________________
અનુભવ અર્ક: ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૬૩
પણ પ્રાણીની હિંસા ન કરે, એવું શુદ્ધ અહિંસક આચરણ કરવાથી જ ત્રણે કાળમાં મોક્ષ પ્રાપ્ત કરે છે અર્થાત્ હિંસક કાર્યોવાળી મૂર્તિપૂજા વગેરે કરવા, કરાવવાથી મુક્તિ નથી મળતી ! (૭) ઉત્તરાધ્યન સૂત્ર અધ્યયન આઠમાં કહ્યું છે કે
न हु पाणवह अणुजाणे, मुच्चेज्ज कयाइ वि सव्वदुक्खाणं । અર્થ : પ્રાણીહિંસાનું અનુમોદન પણ કરનારા અર્થાત્ હિંસાજન્ય કાર્યોને ભલું જાણનારા, ક્યારેય અર્થાત્ ત્રણ કાળમાં મોક્ષે ન જઈ શકે, સમસ્ત કર્મોથી મુક્ત ન થઈ શકે, તે સંસારમાં જ ભ્રમણ કરતા રહે છે(૮) ભદ્રબાહુ સ્વામીએ ચંદ્રગુપ્ત રાજાને સોળ સ્વપ્નોના ફળમાં ચોથા પાંચમાં સ્વપ્નોનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે કે
दुवालस वास परिमाणो दुकालो भविस्सइ । तत्थ कालिय सुय पमुहा वोच्छिज्जिस्सइ । चेइयाइ ठव्वावइ । दव्वाहारिणो मुणि भविस्सइ। लोभेण मालारोहण देवल उवहाण उज्जमण, जिण बिम्ब पइट्ठावण विही उमाइयेहि। बहवे तवभावा पयाइस्संति अविय पंथे पडिस्सइ । અર્થ : આ સ્વપ્નનું ફળ એ છે કે બાર વર્ષનો દુકાળ પડશે, જ્યારે સૂત્ર જ્ઞાન વિચ્છેદજશે, ત્યારે જૈન સાધુ સંયમ માર્ગની ભગવદાજ્ઞાને છોડીને મંદિર બનાવશે ધન ભેગું કરવા, કરાવનારા બનશે; અતિ ધન લોભી થઈને માલારોહણ વગેરે મહોત્સવ કરશે, ઉપધાન તપનું ઉજમણું કરશે. જિનેશ્વરની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવશે. આવા ઘણાં બધાં કાર્યો કરીને અનેક સાધુ તપ સંયમથી ભ્રષ્ટ થઈને ધર્મથી વિપરીત માર્ગમાં પડી જશે અર્થાત્ બધા સાધુ એવું નહીં કરે. કેટલાંક આત્માર્થી મુનિ આવી પ્રવૃત્તિઓથી નિરપેક્ષ પણ બન્યા રહેશે.
આ સ્વપ્ન ફળથી ભદ્રબાહુ સ્વામીની ભાષાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે તે સમયમાં જિનેશ્વરોની મંદિર મૂર્તિ ન હતી. તેથી જ કહ્યું કે સ્વપ્નના સંકેત મુજબ સમયના કુપ્રભાવથી આવું કરીને તે સાધુ કુમાર્ગમાં પડશે. આ ૧૬ સ્વપ્નોનો ગ્રંથ પણ મૂર્તિપૂજક શ્રમણ શ્રદ્ધાથી ભદ્રબાહુ સ્વામીનો માને છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે ભદ્રબાહુ સ્વામીના સમયમાં પણ મૂર્તિપૂજક ધર્મનહોતો, સ્થાનકવાસી માન્ય સત્ય આગમિક ધર્મજ પહેલાં હતો. મંદિરમાર્ગી ધર્મ પાછળથી શરૂ થયો, જેને પણ ભદ્રબાહુએ કુમાર્ગ ગણાવી દીધો અને તપ-સંયમથી ભ્રષ્ટ થવારૂપ જણાવી દીધો.
અહીં મૂર્તિપૂજકના જ ગ્રંથ તથા તેમના મહાપૂજનીય ભદ્રબાહુ સ્વામી એ બનાવેલા તેને જ(મૂર્તિપૂજકોને જ) કુમાર્ગ બતાવે છે, સ્વપ્ન ફળના નામથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org