SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ | અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૬૧ IT MANNING IN suisits : મોટા-મોટા શેઠ, સેનાપતિ, રાજા વગેરે જે કોઈ પણ શ્રાવક હોય તેઓ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરતા તથા વસ્ત્ર લગાડીને જ મુનિની સેવામાં પ્રવેશ કરતા હતા. તેથી એક ગુણ તો સ્પષ્ટ થાય છે જ કે મુહપત્તિ બાંધવાથી, પાસે ઉભેલા શ્રમણોની સાથે વાતચીત કરતી વખતે પોતાનું ઘૂંક તેમના પર ઉડે નહીં. ઉઘાડા મોએ ધૃષ્ટતા પૂર્વક નિર્લજ્જપણે બોલનારા અને જિનાજ્ઞાની મર્યાદાનો લોપ કરનારા સાધુ અને શ્રાવકોના મુખમાંથી ઘૂંક ઉછળીને કેટલીકવાર બીજા શ્રમણો પર ઉડે છે! જેથી ગુરુની આશાતના થાય છે. દેરાવાસીઓ નિપ્રાણ મૂર્તિની આશાતનાથી બચવા મોઢા પર વસ્ત્ર બાંધી મૌનપૂર્વક જ પૂજા કરે છે પરંતુ શાસ્ત્રાજ્ઞા ભંગ કરીને પણ ગુરુઓની સામે આવે ત્યારે મોંએ વસ્ત્ર બાંધતા શરમનો અનુભવ કરે છે અને કેટલાક સ્થાનકવાસી લોકો પણ આળસને કારણે મુહપત્તિ બાંધતા નથી તે પણ ઠીક નથી. પોતાના નિયમો અને વિધિ વિધાનોનું દરેક ક્ષેત્રમાં ધ્યાન રાખવું જ જોઈએ. () મંદિર-મૂર્તિપૂજા સંબંધી પ્રમાણ વાર્તા છે જિજ્ઞેશ – મુખવસ્ત્રિકાની જેમ મૂર્તિમંદિરના સંબંધમાં પણ કંઈક જણાવો. જ્ઞાનચંદ – નિગ્રંથ પ્રવચન અહિંસા પ્રધાન તથા દયા પ્રધાન છે, એમાં કોઈ પણ પ્રાણીની હિંસા કરવાનું કે હિંસા કાર્યને ધર્મ કહેવાનું, કદાપિ સંભવી ન શકે. આ ધર્મના ધારકશ્રમણ, ગણધર, તીર્થકર વગેરે બધા સાધક, હિંસા કરવી, કરાવવી કે અનુમોદન કરવાની અર્થાત્ તેવી પ્રેરણા કરવાની તથા તે હિંસાને ભલી જાણવી તે બાબતના પૂર્ણ ત્યાગી હોય છે. આ ત્યાગ તેમના માટે જીવનભરનો ત્યાગ હોય છે અને એને જ જીવનભરની સામાયિક કહેવાય છે. આવા જૈન શ્રમણ નિગ્રંથ હિંસામાં ધર્મ છે તેમ ન કહી શકે, ન તો કોઈ પણ પ્રકારની હિંસાકારી પ્રવૃત્તિની પ્રેરણા કરી શકે. અતઃ મંદિર-મૂર્તિ બનાવવાનું કે ફૂલ-પાણી અગ્નિના આરંભ(પાપકાય)થી દ્રવ્ય પૂજા કરવાનું, કોઈપણ જૈન શ્રમણ તો કહી ન શકે અને આવું કહેનારા કે પ્રેરણા કરનારા મહાવ્રતધારી જૈન શ્રમણ ન રહી શકે ! તેઓ ફક્ત દ્રવ્ય વેશધારી જિનાજ્ઞાની અવજ્ઞા કરનારા અને સંયમ મર્યાદાના ભંજક જ રહી જાય છે ! (૧) દશવૈકાલિક સૂત્ર અધ્યયન–૬માં કહ્યું છે કે सव्वे जीवा वि इच्छति, जीविठं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ અર્થ: સંસારના નાના મોટા બધાય જીવો જીવવા ચાહે છે, મરવાનું કોઈપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy