં ઘણું જોડી દીધું છે, તો ગ્રંથોમાં અને શાસ્ત્રની ટીકા ચૂર્ણિ નિર્યુક્તિઓમાં ક્યાં શું શું ઉમેર્યું હશે તે તો ભગવાન જ જાણે ! માટે કોઈ પણ પ્રાચીન આગમ કે ગ્રંથ કે વ્યાખ્યાઓને વાંચતી કે સમજતી વખતે ઉક્ત અંગ્રેજની જેમ, વિવેક આંખને ખુલ્લી રાખીને વાંચવું જોઈએ, ખોટી વાતોમાં ભરમાવું જોઈએ નહીં. એક જૂઠાણું છુપાવવા, સાત વાર જૂઠું બોલવું પડે અને સાત જૂઠાણા માટે સો વાર જૂઠું બોલવું પડે !! અને ચોરી તો પકડાઈ જાય પણ જૂઠાણાને પડકવું આકરું છે. એટલે શ્રાવકે તો વિવેક બુદ્ધિ રાખી સત્યને જ વળગી રહેવું ઘટે. એટલે એક મંદિર માર્ગી અન્વેષક વિદ્વાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, જેનો આશય આ છે કે ઉપલબ્ધ આગમ સર્વજ્ઞની વાણી નથી, એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. તથાપિ ઉપલબ્ધ આગમનો એક એક અક્ષર સર્વજ્ઞ વાણી જ છે તેમાં કિંચિત માત્ર પણ પરિવર્તન નથી થયું કે આટલા લાંબા કાળ દરમ્યાન કોઈ અક્ષર વધારે ઓછો નથી થયો; એમ માનવું પણ સર્વથા અનુચિત છે. જુઓ બૃહત્કલ્પ ભાષ્ય ભાગ–ની પ્રસ્તાવના. અહીંઆ શાસ્ત્રોદ્ધારક મૂર્તિપૂજક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી એ પોતાના અન્વેષણ અનુભવથી ગીતાર્થ મુનિઓને આગમોમાં પણ વિવેકબુદ્ધિ રાખવાની સૂચના કરી છે. તો પછી સ્થાનકવાસી શ્રમણો, જો વિકૃત જૈન સાહિત્યમાં અને જૈન અજૈન ધૂર્તાની ધૂર્તતાથી અંકિત આગમ સ્થળોમાં વિવેક બુદ્ધિ રાખે અને વિવેક બુદ્ધિ રાખવાની પ્રેરણા કરે તો તેમાં કોઈ પણ પ્રકારે અપરાધ છે શું? તેમ છતાં કોઈ અપરાધ માને તો તે તેમની સ્વાર્થપૂર્ણ બુદ્ધિનો પ્રભાવ જ છે, એવું માનવું જોઈએ. બાવીસ અભક્ષ્ય વાતા. જિજ્ઞેશ - રર અભક્ષ્યના સંબંધમાં શું સમજવું જોઈએ? જ્ઞાનચંદ – કોઈપણ સાધુએ કે સમુદાયે ત્યાગ બુદ્ધિથી ચલાવેલું હોય ત્યાં સુધી તો ઠીક છે. કેમ કે જિનશાસનમાં ત્યાગનું તો વિશેષ મહત્વ છે જ. પરંતુ તેમાં કોઈ પણ વસ્તુને માટે એકાંતિક સર્વ વ્યાપક નિષેધ કરવાનું અનુચિત છે. સાથે જ તે પદાર્થોના વિષયમાં કોઈ નિરૂપણ-પ્રરૂપણ આગમ નિરપેક્ષ(આગમ પ્રમાણ વિનાનો) તથા આગમ વિરુદ્ધ કરવાનું તો સર્વથા અનુચિત કર્તવ્ય છે. - રર અભક્ષ્યોને માટે આવી અનેક વાતો થઈ છે, અર્થાત્ આગમ નિરપેક્ષ તથા આગમ વિરુદ્ધ ખોટી પ્રરૂપણાઓ ચાલું થઈ છે અને એટલે આ ત્યાગવૃત્તિવાળા રર અભક્ષ્ય પણ પરાપકર્ષ કે નિંદા કરવા માટેના થઈ રહ્યા છે. જેમ કે– માખણના ત્યાગની સાથે એવી નકામી વાતો જોડી દીધી છે, જે મૂળ આગમોથી વિરુદ્ધ છે તથા નિયુક્તિ વ્યાખ્યાઓથી પણ વિરુદ્ધ છે. કેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy