SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમનવનીત આ વાક્યને જ્યારે નાભાની રાજસભામાં સપ્રમાણ બતાવવામાં આવ્યું તો તે પછી તેઓએ એવું વાક્ય પંચ પ્રતિક્રમણના પુસ્તકમાંથી કાઢી તેની જગ્યાએ બીજું પાનું છાપીને જોડી દીધું, પરંતુ તેમના કોષ અને ગ્રંથોમાં આજે પણ તેવું કથન જોવા મળે છે. માટે જ આ લોકોને વ્યર્થ નિંદા કરવાનો કોઈ અધિકાર નથી તેમ છતાં તેઓ પોતે પોતાના કાર્યોમાં ખોટા પુરવાર થઈને પોતાના હાથે પોતાની જાતને ઉઘાડી પાડીને જિનધર્મને નિંદાને પાત્ર બનાવે છે અને આમ ખુદ પોતેજ બેશરમ પુરવાર થતાં રહે છે. 'શાસ્ત્ર પાઠમાં ચોરીઓની વાર્તા જિજ્ઞેશ :- શું ઉપર કહ્યા મુજબ શાસ્ત્રોમાં પાનાઓ કે શબ્દો વગેરેને પણ જૈન સાધુ લોકો બદલતા રહે છે? જ્ઞાનચંદ :– એક અંગ્રેજ ઉપાસક દશાશ્રુતનો અંગ્રેજી અનુવાદ કરતા હતા. ત્યારે કોઈ પાઠમાં તેમને શંકા ઉપજતા, તેઓએ અનેક પ્રતો જોઈ-વાંચીને પછી નિશ્ચય કરીને લખ્યું કે– સંવત ૧ર૧ અને સંવત ૧૭૪૫ તથા સંવત ૧૮૨૪માં લખાયેલી પ્રતોમાં ફક્ત “ચેઈયાઈ એટલો જ શબ્દ છે અને સંવત ૧૯૧૬ અને ૧૯૩૩માં લખાયેલી પ્રતોમાં “અરિહંત ચેઈયાઈ એવો શબ્દ છે. આથી એવું સ્પષ્ટ જણાય છે કે સંવત ૧૮ર૪ પછીની પ્રતોમાં કોઈકે આ શબ્દ પ્રક્ષિપ્ત કરેલ છે. પ્રમાણને માટે સન ૧૮૮૮માં અર્થાત્ સંવત ૧૯૪પમાં છપાયેલી અંગ્રેજીના ઉપાસકદશાના પુસ્તકના પુ. ૨૩માં નોટ નં. ૯ જોઈ શકાય છે. આ પુસ્તકના અનુવાદક છે “એ. એફ. રોડાલ્ફ હલ સાહેબ, પી. એચ. ડી.” આ પુસ્તક આજથી ૧૧૫ વર્ષ પહેલાં છપાયું હતું. પાઠક વિચારી લે કે એક અંગ્રેજે જ્યારે આ નિર્ણય આપ્યો છે, તેનાથી સિદ્ધ થાય છે કે, જ્યારે જ્યાં, જેને મનફાવ્યું તેમ શાસ્ત્રમાં પ્રક્ષિપ્ત કરવાનું ચૂક્યા નથી. આ ઉપાસકદશામાં જે શબ્દ ઉમેર્યો છે તે મંદિરમાર્ગીઓ દ્વારા પોતાના જૈન મંદિરના પક્ષના આગમ પ્રમાણ બનાવવા માટે ઉમેરવામાં આવ્યો છે. આવા જ કેટલાક પ્રક્ષેપ આ લોકોએ સ્વાર્થ વશ કર્યા છે. જે અન્વેષક બુદ્ધિવાળાઓને જ સમજાય ! ચાહે તે હિન્દુ હોય કે અંગ્રેજ. “જિન ખોજે તિન પાઈયા, ગહરે પાની પેઠ” તે સાચું તત્ત્વ શોધી જ લે છે. ખોટી રીતે પકડી રાખેલી પાપમય વિધિવાળી મૂર્તિપૂજાને માટે એવા ખોટા પાપ પણ કરવા પડે છે. આવી વૃત્તિને કારણે જૂદી જૂદી જગ્યાએ ણમોત્થણનો પાઠ પણ જોડી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે ક્યાંક મૂર્તિઓનું વર્ણન જોડવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy