SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : = જ હાથમાં આવ્યો છે. પછી શું જોઈએ ? જાણે કે— મિલ ગયા ચાલુ ળા તોડા, घटे फिर लगाम और घोड़ा । મૂર્તિપૂજા ધર્મ જૈન સિદ્ધાંતોથી વિપરીત ધર્મ છે. તેમાં અનાવશ્યક હિંસા કૃત્યોની ધર્મના નામે પ્રેરણા મળે છે. પર્યુષણ જેવા અને સંવત્સરી જેવા, મહાન ધાર્મિક, અહિંસક પર્વના દિવસોમાં પણ હજારો લાખો ફૂલોથી અનંત જીવોની ઘાત ફક્ત ધર્મના નામે જ થાય છે. સેંકડો હજારો બલ્બ, દિપક જલાવીને અગ્નિકાયની તથા મચ્છર, પતંગિયા વિ. જીવોની હિંસા કરવામાં આવે છે. હજારો લાખો ઘડા પાણી ઢોળવામાં પણ ધર્મ માનવામાં આવે છે. સાથે સાથે નૃત્ય, ગાન, વાદન વગેરે ઇન્દ્રિયોના પોષણ અને જીવ જંતુઓના ઘમસાણ કરીને ધર્મ માનવામાં આવે છે ! અને તેમ છતાં ય ત્યાં અહિંસા પરમો ધર્મની જય બોલાય છે. મૂર્તિપૂજક સાધુ પણ તે પાપ કાર્યના પ્રેરક તથા અનુમોદક હોય છે. ત્યારે વિચારો કે તેમના ત્રણ કરણ, ત્રણ યોગવાળા પહેલા મહાવ્રતનું શું ? આ લોકો અતિશયોક્તિવશ એમ પણ વિચાર્યા વગર લખી નાખે છે કે એક મંદિર બાંધનારાને કે એક મંદિરનો પાયો કે તેમાં એક ઈંટ નાખનારાને અથવા અમુક પર્વત પર ચઢનારાને એક ભવમાં મોક્ષ મળે છે.’ આવી પ્રરૂપણા કરનારાને પૂછવામાં આવે કે આટલો સસ્તો મોક્ષ મળે તો પૈસાવાળા કે રાજા મહારાજા આટલો કષ્ટદાયક સંયમ શા માટે સ્વીકારે ? તેના બદલે એકાદ મંદિર બંધાવી મોક્ષ કેમ ન મેળવી લે ! અને જે ગરીબ હોય તે દેરાસરના પાયામાં એકાદી ઈટ રાખી એક ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે. પછી તો આટલી બધી ક્રિયાઓ કે નિયમોમાં, વ્રતોની કે તે નિમિત્તે થનારા કષ્ટોની શી જરૂર છે ? પરંતુ એવું સંભવ નથી; આ તો ફક્ત ભોળા લોકોને ભ્રમિત કરવા માટે કરાયેલી ખોટી પ્રરૂપણા છે. સાર એટલો જ છે કે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં કેટલાય લોકો ધર્મ અને મોક્ષને માટે છકાયના જીવોની હિંસા કર્યા કરે છે. પરંતુ એ હિંસા તેમના માટે અહિતકારક હોય છે અને તેમને બોધિ પ્રાપ્તિ દુર્લભ થાય છે. અર્થાત્ કોઈપણ પ્રકારે, કોઈપણ ઉદ્દેશ્યથી કરવામાં આવેલ હિંસા અહિતકારક તો હોય છે પરંતુ ધર્મ અને મોક્ષ હોય તેવી બુદ્ધિથી જે હિંસાની પ્રવૃત્તિઓની વૃદ્ધિ કરે તો ભવિષ્યમાં તેમને માટે ધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ બને છે. આવું કથન અનેક વખત અલગ-અલગ પ્રસંગોમાં આચારાંગ સૂત્રના એક જ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણે જૈન ધર્મમાં મંદિર અને મૂર્તિપૂજાનો ધર્મ પ્રાચીન આગમ કાલથી કે આગમ સમ્મત નથી પરંતુ આગમ વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ અને સંયમ વિરુદ્ધ તથા અહિંસા સિદ્ધાંતની વિરુદ્ધમાં છે. સાથે સાથે સાધુઓના અહિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy