________________
૩૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત
સાધુઓની રહેણી-કરણી પણ પહેલાં કે પછીથી કોઈ એકાંતિક ન હતી. આવા એકાંતવાદના કથનોની ઉચિત અનુચિતતા પણ આ પુસ્તકમાં આગળ સ્વતંત્ર નિબંધ દ્વારા વિચારવામાં આવેલ છે.
F GF નિશીથ સૂત્ર રચના વાર્તા I TO જિગ્નેશ – નિશીથ સૂત્રની ક્યારે અને કોણે રચના કરી? જ્ઞાનચંદ - દશાશ્રુત સ્કંધની નિયુક્તિની પ્રથમ ગાથાથી એ વાત સ્પષ્ટ થાય છે કે આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ ત્રણ છેદ સૂત્રોની રચના કરી હતી. નિશીથ સૂત્ર, આચારાંગ સૂત્રનું જ એક અધ્યયન છે. તેનું જ પૃથક કરેલું આ સૂત્ર છે, જેનું પ્રારંભિક નામ આચારાંગથી પૃથક કરેલ હોવાથી, “આચાર-પ્રકલ્પ' કહેવાયું. પાછળથી તેના મૌલિક નિશીથ અધ્યયન રૂપ નામથી, નિશીથસૂત્ર એવું નામ નિશ્ચિત કરાયું. અર્થાત્ “આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ જ્યારે ત્રણ છેદ સૂત્રોની રચના કરી, ત્યારે તે આચાર-પ્રકલ્પના નામે જ પ્રસિદ્ધ હતું. ત્યારપછી નંદી સૂત્ર રચનાના સમય સુધીમાં તેનું નિશીથ સૂત્ર એવું નામકરણ સ્થિર થઈ ગયું. એટલે ત્રણ છેદ સૂત્રોના પાઠોમાં તેનું નિશીથ નામ ઉપલબ્ધ નથી અને નંદી સૂત્રમાં તેનું આચાર-પ્રકલ્પ નામ નથી. આ વિષયના વિકલ્પો અને માન્યતાઓની વિસ્તૃત જાણકારી માટે છેદ શાસ્ત્ર ખંડ-૪માં નિશીથ સૂત્રનો સારાંશ જુઓ તથા આ પુસ્તકમાં આગળ સ્વતંત્ર નિબંધ પણ છે, તે જોઈ લેવો.
- A F પ્રજ્ઞવ્યાકરણ સૂત્ર વાર્તા | H IS જિજ્ઞેશ – ઉપલબ્ધ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર શું ગણધર રચિત છે? જ્ઞાનચંદ - નદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં પ્રશ્નવ્યાકરણ સૂત્રના વિષય વસ્તુનો પરિચય આપ્યો છે; ઠાણાંગ સૂત્રમાં તેના દસ અધ્યયન હોવાનું કથન કરવામાં આવ્યું છે. જેમાં ત્રીજા અધ્યયનનું નામ ઋષિ ભાષિત છે, ચોથું આચાર્ય ભાષિત તથા પાંચમું મહાવીર ભાષિત છે. બાકીના પાંચ અધ્યયન વિભિન્ન પ્રશ્ન વિદ્યા સંબંધી બતાવ્યાં છે. એ પાછલા પાંચ અધ્યયનના કારણે પ્રશ્નવ્યાકરણ સૂત્રનું મૂળથી પરિવર્તન કરવામાં આવ્યું છે તેવું મનાય છે. ઋષિ ભાષિત અધ્યયનના નામે અલગ સૂત્ર બની ગયું તથા આચાર્ય ભાષિત અને મહાવીર ભાષિત શ્રેષ્ઠ અધ્યયનોમાંથી ઉત્તરાધ્યયન સૂત્ર બનાવવામાં આવ્યું. નંદીસૂત્રમાં આ બંને સૂત્રોનો ઉલ્લેખ સૂત્ર સૂચિમાં કરવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્નવ્યાકરણના ઉપલબ્ધ આશ્રવ તથા સંવર વર્ણનનો કિંચિત પણ નિર્દેશ નંદી સૂત્રમાં કરવામાં આવ્યો નથી. ત્યારે આ એક અસમાધિત પ્રશ્ન રહી જાય છે કે નંદી કર્તાની સમક્ષ જો પ્રશ્નવ્યાકરણનું વર્તમાન ઉપલબ્ધ રૂપ હતું તો તે સ્ત્રના વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org