SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ધ્યાનમાં રાખીને બહુશ્રુતો પૂર્વધરોએ તેમાં હીનાધિક કરવાનું, ફેરફાર કરવાનું કાર્ય અધિકાર પૂર્વક કર્યું છે એવું માનવામાં કોઈ વાંધો નથી. તે પરિવર્તન સ્વચ્છંદ બુદ્ધિથી નહીં પરંતુ અન્ય બહુશ્રુતોની સલાહ તથા વિવેકપૂર્વક કરવામાં આવ્યું છે. સૂત્રોનો ઊંડો અભ્યાસ કરનાર, આ અનુભવથી અજાણ નથી, એટલે તેઓને આ વાત સહજ માન્ય હોય છે. જેમ કે– (૧) આચારાંગ સૂત્રનું સાતમું અધ્યયન વિચ્છેદ જવું, (૨) નિશીથ અધ્યયન અલગ થઈને ભાવના અને વિમુક્તિ અધ્યયનનું સંલગ્ન થવું (૩) ઠાણાંગ, સમવાયાંગમાં અનેક બોલો સંલગ્ન થવા (૪) ભગવતી આદિ સૂત્રોમાં પાઠાંતર, વૈકલ્પિક પાઠ રાખવા (૫) સૂત્રોને સંક્ષિપ્ત કરવા ગાવ લગાવવું કે અન્ય સૂત્રની ભલામણ કરવી (૬) બારમા અંગમાંથી જુદા કાઢીને નવા નવા સૂત્રો બનાવવા (૭) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પૂર્ણ રીતે પરિવર્તન કરી નાખવું (૮) અને તેમાંથી અલગ કાઢેલા સૂત્રો અઘ્યયનોમાંથી ઉત્તરાધ્યયન અને ૠષિભાષિત સૂત્ર સ્વતંત્ર બનાવી દેવા વિગેરે વિગેરે... સૂત્રોમાં પરિવર્તન અધિકાર વાર્તા જિજ્ઞેશ ઃ— આ સંપાદનના અધિકારો ક્યાં સુધી રહ્યા ? અને શું આજે પણ છે? 30 જ્ઞાનચંદ શાસ્ત્ર લિપિબદ્ધ કરવાના સમયે આવશ્યક સંપાદન પૂર્વધરોની સાક્ષીએ કરવામાં આવેલ, ત્યારબાદ આ અધિકાર કોઈને પણ ન રહ્યો. તેમજ પૂર્વ જ્ઞાનનો પણ વિચ્છેદ થઈ ગયો. ત્યારપછી લિપિદોષ, પ્રક્ષેપદોષ વગેરે દોષોને વિવેકપૂર્વક સુધારવાનો અધિકાર તો આગમોના ગહન અભ્યાસી વિવેકવાન બહુશ્રુતોને જ છે. તેમાં જરા પણ સંદેહ કરવો જોઈએ નહીં. પરંતુ સ્વચ્છંદ મતિથી વ્યક્તિગત કે બહુમતથી આગમમાં વધ-ઘટ કરવી કે પરિવર્તન કરવું અથવા પ્રક્ષેપ કરવાનો અધિકાર કોઈને પણ નથી. -: દૂષિત પરિવર્તન વાર્તા જિજ્ઞેશ ઃ- લેખનકાળ કે દેવર્કિંગણિના સંપાદન પછી આગમોમાં કોઈએ પણ કાંઈ પરિવર્તન, પ્રક્ષેપ કે વધ-ઘટ કરવાનું કર્તવ્ય નથી કર્યું ? જ્ઞાનચંદ :– અધિકાર ન હોવા છતાં પણ સ્વાર્થથી કે સ્વચ્છંદ મતિથી સમયેસમયે જૈન વિદ્વાનોએ આગમોમાં હસ્તક્ષેપ કરેલ છે. દુર્માનસવાળા કેટલાંક શાસ્ત્ર લેખકોએ પણ વિકૃત પ્રક્ષેપ કે વત્તું ઓછું પરિવર્તન કર્યું છે. સાથે થોડો લિપિ દોષ, દષ્ટિ દોષ તથા ભૂલથી પણ પરિવર્તન થયું છે. જેમ કે (૧) કેટલીક જગ્યાએ સૂત્રોમાં મધમાંસ સેવનનું કથાનક કે આચાર વિધાન કરતા શબ્દોનો પ્રક્ષેપ થયો છે (૨) ક્યાંક મૂર્તિઓના પાઠો ઉમેરાયા છે (૩) ક્યાંક ણમોત્થણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy