SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ પ૩ રાજપ્રશ્નીય સૂત્રમાં ૧૦૮ મૂર્તિઓનું વર્ણન છે પણ તેના નામોનું કોઈ વર્ણન નથી આપ્યું. પરંતુ તેમાં એક સ્તૂપની ચારે તરફ ચાર મૂર્તિઓનો જે પ્રશ્નગત પાઠ છે તે એવી જ ચોરીઓનો પાઠ છે અને તેમાં જ વર્તમાનના ચાર તીર્થકરોનાં નામ જોડી દેવામાં આવ્યા છે. આ વાતનું સ્પષ્ટીકરણ રાયપૂસણીય સૂત્રના સારાંશના શિક્ષા અને જ્ઞાતવ્ય વિભાગના ક્રમાંક નં.૧૩ પર છે. જુઓ કથાશાસ્ત્ર ખંડ-૧. જિલ્લશ :- દેવલોકની આ મૂર્તિઓના સ્થાનને જિનાલય કેમ કહેવામાં આવ્યું છે ? જ્ઞાનચંદઃ- જે રીતે ચૈત્ય શબ્દના ઘણાં અર્થો થાય છે એજ રીતે જિન શબ્દના પણ અનેક અર્થ થાય છે. જેથી જિન શબ્દમાં અનેક જાતિના દેવતાઓનો પણ સમાવેશ થઈ જાય છે. મુખ્ય વાત તો એ છે કે આ શાશ્વત સ્થાનોને જિનાલય કહો કે સિદ્ધાયતન કહો, આ કોઈ વ્યક્તિ વિશેષના હોતા નથી અથવા ક્યારેય કોઈના દ્વારા બનાવેલા નથી હોતા, એટલે આ સ્થાનોને સંસારના કોઈપણ મુક્તગામી તીર્થકર આદિ સાથે જોડવામાં અજ્ઞાનતા જ ભાસે છે. જિગ્નેશ :- “જિન”ના અનેક અર્થ થાય છે. પરંતુ સિદ્ધ ના તો અનેક અર્થ ન હોઈ શકે. તો એ અનેક શાશ્વત સ્થાનોમાં સિદ્ધાયતનોનું વર્ણન કેમ આવે છે? જેમ કેદેવલોકમાં, પર્વત પર, કૂટો પર અને તિછલોકમાં અનેક જગ્યા! જ્ઞાનચંદ – જે સંપૂર્ણ કર્મ ક્ષય કરીને મુક્ત થઈ ગયા છે, તેને સિદ્ધ કહેવામાં આવે છે, આવા બધા સિદ્ધ સાદિ અનંત હોય છે. પ્રત્યેક સિદ્ધની આદિ-શરૂઆત હોય છે. જ્યારે સિદ્ધાયતનોમાં વર્ણવેલ મૂર્તિઓ તો અનાદિ છે. એટલે તે કોઈપણ સિદ્ધ થયેલ વ્યક્તિની ન હોઈ શકે તે નિશ્ચિત છે. એટલે શાશ્વત સ્થાનોમાં મૂર્તિઓ કે સિદ્વાયતનનું હોવું અસંગત છે. અર્થાત્ શાશ્વત સ્થાનોમાં કોઈપણ વ્યક્તિની મૂર્તિ અને તેનું મંદિર તો હોઈ જ ન શકે. કેમ કે કોઈપણ પ્રસિદ્ધ વ્યક્તિ અનાદિ ન હોઈ શકે જ્યારે મૂર્તિઓ અને સિદ્ધાયતન અનાદિ છે એટલે વ્યક્તિ વગરની મૂર્તિ અને સિદ્ધાયતને એ તો આકાશ કુસુમવત્ જ, નિરર્થક ઠરે છે. વાસ્તવમાં શાશ્વત સ્થાનો અને સિદ્ધાયતનનો પરસ્પર કોઈ તાલમેલ નથી બેસતો. એટલે આ બધા સિદ્ધાયતન અને તેના દેખાડેલા આડંબર, પૂજા વગેરે વર્ણનો ક્યારેક મધ્યકાળમાં સૂત્રોમાં પ્રક્ષિપ્ત કરવામાં આવેલ છે. વિશેષ જ્ઞાન માટે આગમ સારાંશ ખંડ-૭માં જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના સારાંશ પછી પરિશિષ્ટ-૧ જોઈ લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy