________________
૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
માટે સાધુએ વસ્ત્ર રાખવા જોઈએ નહીં', આમ કહી તેમણે પોતાના તમામ વસ્ત્રો ઉતારી નાખ્યા અને નગ્ન અવસ્થામાં ચાલવા માંડ્યા. આ રીતે ધર્મમાં એકાંત નગ્નત્વની પ્રરૂપણા શરૂ કરી. તેમની સાધ્વી બનેલ બહેન પણ તેમના પક્ષમાં આવીને નગ્ન રહેવા લાગી પરંતુ તે લાંબા સમય સુધી નિર્વસ્ત્ર ન રહી શકી. એટલે શિવભૂતિએ બે પ્રરૂપણા શરૂ કરી– (૧) વસ્ત્ર સહિત મુક્તિ નથી અને (ર) સ્ત્રીને સંયમ અને મોક્ષ નથી મળતો અને જ્યારે આગામોમાંથી આ સિદ્ધાંતોનું ખંડન થવા લાગ્યું અને પોતાનો આગ્રહ અપ્રમાણિક થવા લાગ્યો ત્યારે આ શાસ્ત્રોને જ ખોટા અને કલ્પિત ગણાવીને શિવભૂતિએ નવા જ ગ્રંથોની રચના પોતાની મરજી પ્રમાણે કરી નાખી. આ રીતે દિગંબર ધર્મની શરૂઆત થઈ. તે સમયે ગ્રંથોની રચના મૌખિક જ શિષ્ય પ્રશિષ્યોમાં ચાલતી હતી. શ્વેતાંબર આગમ લેખન પછી વીર નિર્વાણ સંવત્ ૧000માં કુંદકુંદાચાર્યે દિગંબર ગ્રંથોની લિખિત રચના કરી.
છિછછછુ મૂર્તિપૂજક ધર્મ વાર્તા @િ®®Dિ, જિજ્ઞેશ – જૈન ધર્મમાં મંદિર અને મૂર્તિપૂજા કેટલા પ્રાચીન છે? શું તીર્થકરોના સમયમાં પણ તેમના મંદિર તથા તેમની પૂજા કરવામાં આવતી હતી? જ્ઞાનચંદ – કોઈ પણ વ્યક્તિના માતા-પિતા હયાત હોય અને પરસ્પર બહુજ પ્રેમ ભક્તિ હોય તો પણ પુત્ર-પિતાની મૂર્તિ બનાવી રોજ તેમની પૂજા નથી કરતો અને પિતા પણ પુત્રને કહેતા નથી કે દિકરા રોજ ઉઠીને પહેલા મારી મૂર્તિની પૂજા કરી વાસ્તવમાં આવું સંભવી શકે નહીં. એટલે ભગવાનની ઉપસ્થિતિમાં તો તેમનું મંદિર અને તેની મૂર્તિ પૂજા હતાં જ નહિ અર્થાત્ અમૂર્તિપૂજક ધર્મ જ ત્યારે હતો.
આગમોમાં કોણિકની ભગવાન મહાવીર પ્રત્યેની અત્યધિક ભક્તિનું વર્ણન છે, તેના કેટલાય સંદેશવાહક હતા, જે ભગવાનની નિત્ય ખબર લઈ તેનો સંદેશો કોણિકને પહોંચાડતા હતા. આ ભક્તિ વર્ણનની સાથે ક્યાંય પણ એવું વર્ણન નથી મળતું કે તે નિત્ય ભગવાનની મૂર્તિની પૂજા કરતા હતા. કોણિકનું ઘરમાં બેઠા બેઠા પ્રભુને વંદન કરવાનું વર્ણન છે પણ ત્યાંય મૂર્તિનું નામનિશાન નથી ! કોણિકની અપાર રાજ્યઋદ્ધિ સંપદાનું વિસ્તૃત વર્ણન આગમમાં છે પરંતુ ત્યાં ક્યાંય મંદિર કે સેંકડો જિનાલય તેણે બંધાવ્યા એવું વર્ણન નથી.
ઉપાસકદશાસૂત્રમાં દસ શ્રાવકોની ગૃહસંપદાનું વિસ્તૃત વર્ણન છે. શ્રાવકના અનેક ગુણો, કર્તવ્યો, ક્રિયા કલાપોનું વર્ણન છે, નિયમ વ્રતોનું વર્ણન છે, તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org