SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ७० મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત :: માટે- ‘જૈન તત્ત્વાદર્શ’ નામના ગ્રંથમાં પિતાંબરી આત્મારામજી લખે છે કે— મહાવીર પ્રભુના સાધુઓના વસ્ત્રો તો સફેદ જ હતા પરંતુ ગણિ સત્યવિજયજીએ કોઈ વિશેષ કારણવશાત્ વસ્ત્રોને પીળા રંગથી રંગી નાખ્યા હતાં. આ રીતે રંગવાનું શરૂ થયું અને ચાલતું રહ્યું. જોકે આપણાં વૃદ્ધ ગુરુઓની એવી શ્રદ્ધા નહોતી કે સાધુઓ રંગીન વસ્ત્ર ધારણ કરે. આ રીતે પાંચમના બદલે ચોથની સંવત્સરી ઉજવવાની નકલ પણ આજ મંદિર માર્ગીઓના ગ્રંથોની વ્યાખ્યાઓમાં લખેલી મળે છે. આ રીતે નકલ દ્વારા આવા જ્ઞાની જૈન સમાજમાં ગાડરિયા પ્રવાહની જેમ કેટલીક પરંપરાઓ ચાલી રહી છે, જે મહાન આશ્ચર્ય છે. વળી આવી પરંપરાઓનો દુરાગ્રહ એટલો બધો ફેલાયેલો છે કે કેટલાય પ્રમાણો અથવા આગમોથી સાચી વાત સમજાવવામાં આવે તો પણ આજના આ લોકો એ જૂની અને ખોટી પરંપરાઓને છોડવા તૈયાર જ થતા નથી. ઉલટાનું જેમ તેમ કરીને ખોટી વાતો તથા ખોટી રજૂઆતોને હોશિયારીથી સત્ય, શાસ્ત્રોક્ત તથા કલ્યાણકારી સિદ્ધ કરવાની હોંશિયારી પણ કરે છે. સાથે-સાથે સાચી આગમોક્ત ચિંતન હકીકત પ્રકટ કરનારાનો આ લોકો સખત વિરોધ પણ કરે છે. આ સ્પષ્ટ રૂપે વ્યક્તિ તથા સમાજના પતનની એક દશા છે. કેમ કે આગમ શ્રદ્ધા અને બૌદ્ધિક વિકાસ યુક્ત સમાજ હોવા છતાં પણ લોકો આવી પરંપરાઓના મોહમાં ફસાતા જાય છે. ‘ચતુર્થ સ્તુતિ નિર્ણય શંકોદ્વાર’ નામના ગ્રંથમાં તથા ‘જૈન મત વૃક્ષ’ નામના ગ્રંથમાં પણ લખ્યું છે કે પહેલાં સાધુ સફેદ રંગના વસ્ત્ર જ પહેરતા હતા અને સફેદ વસ્ત્રની જ ધારણા હતી. ગચ્છાચાર પઈણ્ણા'માં રંગવાળા વસ્ત્ર અથવા રંગબેરંગી વસ્ત્રના ઉપયોગ કરનારા વિશે લખ્યું છે કે, ‘તે જૈન સાધુ નથી પરંતુ પાખંડી છે અને ગચ્છ મર્યાદાની બહાર છે.’ ‘યોગ શાસ્ત્ર’ પૃ. ૨૬૩માં રંગીન વસ્ત્ર ધારણ કરનારાઓને ‘કુપાત્ર’ છે, તેમ લખ્યું છે. આમ આ મંદિર માર્ગી સમસ્ત સાધુ-સાધ્વી રજોહરણ પર લગાડવાના નિશીથિયામાં પણ અંદર એક રંગ-બેરંગી ચિત્રામણયુક્ત ભરત-ગૂંથણની કારીગરીવાળું કપડું રાખે છે. જેને બીજા કપડાઓથી ઢાંકીને રાખે છે. આ રીતે આ લોકો ગણધરોના શાસ્ત્રોની, તેના વિધાનોની ઉપેક્ષા તો કરે જ છે, સાથે-સાથે પોતાના વડીલ ગુરુઓના કથનોની પણ ઉપેક્ષા કરીને, કોઈ પણ પ્રવૃતિ ચલાવે છે અર્થાત્ ઠંડો, તર્પણી, સ્થાપનાચાર્ય, વાસક્ષેપની પોટલી, દંડાસણ આદિ અને નિશીથિયાની નીચે ભરત ગુંથણી યુક્ત વસ્ત્ર રાખી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy