________________
૩૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
જ્ઞાનચંદ – દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના સમયમાં અથવા તો તેમના પછી જ્યારે પણ પ્રાચીન પ્રશ્ન વ્યાકરણમાંથી પ્રશ્ન વિદ્યાઓને કાઢી નાખવામાં આવી ત્યારે પણ કેટલાક શ્રમણો દ્વારા તે કંઠસ્થ પરંપરામાં પણ થોડી ઘણી ચાલુ રહી હશે. કાળાંતરે કોઈ શ્રમણે સ્મૃતિ અનુસાર યથાવિશેષ તે પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વિભાગને લિપિબદ્ધ કર્યો હશે. જે સ્વતંત્ર ગ્રંથના રૂપમાં લિપિબદ્ધ થતાં થતાં પરંપરા વડે ભંડારોમાં સુરક્ષિત રહી ગયો હશે. તેના ફળ સ્વરૂપે ગ્રંથ ભંડારોમાં તેની પ્રતો ઉપલબ્ધ થાય છે. જેસલમેરના ખરતરગચ્છની આચાર્ય શાખાના ભંડારમાં “જયપાહુડ પ્રશ્નવ્યાકરણ” નામના ગ્રંથની એક તાડપત્રીય પ્રત હતી જે સંવત ૧૩૩૬ ની ચૈત્ર વદ ૧ની લખેલી હતી. મુનિ શ્રી જિનવિજયજીએ તેને સંશોધિત સંપાદિત કરીને સંવત ૨૦૧પમાં સિંધી જૈન ગ્રંથમાલા’ના ગ્રંથાંક૪૩ના રૂપમાં પ્રકાશિત કરાવ્યું. તેની પ્રસ્તાવનામાં તેમણે આવો ભાવાંશ લખ્યો છે.
પ્રસ્તુત ગ્રંથ અજ્ઞાત તત્ત્વ અને ભાવોનું જ્ઞાન પ્રાપ્ત કરવા-કરાવવાનું વિશેષ રહસ્યમય શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જો કોઈ મનીષી કે વિદ્વાનને સારી રીતે આવડતું હોય તો તે તેના આધારે કોઈ પણ પ્રશ્નકર્તાના લાભાલાભ કે, શુભઅશુભ કે સુખ દુઃખ અને જીવન-મરણની વાતોના સંબંધમાં ઘણું જ નિશ્ચિત અને તથ્યપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.” મૂળ ગ્રંથકારે તો આ ગ્રંથનું “જય-પાહુડ'નામ રાખ્યું છે અને અંતમાં તેમણે પ્રશ્નવ્યાકરણ સમાપ્તમ્ લખ્યું છે. વ્યાખ્યાકારે પ્રારંભમાં આ પ્રમાણે લખ્યું છે– મહાવીર શિરસા પ્રખ્ય પ્રશ્નવ્યાજ શાસ્ત્ર વ્યોધ્યામાં અને અંતમાં લખ્યું છે–તિ જિનેન્દ્ર શત પ્રશ્ન ચૂડામણિ सार शास्त्रं समाप्तम् ॥
જિન રત્નકોષ'ના પૃ. ૧૭૩માં પણ આજ નામવાળી પ્રતનો ઉલ્લેખ છે તથા ત્યાં એ પણ સૂચિત કર્યું છે કે ખંભાતના શાંતિનાથ ભંડારમાં આ (જયપાહુડપ્રશ્નવ્યાકરણ) શાસ્ત્રની કેટલીક પ્રતો છે.
આ બધા ઉલ્લેખો તથા વિચારણાઓનો એ નિષ્કર્ષ નીકળે છે કે પ્રાચીન પ્રશ્ન વ્યાકરણ શાસ્ત્ર જુદા-જુદા ભાગોમાં વેચાઈને પૃથક પૃથક્ નામોવાળા શાસ્ત્રોમાં ફેરવાઈ ગયું. આજનું ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ એનો જ એક વિભાગ હોય એવું સંભવી શકે છે. આ પ્રમાણે પ્રાચીન પ્રશ્નવ્યાકરણ શાસ્ત્રના
સ્થાને આજે ચાર શાસ્ત્ર અવશેષ છે– (મુદ્રિત પણ છે) (૧) આશ્રવ સંવરમય પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) ઋષિ ભાષિત સૂત્ર (૪) જયપાહુડ પ્રશ્ન વ્યાકરણ. પ્રશ્નોત્તરમય રચનાઓના નામના સામ્યથી પણ પ્રશ્ન વ્યાકરણનો ભ્રમ થવો અને સંબંધિત થઈ જવું, એવી સંભાવના પણ હોઈ શકે. વાસ્તવમાં ગણધર રચિત પ્રશ્ન વ્યાકરણ એક જુદી જ કૃતિ રહી હશે, જે ધર્મકથામય વિષયોથી પરિપૂર્ણ હતી. અન્ય વિષયો સાથે તે કોઈ સંબંધ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org