________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૪૧
ગાથાઓ અને ચૂલિકાઓને માટે સમાન જ છે. એટલે અસ્વાધ્યાય કે અકાળમાં તેનો સ્વાધ્યાય કરવો તે સર્વથા અનુચિત જ છે અને એવું કરવાથી, નિશીથ ઉ. ૧૯ ના અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. વિશેષ માટે જુઓ– અગત્સ્ય ચૂર્ણિ.
છે ગ્રંથોના વાંચનની વાત છે છે – જિગ્નેશ – ગ્રંથોમાં ઈતિહાસમાં અમાન્ય કે અસત્ય તત્ત્વો આવે છે માટે તેનું અધ્યયન કરવું જોઈએ નહીં અને તે ગ્રંથોમાની કોઈપણ વાતનો સ્વીકાર કરવો જોઈએ નહીં. ફક્ત આગમો જ વાંચવા જોઈએ અને તેમાં આવતા તત્ત્વોને જ માનવા જોઈએ. ત્યારે તો દેવર્તિગણિના સાનિધ્યમાં શાસ્ત્રોનું વ્યવસ્થિત લેખન કરવામાં આવ્યું હતું તેમ પણ ન માનવું જોઈએ કેમ કે તે પણ ઈતિહાસના ગ્રંથોનું જ વર્ણન છે !! જ્ઞાનચંદ - સામાન્ય સાધુનું પ્રત્યેક અધ્યયન ગુરુ આજ્ઞા તથા ગુરુ નિશ્રાથી થાય છે. વિશિષ્ટ પ્રજ્ઞાવાન વિચક્ષણ વિવેક બુદ્ધિવાળા શ્રમણ પ્રત્યેક આગમ ગ્રંથ, વ્યાખ્યા, નિબંધ ઈતિહાસ વગેરેના અધ્યયનથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કોઈ વ્યક્તિના બધા વચનો, બધી રચનાઓ પૂર્ણ અપ્રમાણિક નથી હોતી અને કોઈપણ ગ્રંથના બધા વાક્યો, બધા તત્ત્વો અસત્ય થઈ જતાં નથી. પૂર્ણ પ્રમાણિકતા તો સર્વજ્ઞોની જ છે. તેમ છતાં છવાસ્થોની સંગતિ, સેવા, પ્રવચન શ્રવણ તથા ધર્મલાભ પોતાના ક્ષયોપશમ અનુસાર લેવાનો નિષેધ નથી કરી શકાતો કે આતો પૂર્ણ પ્રમાણિક પુરુષ નથી! એવું માનવાથી તો તીર્થકરોનું શાસન ક્યારનુંય છિન્ન-ભિન્ન થઈ ગયું હોત કે છાસ્થોની સંગતિ જ ન કરવી પરંતુ એવું થતું નથી. એટલે કોઈ પણ જૈન સાહિત્યમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે છાસ્થ શ્રમણો પાસેથી જ્ઞાનોપદેશ પ્રાપ્ત કરવાનું કે પછી વિશેષ પ્રમાણિક આગમોના આધારે ચિંતન કરવાનું, સત્ય તત્ત્વનો સ્વીકાર કરવાનું વગેરે ક્યારેય અનુચિત હોઈ શકે નહીં.
એટલે જે પણ પૂર્વાચાર્યોનું સંકલન, સંગ્રહ, ઇતિહાસ આદિ કોઈ પણ આગમ સિદ્ધાંત તર્ક કે વ્યવહાર આદિથી વિરૂદ્ધ ન હોય તો તેને ન માનવાની પ્રેરણા કરવી કદાપિ ઉચિત નથી.
એટલે દેવદ્ધિગણિના સાનિધ્યમાં આગમોનું વ્યવસ્થિત લેખન થયું. આ સંગત અને અવિરુદ્ધ તત્ત્વને ન માનવાનો કોઈપણ હેતુ નથી. આવા વ્યર્થ કુતર્ક - પણ ન કરવા જોઈએ.
િ | દિગમ્બર મત વાર્તા છે ? જિજ્ઞોશ - દિગમ્બર જૈન ધર્મ અને શ્વેતાબંર જૈન ધર્મમાં સાચો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org