SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત વાસ્તવમાં પ્રથમ ભદ્રબાહુ સ્વામી ત્રણ છેદ સૂત્રોના કર્તા અલગ છે. તે ૧૪ પૂર્વી હતાં અને વરાહમિહિરના ભાઈ નિયુક્તિ કર્તા તથા ભદ્રબાહુ સંહિતા બનાવનારા જ્યોતિષ વેત્તા ભદ્રબાહુ અલગ છે, જે વીર નિર્વાણ અગિયારમી સદીમાં થઈ ગયા. તેથી ઐતિહાસિક કેટલીય કથાઓ કલ્પિત છે, કેટલીક ભ્રમિત તથા કાળ દોષ અને નામ સામ્યતાને કારણે વિકૃત બની ગઈ છે. એટલે તેના સંબંધમાં ચિંતન અનુપ્રેક્ષણનું હંમેશાં સ્થાન રાખવું જોઈએ. પરંતુ કોઈ પણ ઘટનાના વિષયમાં અત્યંત આગ્રહ કે દુરાગ્રહ રાખવો જોઈએ નહીં. સાર એ છે કે ઉત્તરાધ્યયન સૂત્ર તથા દશવૈકાલિક સૂત્ર ૧૪ પૂર્વી શ્રી પ્રાચીન ભદ્રબાહુના સમયે તથા વ્યવહાર સૂત્રની રચનાના સમયે ઉપલબ્ધ ન હતા પણ પાછળથી તેમની રચના થઈ છે. એ જ વધારે સંગત લાગે છે. 0 0 0 નંદીસૂત્રની ગાથા સંબંધી વાર્તા | 0 2 જિશ – નદી સૂત્રની ૫૦ ગાથાઓ કોણે બનાવી છે ? જ્ઞાનચંદ –એ ગાથાઓમાં જે પચાસમી ગાથા છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ હું કાલિકશ્રુતના અનુયોગધરોને નમસ્કાર કરીને હવે જ્ઞાનની પ્રરૂપણા કરીશ. આ વાક્યથી એ ફલિત થાય છે કે નંદી સુત્રના જ્ઞાન વિષયની ગૂંથણી કરનારા શ્રતધર જ આ પ0 ગાથાઓના રચનાકાર છે. કેમ કે પચાસમી ગાથાની આ પ્રકારે ગુંથણી અન્ય કોઈ ન કરી શકે. તેથી આ પ૦ ગાથા પણ મૌલિક નદી સૂત્રનું જ એક અંગ છે એમ સમજવું જોઈએ. જિજ્ઞેશ:- કેટલીક પરંપરાઓમાં અકાળે અને અસઝાયના સમયે પણ નંદી સૂત્રની આ ૫૦ ગાથાઓનો તથા દશવૈકાલિકની બંને ચૂલિકાઓનો સ્વાધ્યાય કરવામાં આવે છે, તે ઉચિત છે? જ્ઞાનચંદ:- આ વિષયમાં એમ કહેવાય છે કે ઉક્ત ગાથાઓ અને ચૂલિકાઓ મૌલિક નથી. રચનાકાર સિવાય કોઈના દ્વારા બનાવીને જોડી દેવામાં આવી છે. પણ આવી માન્યતા ભ્રમિત અને અનુચિત છે. નંદીસૂત્ર તથા ૫૦ ગાથાના કર્તા દૂષ્યગણિના શિષ્ય દેવવાચક શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ છે અને દશવૈકાલિક સૂત્ર અને બંને ચૂલિકાના કર્તા આચાર્ય શäભવ છે, એવું દશવૈકાલિક ચૂર્ણિ કર્તા શ્રી અગત્સ્યસિંહ સૂરિએ માન્ય કરેલ છે. પરંતુ મહાવિદેહથી તેને લાવવા સંબંધી કલ્પનાનો લેશ માત્ર ઇશારો પણ તેમાં કર્યો નથી. પરિશિષ્ટ પર્વ અને આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથોમાં મહાવિદેહથી ચૂલિકા ૨ અથવા ૪ લાવવાનો ઉલ્લેખ છે, જે ઉક્ત અગત્સ્યચૂર્ણિ પછી ઘણા સમય બાદ રચાયેલાં ગ્રંથ છે. આ રીતે મૌલિક સૂત્રનું અંગ હોવાથી સ્વાધ્યાયના નિયમ નંદીસૂત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy