SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ | અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૩૩ આર્ય રક્ષિતના નામે આવી કાલ્પનિક વાતો ઇતિહાસના પાનાઓમાં થઈ છે, જે સ્પષ્ટરૂપે આગમ વિરુદ્ધ પ્રરૂપણા છે. તેમ છતાં અંધશ્રદ્ધા તથા ગાડરીયા પ્રવાહવાળા લોકો તેને ચલાવતા રહ્યા છે. એક માન્યતા પ્રમાણે આચાર્ય ભદ્રબાહુકૃત શાસ્ત્રમાં સાધ્વી માટે છેદસૂત્ર વાંચવા અંગે વિધાન કરવામાં આવેલ છે. તેથી તેનાથી વિપરીત વિધાન આગમમાં આર્યરક્ષિત આચાર્ય ન કરી શક્યા. પરંતુ તેમણે મૌખિક રૂપે તો પરંપરામાં તેને ચાલુ કરી જ દીધું જે આજ સુધી ચાલુ છે. આવી માન્યતા કરવાવાળા વિદ્વાનો દ્વારા પણ આર્યરક્ષિત જેવા મહાન આચાર્યની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે છે ! પાત્ર બાબત પણ એવું લખી નાખ્યું કે પહેલાં એક જ પાત્ર સાધુઓ રાખતા હતા, તેમાં જ ખાતા હતા તથા અન્ય કાર્ય કરતા હતા. પછી આર્ય રક્ષિતે માત્રક રાખવાની મૌખિક છૂટ આપી. પરંતુ તેનો અકારણ ઉપયોગ કરવાની મનાઈ પણ કરી હતી. જ્યારે વ્યવહાર સૂત્રમાં સાધુઓને અનેક પાત્ર હોવાનું તથા તેમાં અને કરપાત્રમાં ખાવા-પીવાનું સ્પષ્ટ વિધાન આજે પણ ઉપલબ્ધ છે. આ રીતે આર્યરક્ષિતના નામે કેટલીક વાતો ચલાવવામાં આવી અને આજે પણ એ ચાલી રહી છે, તે તો જાણે બુદ્ધિમાનોની આશ્ચર્યકારી પ્રરૂપણાઓ તથા પ્રવૃત્તિઓ છે. QOOL કુત્સિત કલ્પનાઓની વાર્તા ]OOD જિગ્નેશ :– પહેલાં સાધુઓ જંગલોમાં વસતા હતા, પછી બગીચાઓમાં અને ક્રમશઃ શહેરો અને ગામડાઓની અંદર રહેવા લાગ્યા. પહેલાં સાધુઓ નગ્ન અથવા ફક્ત લંગોટધારી કે નાનકડું વસ્ત્ર લજજા ઢાંકવા પૂરતું બાંધતાં હતાં, પછીથી વસ્ત્રધારી બની ગયા. સમયે સમયે જરૂરતો અને પરિસ્થિતિઓ બદલાતી ગઈ, જેને કારણે શાસ્ત્રોના વિધાનોમાં પણ પરિવર્તન કરવાનું જરૂરી બનવા લાગ્યું. એક યુગની અપેક્ષાએ બનાવેલા નિયમો આગળ ના બીજા યુગમાં ન ચાલી શક્યા. એટલા માટે બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રમાં પણ ફેરફાર કરવા પડ્યા અને નિશીથસૂત્રની એટલી પ્રાયશ્ચિત્ત સંકલના પણ બનાવવી પડી; આવા બધાં કથનો ક્યાં સુધી સાચા છે? જ્ઞાનચંદ :– સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગ ભગવાનના શાસનમાં આચાર-શાસ્ત્રો એક યુગની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને બન્યા, આ અનુચિત કલ્પના છે. સંપૂર્ણ શાસન કાળને દષ્ટિપથ પર રાખ્યા વિના જ શાસ્ત્ર તથા આચાર વિધાન બનાવ્યાનો આવો અજ્ઞાન ભર્યો આક્ષેપ સર્વજ્ઞો અને ગણધરો તથા ૧૪ પૂર્વી આચાર્યો પર જાય છે. અતઃ સ્વચ્છંદ મતિ યુક્ત આવી કલ્પનાઓ જિન શાસન પ્રેમીઓ તથા આગમ અનુભવીઓને જરા પણ ગળે ઉતરે તેમ નથી લાગતી. આવિષય પર વિસ્તૃત ચર્ચા આ જ પુસ્તકમાં આગળના નિબંધ પ્રકરણમાં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy