________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૬૫
ભાવાર્થ :- આ જિનશાસનમાં હે ગૌતમ! કેટલાય શ્રમણ, કાળના પ્રભાવથી શિથિલાચારી થઈ જશે! તેઓ પરલોકના દુઃખોને ભૂલી જશે. વર્તમાન સુખોમાં જ આસક્ત રહેશે! કલ્પ મર્યાદાનું પાલન નહીં કરે ! રાગદ્વેષ મોહ અહંકાર અને મારું મારું(મમત્વ) કરવા લાગશે! સંપૂર્ણ સંયમ ધર્મથી મુખ ફેરવી લેશે. તેઓ દયા રહિત, પાપની ધૃણા રહિત, કૃપા કરુણા રહિત એકાંત પાપમાંજ જેની બુદ્ધિ રહી જશે, તેવા ચંડ-રૌદ્ર ક્રૂર કર્તવ્ય કરવાવાળા, મિથ્યાષ્ટિ, અસાધુ થશે. તેઓ સાવધ યોગો(પાપકાર્યો)ના પચ્ચખાણ કરીને પણ તેને છોડી દેનારા થશે. સંઘ કાઢવારૂપ આરંભને ગ્રહણ કરી લેશે અથવા અનેક પ્રકારનો આરંભ પરિગ્રહ કરનારા થશે. ત્રણ કરણ ત્રણ યોગથી પાપ ત્યાગ રૂપે પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પણ ભાવ સામાયિક ચારિત્રમાં ટકશે નહીં, ફક્ત દ્રવ્ય સામાયિકમાં રહેશે. તેઓ ફક્ત નામ માત્રના મુંડિત અણગાર કે મહાવ્રતધારી બની રહેશે. પોતેજ પોતાને, અમે સાધુ છીએ એવું માનશે અને તેમ માનતા હોવા છતાં ઉન્માર્ગમાં પડી જશે !
એમ કરતાં કરતાં તેઓ અમારી તીર્થકરોની ચંદન આદિથી, માળાઓથી, દિપ પ્રગટાવીને, વિચિત્ર વસ્ત્ર બલિ, ધૂપ વગેરેથી પૂજા કરશે, ઊંચા ઊંચા મંદિરો બનાવીને તીર્થ સ્થાન બનાવશે, આવા તે લોકોના કર્તવ્યોની હે ગૌતમ, અનુમોદના પણ ન કરવી કે તેમના કર્તવ્યોને રૂડા પણ જાણવા જોઈએ નહીં. પ્રશ્ન- હે ભતે! એવું કેમ કહ્યું કે તેમના કર્તવ્યોને રૂડા પણ જાણવા નહીં? ઉત્તર:- હે ગૌતમ! તે પ્રકારનાં અસંયમ પ્રમુખ કર્તવ્યોથી સંસાર મૂલક કર્મોનો આશ્રવ થાય છે. તે આવો તથા અશુભ અધ્યવસાયોથી શુભાશુભ મહાન કર્મોનો બંધ થાય છે.
એ જ રીતે સંપૂર્ણ સાવધ યોગના ત્યાગીઓના વ્રત ભંગ થાય છે. વ્રતભંગ થવાથી ભગવદાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને તેઓ ઉન્માર્ગગામી બનીને સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, જેને કારણે તેઓ મહાન આશાતનાના ભાગી બનીને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
માટે હે ગૌતમ! એમ કહ્યું કે એ અસાધુઓની પ્રવૃત્તિઓને રૂડી જાણવી જોઈએ નહીં.
આ પ્રકારે મંદિર માર્ગીના માનેલા ૪૫ આગમોમાંથી, આ મહાનિશીથ સૂત્રમાં તેમની તથા તેમના ખોટા મતની કેટલી દુર્દશા બતાવી છે એ સહજ રીતે સમજી શકાય છે.
હા, એટલું ખરું કે તેઓએ(મંદિરમાર્ગીઓએ) આ સૂત્રને પોતાની શ્રદ્ધાનું કેન્દ્ર બનાવી રાખ્યું છે. તેમ છતાં આવી સચોટ અને તેમનું સત્યાનાશ કરે તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org