________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૩૧
પાઠનો પ્રક્ષેપ કરવામાં આવ્યો છે (૪) ક્યાંક દોરા સાથે મુહપતિનો વાક્યાંશ જોડવામાં આવ્યો છે (૫) ક્યાંક મેલ-પરિષહ કે મોય-સમાચરણ સંબંધી પાઠ જ કાઢી નાખવામાં આવ્યો છે (૬) દશાશ્રુત સ્કંધમાં આઠમી દશામાં સમાચારીના પાઠોને વધારે ઓછાં અને વિકૃત કરી દેવામાં આવ્યા છે. ભગવાનના મુખેથી કોઈ અધ્યયનને વારંવાર પરિષદમાં કહેવાયાના ઉપસંહાર પાઠ પણ જોડી દેવામાં આવેલ છે. પર્યુષણ સંબંધી પાઠને પણ અટપટી અને મનમાની રીતે બનાવીને રાખી દીધા છે (૭) ચુલ્લકલ્પ અને મહાકલ્પ સૂત્ર અને વ્યક્તિગત સમાચારીઓ, પટ્ટાવલીઓને જોડીને નવું જ કલ્પસૂત્ર બનાવીને, તેને આઠમી દશાનું નામ આપીને પ્રસિદ્ધ કરી દેવાયું છે; વળી એ ૧૨૦૦ શ્લોક પ્રમાણ કલ્પસૂત્રને ભદ્રબાહુસ્વામીએ ગૂંચ્યું છે તથા ભગવાન મહાવીરે પરિષદમાં વારંવાર સંભળાવ્યું છે એવું પણ લખી નાખ્યું છે! તો કોઈકે વળી હિંમત કરીને આઠમી દશામાં જ તેને પૂરું લખી નાખ્યું છે. તે હસ્ત લિખિત પ્રત અમદાવાદની એલ.ડી. ઈન્સ્ટીટયુટમાં ઉપલબ્ધ છે (૮) કોઈકે ખંડિત મહાનિશીથને અસંગત વાતોથી પરિપૂર્ણ કરીને રાખી દીધું છે (૯) આવશ્યક સૂત્રની બાબતમાં તો જાણે બધાએ પોતપોતાના હાથમાં પરિવર્તન પરિવર્ધન કરવાનો પૂરેપૂરો અધિકાર લઈ રાખ્યો છે. એ બધા આગમ અંગેના અનધિકારના કર્તવ્યો છે. નિશીથ સૂત્રની ચૂર્ણિના અંતે કોઈ દિગંબરાચાર્યની સૂત્રકર્તાના રૂપમાં છાપ પણ લગાડી દીધી છે !
આ અનધિકૃત રીતે કરેલ પરિવર્તન કે લિપિદોષ અથવા ભૂલ દોષથી થયેલ પરિવર્તનોને વિવેક અને અન્વેષણ પૂર્વક સુધારીને સાચું સંપાદન કરવાનો અધિકાર તો આગમોના ગહન અભ્યાસી ગીતાર્થ મુનિઓને આજે પણ છે જ, એ સમજી લેવું જોઈએ. આનો સ્વીકાર નહીં કરીએ તો “મક્ષિકા સ્થાને મક્ષિકા પાત્ર” વાળી ઉક્તિ ચરિતાર્થ થશે. અતઃ લકીરના ફકીર પણ નથી બનવાનું, એકાંત રૂપે પરંપરાઓનો આગ્રહવાદ પણ નથી રાખવાનો, સાથે સાથે નકલમાં વિવેકયુક્ત અક્કલ પણ રાખવી જરૂરી છે.
OOL પૂર્વાચાર્યોની આશાતના વાતOOD જિજ્ઞેશ – પૂર્વાચાર્યોએ બનાવેલા ગ્રંથો અને સૂત્ર વ્યાખ્યાઓને વાંચવા પણ ખરા અને માનવા પણ ખરા તથા પોતાને યોગ્ય ન લાગે તો તેને ખોટું છે તેમ કહી દેવું આ તો સર્વ સત્તા પોતાના હાથમાં રાખવાની વાત છે અને શું આ પૂર્વાચાર્યોને પોતાનાથી અલ્પજ્ઞ સમજવાની વાત નથી? જ્ઞાનચંદઃ- કોઈ પણ પૂર્વાચાર્ય કે વર્તમાન વિદ્વાનોના સાહિત્યનું વાંચન શ્રદ્ધાપૂર્વક કરવા છતાં જો તેમાં કંઈપણ આગમથી વિપરીત હોય કે પાપવર્ધક હોય તે કથનને આગમ આધારથી કસોટી કરીને નિર્ણય કરવું, તે આગમ સન્માન છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org