________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જીવોની પણ હિંસા ન થાય) વસ્ત્ર ધારણ કરતા રહે છે તથા ભૂમિને પહેલાંથી સાફ (પડિલેહન) કર્યા વિના ચાલવાની અતિશિક્ષા (નિષેધ) પણ કરે છે.
4.
૬૦
Indian Wisdom by moviler williams M.A. London-1875 Page 131.
"Do not kill or injure, which Jains carry to a preposterous an extreme that they strain water before drinking it, sweep the ground with a brush before treading upon it, never eat or drink in the dark, and wear muslin before their mouthes to prevent the risk of swollowing minute insects. અર્થ : ઈંડિયન વિઝડમ કર્તા મોવિલ વિલિયમ્સ એમ. એ. લંડન-૧૮૭૫ પૃષ્ટ-૧૩૧. કોઈને પણ ઈજા ન કરો અને કોઈના પ્રાણ ન લો; જે જૈનીઓમાં સૌથી અધિક છે અને તેઓ પાણી પણ પીતાં પહેલાં ગાળી લે છે, ચાલતી વખતે આગળની જમીનને એક ગુચ્છા(ઓઘા)થી સાફ કરી લે છે અને રાત્રીના ભોજન ક્યારેય નથી કરતા તેમજ પાણી પીતા નથી તથા સૂક્ષ્મ જંતુ જે હંમેશાં ઉડતા રહેતાં હોય તેની રક્ષા નિમિત્તે, જીવજંતુ વગેરે મુખમાં ન જાય તે માટે પોતાના મુખ પર હંમેશાં પાતળું કપડું બાંધી રાખે છે.’
આ રીતે પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન મુનિના મુખ્ય વ્યવહારોમાં મુહપત્તિ મોઢા પર બાંધવાનું, રજોહરણથી જમીન પૂંજવાનું, પાણી ગાળીને પીવાના ઉપયોગમાં લેવાનું, રાત્રિના ખાવાપીવાનું બંધ રાખવા જેવી અનેક બાબતોનું વિવરણ લખી પરિચય કરાવ્યો છે. પરંતુ ત્યાં ક્યાંય ડંડો કે તર્પણી અને હથપત્તિ(હસ્ત-વસ્ત્ર) વગેરે કહેલ નથી.
જિજ્ઞેશ :– મુહપત્તિના મુખ્ય ગુણ કયા છે ? જ્ઞાનચંદ :- મુખ્યતયા ત્રણ ગુણ આ પ્રકારે છે–
त्रिविधा गुणा संयुक्ता, लोकेंदं मुखवस्त्रिका | प्रथमं जैन चिन्हं स्यात्, रक्षणं जीवसूत्रयो ॥१॥
અર્થ : (૧) મુખવસ્ત્રિકા જૈનનું ચિહ્ન છે (૨) સૂત્ર પર, પુસ્તક પર થૂંક ઉડવાથી રક્ષા કરે છે. (૩) વાયુકાય તથા ત્રસ-સંપાતિમ જીવોની રક્ષા કરવાવાળી છે.
આ સિવાય શ્રાવકાચારમાં મુનિ દર્શન કરવાના પાંચ નિયમ(અભિગમ) શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે, તેમાં પણ મુનિઓની સેવામાં ઉપસ્થિત રહેતી વખતે શ્રાવકે ઉઘાડા મુખે રહેવાની મનાઈ કરી છે. અર્થાત્ મોઢા પર કપડું લગાડીને જ મુનિની સીમામાં પ્રવેશ કરવાનું જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org