SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૩૯ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રનું જ સ્વરૂપ અને મહત્વ આજે ઉપલબ્ધ છે તે નિયુક્તિ ભાષ્યકારના સમયે પણ હતું. તે વ્યાખ્યા ગ્રંથોમાં જ્યાં સાધુના અધ્યયન ક્રમ સંબંધી કથન કરવામાં આવ્યું છે, ત્યાં વ્યાખ્યાકારોએ બતાવ્યું છે કે આચારાંગ નિશીથના અધ્યયન પૂર્વે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રનો અધ્યયન ક્રમ છે અને તેનાથી પૂર્વે આવશ્યક સૂત્રનો. તેથી આ વાત સ્પષ્ટ છે કે આ બંને સૂત્રો નવદીક્ષિત કેદીક્ષાર્થીના પ્રારંભિક અધ્યયનના ઉપયોગી સૂત્રો છે અને વ્યાખ્યાકારોએ તેને અધ્યયન ક્રમમાં નિયુક્ત પણ કરેલા છે. ભદ્રબાહુસ્વામી દ્વારા વ્યવહાર સૂત્રમાં જે અધ્યયન ક્રમ સૂચવેલો છે તેમાં આ ઉપયોગી કે અતિ ઉપયોગી સૂત્રોનું કથન કરવામાં આવ્યું નથી. તેનું કારણ એ જ હોઈ શકે કે આ બંને સૂત્ર વ્યવહાર સૂત્રની રચના પૂર્વે નહીં બન્યાં હોય. એમાં ઉત્તરાધ્યયનની નહીં બન્યાની વાત તો સમજાઈ ગઈ છે કે એને માટે કોઈ સૂત્રકર્તા આચાર્યનો નિર્દેશ ઇતિહાસમાં પણ નથી. પરંતુ દશવૈકાલિક સૂત્રના રચનાકારના રૂપમાં શÂભવાચાર્યનું નામ મળે છે કે જે ભદ્રબાહુ સ્વામી કરતાં ઘણાં સમય પહેલાં થઈ ગયા હતાં. આ પ્રકારે ઉપલબ્ધ વર્ણન ધારણા અનુસાર દશવૈકાલિક સૂત્ર ભદ્રબાહુના સમયે ઉપલબ્ધ હતું. તેમ છતાં આટલા ઉપયોગી અને પ્રચલિત સૂત્રનો તેમણે અધ્યયન ક્રમમાં ઉલ્લેખ નથી કર્યો, જ્યારે પોતાના બનાવેલા દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રને અધ્યયન ક્રમમાં રાખી દીધાં. અર્થાત્ પોતાના પૂર્વજ પ્રામાણ્ય પુરુષો દ્વારા રચિત આ મહત્વશીલ ઉપયોગી તથા પ્રચલિત દશવૈકાલિક સૂત્રને અધ્યયન ક્રમમાં નિયુક્ત ન કરવા પાછળ તેમનો આશય શો હોઈ શકે તે વિચારણીય પ્રશ્ન છે. આની વિચારણાથી જ એ ફલિત થાય છે કે ઉત્તરાધ્યયન સૂત્રની જેમજ દશવૈકાલિક સૂત્ર પણ ભદ્રબાહુ સ્વામી દ્વારા વ્યવહાર સૂત્રની રચના કર્યા પછી જ કોઈકે બનાવ્યું હશે પરંતુ કથાઓમાં ક્યારેક કોઈકે શય્યભવાચાર્યની સાથે સંબંધ જોડી દીધો હશે અથવા તો ભદ્રબાહુ પછી શäભવ નામના અન્ય કોઈ શ્રમણ થયા હોય જેણે દશવૈકાલિકની રચના કરી હોય અને તે ભદ્રબાહુની પૂર્વે થયેલા પ્રસિદ્ધ શય્યાવાચાર્યના નામ સાથે જોડાઈ ગઈ હોય. તેમ થવું અસંભવ પણ નથી કેમકે વીર નિર્વાણ અગિયારમી સદીમાં રચાયેલી નિયુક્તિઓ અને તેજ સદીમાં થઈ ગયેલ વરાહ મિહિર અને ભદ્રબાહુની કથા વીર નિર્વાણની ત્રીજી સદીમાં થયેલ ભદ્રબાહુના વર્ણન સાથે મિશ્રિત થઈને પ્રચારિત થઈ ગઈ અને અંતે દુરાગ્રહમાં પડી ગઈ. જેને આગમોદ્ધારક ધુરંધર વિદ્વાન શ્રી પુણ્યવિજયજી મંદિર માર્ગી અન્વેષક શ્રમણે પોતાની બૃહત્કલ્પ ભાષ્યની પ્રસ્તાવનામાં સ્વીકાર કરેલ છે કે આ રીતે નામની સમાનતાના કારણે અહીં-તહીંના કથાનક વર્ણન ઘટના મિશ્રિત થઈ ગયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy