________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
માટે બહુમત કે વ્યાપકતાના ચક્કરમાં પડયા વગર ઊંડા આગમ અનુભવથી જ ધર્મનું મૂલ્યાંકન કરવું જોઈએ.
પર
મંદિર માર્ગીઓના આ બે સૂત્રો સિવાય બીજા ઘણા એવા ગ્રંથો છે, જેમાં એવી અનેક શિક્ષાની અને બીજી પણ મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે, યથા— ધર્મદાસગણિની ‘ઉપદેશમાલા' તથા હરિભદ્રસૂરિના કેટલાક ગ્રંથો વગેરે વગેરે. જિજ્ઞેશ :— ‘ચૈત્ય’ શબ્દ તો શાસ્ત્રમાં કેટલીયે જગ્યાએ આવે છે, તેનો અર્થ તો મૂર્તિ મંદિર જ થાય છે ને ? જ્ઞાનચંદ :- એક શબ્દના અનેક અર્થ પણ થાય છે. જેમ કે સેંધવ’ શબ્દનો અર્થ ઘોડો અને નમક બંને થાય છે. એજ રીતે ચૈત્ય’ શબ્દના પણ સો થી વધારે અર્થ શબ્દકોષમાં બતાવ્યા છે અને જૈનાગમોમાં પણ 'ચૈત્ય' શબ્દના ઘણાં અર્થ ઉપલબ્ધ છે. જેમ કે બધા તીર્થંકરોના ચૈત્યવૃક્ષ કહ્યાં છે, જે કેવળજ્ઞાન ઉત્પત્તિ થયાના વૃક્ષ છે. જ્યારે તીર્થંકરોને તિક્ષુત્તોના પાઠથી વંદન કરવામાં આવે છે ત્યારે ત્યાં ગુણગ્રામ કરતા કહેવાય છે કે આપ ચૈત્યવાન છો અર્થાત્ જ્ઞાનવાન અથવા સંયમવાન છો, અહીં જ્ઞાન અથવા સંયમ અર્થમાં ચૈત્ય શબ્દનો પ્રયોગ થયો છે. એમ જ, ક્યાંક બગીચા માટે પણ શાસ્ત્રોમાં ચૈત્ય શબ્દ વપરાયો છે. ઉપાસકદશામાં તીર્થંકરોના સાધુઓ માટે ચૈત્ય શબ્દનો ઉપયોગ થયો છે. ત્યાં કહેવાયું છે કે આનંદ શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે અન્યતીર્થિઓના ધર્મને અંગીકાર કરનારા ભૂતપૂર્વ જૈન ચૈત્યોને એટલ કે સાધુઓને પણ હું આદર કે વંદનાદિ નહીં કરું તથા તેમની સાથે વાર્તાલાપ પણ નહીં કરું. આ રીતે ‘ચૈત્ય' શબ્દ અનેક અર્થોમાં આગમોમાં પ્રયુક્ત થયો છે અને ઘણી જગ્યાએ સ્વાર્થવશ મંદિર ધર્મવાળાઓએ કંઇક પ્રક્ષિપ્ત કરીને ચૈત્ય શબ્દવાળા પાઠોને વિકૃત બનાવી દીધા છે. જૂની પ્રતો સાથે મેળવવાં જઈએ તો કેટલીયે જગ્યાએ તેમના આવા કુકૃત્યોનો પર્દાફાશ થઈ જાય છે. તેમ છતાં આ લોકો ખૂબ શાનથી કહ્યાં કરે છે કે શાસ્ત્રમાં એક અક્ષર પણ આઘો-પાછો કરવામાં મહાપાપ છે, જે અનંત સંસારને વધારે છે. પરંતુ આ વાત ફક્ત બીજાને શિખામણ દેવા માટે જ છે. તે પણ એટલા માટે કે જેથી તેમના વિકૃત કરાયેલા પાઠોને કોઈ સુધારે નહીં. જિજ્ઞેશ ઃ- રાજપ્રશ્નીય સૂત્રના સૂર્યાભ વર્ણનમાં દેવલોકમાં ભગવાન મહાવીર અને ૠષભદેવ ભગવાનની મૂર્તિઓ છે ને ?
જ્ઞાનચંદ :– ઉપર બતાવી દેવાયું છે કે દેવલોકની મૂર્તિઓ અનાદિ છે, જે ક્યારેય કોઈના પણ દ્વારા બનાવેલ નથી હોતી અને તે કોઈપણ વ્યક્તિ કે તીર્થંકરની ન હોઈ શકે. ઋષભ અને મહાવીર તો આ અવસર્પિણીમાં થયા છે. જ્યારે દેવલોક અને તેની મૂર્તિઓ તો અનંત-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળચક્રથી શાશ્વત બનેલ છે. તો તેમાં ભગવાન મહાવીર કે ઋષભ કેવી રીતે પ્રવેશી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org