SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૪૯ મહાવ્રતનો નાશક છે. જિગ્નેશ – ઉપાશ્રય કે સ્થાનક બનાવવામાં પણ પાપ તો થાય છે તેમજ સાધુઓની ગમનાગમન વગેરે ક્રિયાઓમાં પણ પાપ તો થાય જ છે ને? જ્ઞાનચંદ – ઉપાશ્રય અને સ્થાનક બાંધવામાં પાપ છે અને તેને પાપ જ સમજવામાં આવે છે, તેનાથી મોક્ષ મળે તેમ ન કહી શકાય અને ઉપાશ્રયનું વર્ણન તો આગમોક્ત શ્રાવકોના જીવનની સાથે આગમોમાં પણ મળે છે. જેમ કે આદર્શ શ્રાવક પોતાની પૌષધશાળામાં જઈને પૌષધ કરતા હતા. અનેક શ્રાવકોની વ્યક્તિગત પૌષધ-શાળાનું શાસ્ત્રોક્ત વર્ણન પણ છે અને એ તો પોતાના મકાનની જેમ રહેવાનું આવશ્યક અંગ માનવામાં આવ્યું છે. પરંતુ તે આદર્શ શ્રાવકોના પૌષધ કે ધર્મ કરવા માટે મંદિર હતા અને તેઓ ત્યાં જઈ પૂજા કરતા, તેવું વર્ણન કોઈપણ શાસ્ત્રોમાં નથી. એટલે પૌષધશાળા કહો કે ઉપાશ્રય અથવા સ્થાનક બધા એકાર્થ પર્યાયવાચક શબ્દો છે. મંદિર સાથે તેની તુલના કરવી કે જોડવું એ મહત્વપૂર્ણ નથી. - સાધુઓની ગમનાગમન વગેરે ક્રિયા પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એ આવશ્યક ક્રિયાઓ છે. તેનો આગમમાં એકાંત નિષેધ નથી. તેમ છતાં તે ક્રિયા કરતા શ્રમણો પાપ કર્મોનો બંધ કરતા નથી, એવું સ્પષ્ટીકરણ દશવૈકાલિક સૂત્રમાં કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ગમનાગમન વગેરે ક્રિયાઓ સાધુઓએ યતનાપૂર્વક કરવી જોઈએ, તેવી ભગવદ આજ્ઞા છે. તેની અત્યાવશ્યક અને અત્યલ્પ વાયુકાયિક હિંસાને મૂર્તિપૂજાના અને મંદિરના અનાવશ્યક પાપની સમકક્ષ જોડવું તે સમજદારી નથી. આ પ્રકારે આગમોથી અને સિદ્ધાંતોથી મૂર્તિપૂજા અને મંદિર ધર્મની સત્યતા અને પ્રાચીનતા સિદ્ધ થતી નથી. એવી સ્થિતિમાં મૂર્તિપૂજકો દ્વારા પોતાના અભિનિવેષને પુષ્ટ કરવા માટે કેટલીય કલ્પિત કથાઓ જોડવામાં આવી, ઇતિહાસના બહાને ઢંગ-ઘડા વગરની મંદિર અને મૂર્તિઓની જોડી-જોડીને વાતો લખવામાં આવી. એવી જોડી કાઢેલી વાતમાં સત્ય મહાવ્રતનું પણ દેવાળું કાઢવામાં આવ્યું અર્થાત્ જે શ્રેણિક રાજા વગેરે કેટલીય વ્યક્તિઓનો શાસ્ત્રમાં વર્ણન મુજબ મંદિર મૂર્તિ વગેરે સાથે સંબંધ નથી, ત્યાં ગણિ ગણાય નહીં એટલી મૂર્તિ સંબંધી વાતો જોડી દેવામાં આવી. કેટલાય ખોટા શિલાલેખ બનાવવાનું પાપ પણ કરવું પડ્યું અને તેને ખોદી ખોદીને બહાર કાઢયાનું બતાવી પોતાના મનને ખોટા ઇતિહાસોથી જ સંતુષ્ટ કરવા લાગ્યા. જિજ્ઞેશ – આવો ખોટો જૈન ધર્મ ક્યારે ચાલ્યો કોણે ચલાવ્યો? જ્ઞાનચંદ :- ઉપરોક્ત દિગંબર ધર્મની જેમ કોઈ વ્યક્તિએ કોઈ આગ્રહ વશ આ મંદિરનો ધર્મ નથી ચલાવ્યો. પરંતુ ધીમે ધીમે દેખાદેખી-ગાડરિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy