________________
| અનુભવ અર્ક: ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
I
J ૦૧]
'રાત્રે પાણી રાખવા સંબંધી વાત જિજ્ઞોશ:- રાત્રિમાં સાધુઓને પાણી રાખવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? જ્ઞાનચંદ - ગણધરોના રચિત આગમોમાં અને આ મંદિર માર્ગી ગ્રંથોમાં, રાજેન્દ્ર સૂરિના સંપાદિત રાજેન્દ્ર કોષમાં પણ જૈન સાધુ સાધ્વીઓ માટે રાત્રે પાણી કે આહાર રાખવાનો પૂર્ણ નિષેધ છે અને સ્પષ્ટરૂપથી નિશીથ સૂત્રના દસમા ઉદ્દેશકમાં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન પણ છે એટલે ક્વચિત કોઈ સાધુએ કોઈ અપવાદરૂપ પરિસ્થિતિમાં પાણી રાખી લીધું હોય અને પછીથી તેનું પ્રાયશ્ચિત્ત લઈ લીધું હશે તેમ બન્યું પણ હોય! એટલે નકલ કરવાવાળા શિથિલાચારીઓએ તેનું પણ અનુકરણ કરીને એની નવી પદ્ધતિ શરૂ કરી દીધી છે. જ્યારે આ માટેની મનાઈ આજે પણ શાસ્ત્ર પ્રમાણરૂપ જોવા મળે છે. જિજ્ઞેશ - તે લોકો તો એમ પણ કહે છે કે પાણીના અભાવે રાત્રિના સાધુઓ શૌચ નિવૃત્તિના સમયે શુદ્ધિ શેનાથી કરે? જ્ઞાનચંદ – સ્વમૂત્ર શરીરનો એક નિષ્કાસિત પદાર્થ છે તેમ છતાં તેને લોકો એકાંત અશુચિ માનીને વ્યવહાર કરતાં નથી. પ્રસંગે પ્રસંગે લોકો બાળકોને સ્વયંનું મૂત્ર પીવડાવે છે. કોઈ ઘા કે ચીરો પડે તો મૂત્ર લગાડવાનો પ્રયોગ થાય છે. આયુર્વેદિક ગ્રંથોમાં આને “સર્વોષધિ ગણિને કેટલાય રોગોના ઉપચારમાં પીવા તથા લેપ કે માલિસ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેનાગોમાં આચારાંગમાં “મોય સમાયારે” શબ્દ વડે સાધુને સમયે સમયે તેનો ઉપયોગ કરનારા કહ્યા છે. મૂર્તિપૂજક શ્રી રાજેન્દ્રસૂરિના બનાવેલ અભિધાન રાજેન્દ્ર કોષના બિલખ શબ્દમાં પણ તેના માટે અશુચિ નિવારણ આદિના ઉપયોગમાં આવવાનું કથન છે તથા જૈનાગમ વ્યવહાર સૂત્રના મૂળપાઠમાં સાત દિવસના ચૌવિહાર તપસ્યાવાળી વિશિષ્ટ પડિકામાં દિવસે પોતાનું નિર્દોષ મૂત્રપાન કરવાનું કહ્યું છે. તેની વ્યાખ્યામાં મંદિરમાર્ગે આચાર્યોએ તે મૂત્રનો ગુણાનુવાદ કરતાં જણાવ્યું છે કે તેનાથી શરીર સ્વસ્થ તથા ક્યન વર્ણ બની જાય છે. અર્થાત્ પાણીના અભાવમાં સાધુઓ રાત્રિમાં પોતાની રુચિ અનુસાર વિવેકપૂર્વક શુચિ-શુદ્ધિ કરી શકે છે.
યદ્યપિ આગમ “વ્યવહાર સૂત્ર'ના મૂળપાઠમાં રાત્રિમાં મૂત્ર પીવાનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે. તેમ છતાં આપણા આ મૂર્તિપૂજક પોતાના જ સંસ્કૃત ગ્રંથોમાં કોષોમાં તો લખે છે પણ સામાન્ય જનતા માટે ઉપયોગમાં લેવાતા પંચ પ્રતિક્રમણ સૂત્રની ચોપડીમાં પણ છપાવે છે !
પ્રાચીન પંચ પ્રતિક્રમણના પુસ્તકના પૃ. ૪૭૯માં લખ્યું છે કે ચૌવિહારના નિયમવાળાઓ રાત્રિમાં કોઈ વસ્તુ ખાતા પીતા નથી, તેમ છતાં સર્વ પદાર્થોમાં અનિષ્ટ સમાન મૂત્ર જો રાત્રે પી લે તો કોઈ વાંધો નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org