________________
પs
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત |
કરવામાં કષ્ટ પડ્યું તે વધારે !! જેમાં હાથ હલાવવાની વ્યર્થ અજતના વધી અને ઉઘાડા મોઢે ન બોલવાની જતના પણ પૂરી ન થઈ !! (૫) આનું મુખવસ્ત્રિકા કે મુહપત્તિ એ નામ જ સ્પષ્ટ રૂપે જણાવે છે કે તે મુખ પર રાખવાનું વસ્ત્ર છે. (૬) વાસ્તવમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવી કે મોઢા પર બાંધવી એવો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ આગમમાં નથી, તેમ છતાં આ લિંગના ઉપકરણના ઉપયોગની પ્રાચીન પદ્ધતિ મોઢા પર બાંધવાની હતી એ પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ છે અને શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામથી પણ સિદ્ધ છે. શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામની સિદ્ધ થયેલ બાબતો ઉપર કહેવાઈ ગઈ છે. હવે પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ થયેલ વાત આ પ્રકારે છે– (૧) આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની રર હજાર શ્લોક પ્રમાણ ટીકા છે, તેમાં લખ્યું છે કે લિંગ વાતે મૃત સાધુના મુખ પર નવી મુહપત્તિ બાંધવી. પાઠક વિચારે કે મરેલ સાધુ તો બોલી શકવાના નથી, ન તો મોઢું ખોલી શકવાના કે ન તો શ્વાસ લઈ શકવાના, તો પણ મુખવસ્ત્રિકા બાંધવાનું ધુરંધર મંદિરમાર્ગી આચાર્ય હરિભદ્રસૂરિએ જ લખ્યું છે. (૨) યોગ શાસ્ત્ર પૃ. ૨૬૦માં લખ્યું છે કે મુખની ઉષ્ણ હવાથી વાઉકાયના જીવોની વિરાધના થાય છે માટે તેની રક્ષા કરવાના હેતુથી મુહપત્તિ છે. આવું મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના રચેલ ગ્રંથમાં જણાવ્યું છે. (૩) એશિયાટીક સોસાયટી કલકત્તાના નેતા મિસ્ટર હર્નલ સાહેબ ઉપાસકદશા સૂત્રની અંગ્રેજી ટીકા કરતા, ગૌતમસ્વામીની મુખવસ્ત્રિકાના વર્ણન ઉપર એમ GUES- A small piece of cloth suspended over the mouth to protect against entrance of any living thing. અર્થ : એક નાનો કપડાનો ટુકડો મોઢા પર ટીંગાડાતો હતો જેથી કોઈ સચેત જીવ મોંમા પ્રવેશી ન શકે, તેની રક્ષાને માટે. (૪) મંદિરમાર્ગી દેવસૂરીજી પોતાના સમાચાર પ્રકરણ ગ્રંથમાં લખે છે કેमुखवस्त्रिका प्रतिलेख्य मुखे बध्वा प्रतिलेखयंति रजोहरणं । અર્થ- મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરીને તે ફરી મુખ પર બાંધીને પછી રજોહરણની પ્રતિલેખના કરે. (૫) દેરાવાસી વિજયસેનસૂરિ પોતાની “હિત શિક્ષા પૃ.૩૮માં લખે છે કે
મુખ બાંધે તે મુખપતિ, હેઠે પાટો ધાર, અતિ હેઠે દાઢી થઈ, જોતર ગલે નિવાર. ૧ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org