SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીતા પ્રાચીન ધર્મ કયો છે? જ્ઞાનચંદ :– આપણા અનેક આગમોમાં શ્વેતાંબર(વસ્ત્રધારી) અને દિગંબર (નિર્વસ્ત્ર) શ્રમણ, તેમ બંને પ્રકારના શ્રમણો થયા હોય તેવું સ્પષ્ટ વર્ણન કેટલીક જગ્યાએ આવે છે. એટલે આપણા શ્વેતાંબર આગમ અનુસાર તો બંને પ્રકારનો ધર્મ તથા સાધુ જીવન તીર્થકર પ્રભુની આજ્ઞામાં છે. પરંતુ વર્તમાનમાં દિગંબર કહેવાતાં કેટલાક એકાંતિક આગ્રહો અચિત છે અને તે કસોટી પર ખરા ઉતરતા નથી. તે કેટલાક એકાંતિક આગ્રહો આ પ્રમાણે છે– (૧) વસ્ત્ર સહિતનો મોક્ષ થતો નથી, તે પણ એટલે સુધી કે સૂતરનો એક તાર પણ કોઈ પાસે હોય તો તે મુક્ત થતો નથી (૨) આગમો બધા વિચ્છેદ ગયા છે (૩) ભોજન સંબંધી કેટલાય પ્રકારના શુચિ ધર્મીપણાના આગ્રહોના સ્પષ્ટીકરણ આગળ આ જ પ્રકરણમાં છે (૪) સ્ત્રીને સંયમ કે મોક્ષ પ્રાપ્ત નથી થતો. વિચારણા :- (૧) દિગમ્બરોના માન્ય ગ્રંથમાં ૧૫ ભેદે સિદ્ધમાં “સ્ત્રી લિંગ સિદ્ધા” માન્ય કરેલ છે. તે સ્ત્રીલિંગ ત્યારે જ હોય શકે– કાં તો સ્ત્રીનું શરીર હોય અથવા સ્ત્રી વેશના કપડા પહેર્યા હોય. આ બંને અવસ્થામાં સિદ્ધ થવા પર ઉક્ત આગ્રહ નં.-૧ અને ૪નું સ્વતઃ ખંડન થઈ જાય છે. આ પ્રમાણે નવા આગમ બનાવ્યા પછી પણ તેઓ પોતાના દુરાગ્રહની રક્ષા કરી શક્યા નથી; આ જ છઘ દોષનું પરિણામ છે. (૨) એક હજાર વર્ષ સુધી પૂર્વજ્ઞાન તથા એકવીસ હજાર વર્ષ સુધી બીજા આગમ જ્ઞાન રહેશે તેવું ભગવતી સૂત્રમાં જણાવ્યું છે, માટે આગમ વિચ્છેદવાની વાત પણ અસંગત છે. તર્ક- ઉપલબ્ધ ભગવતી આદિ બધા આગમ નવા બનાવેલ છે, ગણધર રચિત તો બધા નષ્ટ થઈ ગયા છે, તો તેમાં કહેલ વાતની પ્રમાણિકતા શું? સમાધાન– પહેલી વાત એ કે કંઠસ્થ પરંપરામાં આટલું જલ્દી બધા આગમ જ્ઞાનનું નષ્ટ થવું સંભવ જ નથી. તેમ છતાં જે સમયે બધા આગમ નષ્ટ થઈ ગયા હતાં તો બચ્યું શું હતું? કાંઈ નહીં ! તો એ સમયના બધા શ્રમણ-શ્રમણીઓ અજ્ઞાની થઈ ગયાં હતાં? અગિયાર અંગ કે દષ્ટિવાદ કાંઈ બચ્યું નહોતું? તો એ સમયે જેણે પણ દિગંબર હોવાનો આગ્રહ ચલાવ્યો અથવા દિગંબરના નવા શાસ્ત્રો રચ્યાં તે શ્રમણ શું આગમ જ્ઞાન રહિત અજ્ઞાની હતાં? તો પછી એ અજ્ઞાનીએ બનાવેલ ગ્રંથ કે ચલાવેલ ધર્મનો શો વિશ્વાસ? વળી જો એમ કહીએ કે એ દિગંબર સંતને પૂર્વોનું જ્ઞાન હતું તો એ પણ અસંગત કથન છે. કેમ કે આચારાંગ વગેરે બધા જ મૌખિક અંગ શાસ્ત્ર જ્ઞાનનો વિચ્છેદ થઈ જાય તો પૂર્વજ્ઞાન રહેવાનો સવાલ જ નથી થતો. પહેલાં પૂર્વ જ્ઞાન જ નષ્ટ થાય પછી અંગોનું જ્ઞાન તો ઘણાં સમય સુધી ચાલે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy