________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
હોય. આ મંતવ્ય માટે જુઓ આચાર શાસ્ત્ર ખંડ–૩, પ્રશ્ન વ્યાકરણ સૂત્રની
પ્રસ્તાવના.
$ $ $
આવશ્યક સૂત્ર વાર્તા
જિજ્ઞેશ ઃ- આવશ્યક સૂત્રની રચના કોણે કરી ? તેને નંદી સૂત્રમાં શું અંગબાહ્ય સૂત્ર કહેવામાં આવ્યું છે ?
જ્ઞાનચંદ ઃ- આવશ્યક સૂત્રના સામાયિક આદિ છએ અધ્યયન ભગવાનના શાસનના બધા સાધુ-સાધ્વીને ઉભય કાળે કરવાના જરૂરી હોવાથી કંઠસ્થ હોવા
પણ ઘણા જ આવશ્યક હતા. આમાં સ્હેજ માત્ર પણ સંદેહ કરી શકાય તેમ નથી. એટલે પ્રારંભથી જ ગણધર દ્વારા આ સૂત્રની ગૂંથણી થઈ હશે, એ સ્વતઃ સ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે. તેના રચનાકાળ અંગે કોઈ પણ તર્ક-વિતર્કને સ્થાન નથી. અંતગડ સૂત્રમાં અણગારોના આગમ અધ્યયનનું વર્ણન છે તેમાં પણ અંગસૂત્રો ની પૂર્વે જ આવશ્યક સૂત્રના અધ્યયનનો સંકેત કરવામાં આવ્યો છે.
અતઃ અંગ બાહ્ય હોવા છતાં પણ આ સૂત્રને ગણધર કૃત જ માનવું આગમ સમ્મત છે. પ્રાચીન તથા અર્વાચીન બધા આચાર્યોએ આ સૂત્રનું પરિમાણ ૨૦૦ શ્લોક પ્રમાણ જ માન્યું છે. વાસ્તવમાં જે પણ મૌલિક પાઠો છે, તેની અક્ષર સંખ્યા ગણીને હિસાબ કરવાથી, આ પરિમાણ સત્ય સાબિત થાય છે. આજકાલ તેની સાથે હિન્દી, ગુજરાતી પાઠ ગદ્ય પદ્ય આદિ જોડીને તેને વિશાળ બનાવી દેવાયું છે. કોઈએ તેને એક હજાર શ્લોક પ્રમાણ બનાવ્યું છે, તો કોઈએ ૫૦૦૦ શ્લોક પ્રમાણ બનાવી દીધું છે. વળી કોઈએ પાક્ષિક સૂત્ર જુદું બનાવી રાખ્યું છે. કોઈએ બે પ્રતિક્રમણ અને કોઈએ પાંચ પ્રતિક્રમણ બનાવી દીધા છે. આવા બધાં પ્રતિક્રમણ કરતાં કોઈને એક કલાક તો કોઈને ૩-૪ કલાક પણ લાગે છે.
૩૦
纸 ઉત્તરાધ્યયન સૂત્ર વાર્તા
જિજ્ઞેશ :– ઉત્તરાધ્યયન સૂત્ર તો ભગવાન મહાવીરની અંતિમ દેશના છે. એને પ્રશ્નવ્યાકરણનું પૃથક્ થયેલું અંગ કેમ કહેવામાં આવ્યું છે ? જ્ઞાનચંદ :– વીર નિર્વાણ પછી સુધર્મા ગણધરે એક સાથે સૂત્રોમાં ઉપયોગી પરિવર્તન કર્યા હોય એવું માનવું ઉચિત છે, તો જ ભગવાનના શાસનકાળમાં થયેલાં શ્રમણોપાસક કે શ્રમણ શ્રમણીઓના જીવન વર્ણનો આ અંગ શાસ્ત્રોમાં આવી શક્યાં હોય. આવું ન કર્યું હોત અને દીક્ષા લીધાં પછી ગણધરોએ એક વાર જે દ્વાદશાંગીની રચના કરી તે સ્થાઈ રહી હોત, તો અર્જુનમાળી, આનંદ વગેરે શ્રાવકો, ગૌતમ ગણધરના મિત્ર ખંધક સન્યાસી, સૂર્યાભદેવ દ્વારા બતાવેલા નાટકો, ગૌતમસ્વામી દ્વારા કરવામાં આવેલ હજારો પ્રશ્ન, કોણિક, શ્રેણિક રાજા આદિ
Jain Education International
For Private & Personal Use Only
$ $ $$
www.jainelibrary.org