SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૪ વ્યક્તિગત પૌષધશાળાઓનું વર્ણન છે, પરંતુ ક્યાંય પણ તેમાં મૂર્તિ પૂજન કરવાના નિયમનું કે મૂર્તિ પૂજા રોજ કરતા હતા તેવું અથવા તેઓએ મંદિર બાંધ્યા કે તેના પૂર્વજોએ બંધાવ્યા અને તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો વગેરે કોઈપણ બાબતોનું વર્ણન નથી. અન્ય આગમોમાં પણ અનેક શ્રાવકો અને ભગવાનના ઉપાસકોનું વર્ણન છે. તેમાં પણ ક્યાંય તીર્થકરોની મૂર્તિ પૂજનનું વર્ણન નથી. પરંતુ મૂર્તિપૂજકોને કોઈપણ આગમ વર્ણિત શ્રાવક જીવનમાં આવું વર્ણન ન મળતાં; ભોગના નિયાણા કરેલ અને તે નિયાણાથી અભિભૂત બનેલ મિથ્યાદષ્ટિ અવસ્થામાં રહેલી દ્રૌપદી દ્વારા લગ્નના પ્રસંગે કામદેવની મૂર્તિ પૂજા કરતા હોવાનો પાઠ આગળ ધરીને સંતોષ માનવો પડે છે. પણ કોઈ સંપત્તિશાળી શ્રાવકના કે જેની રાજાના મંદિર કે મૂર્તિઓના ઢગલા છે તેવા વર્ણનો આગમમાંથી તેઓ બતાવી ન શકે ! ભગવાનના સમયમાં કે ગૌતમ સ્વામીના ઉપદેશમાં આટલા ગામોમાં આટલા જિનમંદિરો બન્યા, આટલાનો જીર્ણોદ્ધાર થયો, એવો આછો ઇશારો પણ આગમોમાં જ્યારે આ લોકોને ન મળી શક્યો ત્યારે આ મૂર્તિપૂજક લોકો શાશ્વત સ્થાનો, પર્વતો અને દેવલોકના વર્ણનને આગળ કરીને સંતોષ માને છે, જ્યારે શાશ્વત મૂર્તિઓ કોઈ વ્યક્તિ વિશેષની હોઈ શકે કેમ કે વ્યક્તિ તો અશાશ્વત છે અને તે મૂર્તિઓ શાશ્વત છે, વળી વ્યક્તિની મૂર્તિ તો ક્યારેય પણ બની શકે જ્યારે શાશ્વત મૂર્તિઓ કોઈએ બનાવેલ નથી તેમ સૂત્રમાં કહ્યું છે. તો જો કોઈએ આ મૂર્તિઓ બનાવી નથી, કોઈ વ્યક્તિ વિશેષની નથી તો તે તીર્થકરની મૂર્તિ હોઈ જ ન શકે! અને જો તીર્થકરની મૂર્તિ ન હોય તો તેની તથા મૂર્તિની પૂજા કરવાથી જૈન ધર્મનો કોઈ સંબંધ જ ન હોઈ શકે અને જ્યાં તીર્થકર અને જૈન ધર્મ સંબંધી કોઈ વાત જ ન હોય ત્યાં તીર્થકરોના ગુણોવાળા ણમોત્થણના પાઠની શી લેવા દેવા? અર્થાત્ એ શાશ્વત મૂર્તિઓનો તીર્થકર, કે તીર્થકર ધર્મ તથા ણમોણથી કોઈ સંબંધ ન હોઈ શકે. તેથી એ મૂર્તિઓનું પૂજન જન્મ સમયે કરવાનો દેવોનો જીતાચાર-લૌકિકકૃત્ય જ છે. એ લૌકિક કૃત્યમાં તે દેવો શાશ્વત મૂર્તિઓ સિવાય દેવલોકના બધા સ્થાનો, દિવાલો, દરવાજાઓ, વાવો વગેરેની પણ પૂજન વિધિ કરે છે. પછી તે સમ્યમ્ દષ્ટિ હોય કે મિથ્યાદષ્ટિ! લૌકિક કૃત્ય કરવામાં તેઓ સ્વતંત્ર છે, જ્યાં સુધી કે તે લોક વ્યવહારમાં હોય છે. યથા– અહેવક શ્રાવકની ધર્મ શ્રદ્ધાને દેવો પણ વિચલિત ન્હોતા કરી શક્યા તેમ છતાં લૌકિક કૃત્યના સ્થાને તે અઈનક શ્રાવકે પણ યાત્રાની પૂર્વે વહાણની પૂજન વિધિ કરી હતી, એવું જ્ઞાતા સૂત્રમાં વર્ણન છે. આ પ્રકારે આગમોમાં શ્રાવકોના ઘણા બધા વર્ણનોમાં ક્યાંય પણ મંદિર બનાવવા સંબંધી અને તીર્થકરની મૂર્તિની પૂજા કરવા વગેરે બાબતોનું વર્ણન નથી મળતું તેથી આ મૂર્તિપૂજકોને મિથ્યાષ્ટિ દ્રૌપદી અને દેવોના જીતાચારનો પાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy