________________
૩૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
તેમાં કોઈની પણ આશાતનાની કલ્પના કરવી જ અયોગ્ય છે.
આ કારણે પૂર્વાચાર્યોને અલ્પજ્ઞ સમજવાની કલ્પના કરવી તે પણ અજ્ઞાન દશા જ છે. સૂત્રના આદેશ પ્રમાણે તો આચાર્ય પ્રદત્ત કોઈપણ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રાનુકુળ ન હોય તો તે પ્રાયશ્ચિત્ત લેવાની ના કહેવાનો અધિકાર પણ શાસ્ત્રજ્ઞ શિષ્યને છે, એવી સ્પષ્ટ શાસ્ત્રાજ્ઞા છે. આવી જ અન્ય અનેક શાસ્ત્રાજ્ઞાઓથી એ સ્પષ્ટ થાય છે કે આગમ સાપેક્ષ ન્યાય યુક્ત નિર્ણય લેવામાં તેના વિપક્ષમાં રહેલાં કોઈપણ મોટા વિદ્વાનો કે આચાર્યો અથવા ગુરુ કે સાહિત્યકારની આશાતના થાય તેવું આગમકાર માનતા નથી.
CCC આર્યરક્ષિત વાર્તા ] OOD જિગ્નેશ :– શું આર્ય રક્ષિત આચાર્યો છેદસૂત્ર સાધ્વીઓને વાંચવા વંચાવવાનો નિષેધ કર્યો હતો? આગમ અનુયોગનો વિચ્છેદ કર્યો? માત્રક રાખવાની છૂટ આપી? જ્ઞાનચંદઃ- (૧) નંદીસૂત્રમાં જણાવ્યા અનુસાર આર્ય રક્ષિતે અનુયોગની રક્ષા કરી છે પરંતુ વિચ્છેદ કરવાની વાત ત્યાં જણાવી નથી. ઉલ્યું ત્યાં તો એમ જણાવ્યું છે કે આર્યરક્ષિત પછી પણ અનેક અનુયોગના ધારક તથા પ્રવર્તક શ્રમણો થઈ ગયા. નંદીકર્તાએ એક ગાથામાં એમ પણ જણાવ્યું છે કે આજે પણ અર્ધ ભરતક્ષેત્રમાં અનુયોગનું પ્રવર્તન ચાલુ છે. અર્થાત્ આર્ય રક્ષિતે અનુયોગનો વિચ્છેદ નહોતો કર્યો પણ અર્થ વ્યાખ્યાનના કથનની જે પદ્ધતિ હતી, તેને તેઓએ અનુયોગદ્વાર સૂત્રની રચના કરીને તેમાં સુરક્ષિત કરી દીધી હતી. આ પ્રમાણે આર્યરક્ષિતે અનુયોગની સુરક્ષા કરી હતી પરંતુ વિચ્છેદ નહોતો કર્યો. વિશેષ માહિતી માટે આગમ સારાંશ ખંડ-૭માં અનુયોગદ્વાર સૂત્રનું સંપાદકીય જોઈ લેવું
(ર) છેદસૂત્ર અને પાત્ર સંબંધી કલ્પના અસત્ય છે તથા વ્યર્થ રીતે આર્ય રક્ષિતના નામે પ્રચલિત કરવામાં આવી છે. એનું કારણ એ છે કે આર્ય રક્ષિતની પૂર્વેના જે આગમો ઉપલબ્ધ છે તેમાં અનેક પાત્ર રાખવાનું તથા માત્રક રાખવાનું સ્પષ્ટ વિધાન છે. આ વિષયક વિશેષ માહિતી આગમ સારાંશના છેદશાસ્ત્ર ખંડ-૪માં છે તે જોઈ લેવું જોઈએ.
આ જ રીતે સાધ્વીઓને આવશ્યક રૂપે છેદસૂત્ર(નિશીથ સૂત્ર) કંઠસ્થ કરવા તથા ધારણા કરવાનું વિધાન પણ આર્યરક્ષિતથી પૂર્વે રચિત આગમોમાં આજે પણ જોવા મળે છે. એની ચર્ચા પણ છેદશાસ્ત્ર ખંડ-૪માં કરવામાં આવી છે તે સ્થાનેથી અધ્યયન કરીને વિશેષ જાણકારી મેળવી લેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org