SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૨૯ આગમ કાલાંતરમાં રચાયેલા પ્રતીત થાય છે તો તેને ગણધર કૃત કેમ કહેવાય? જ્ઞાનચંદ –ભાષાનો તર્ક કરીને આગમોના ઉત્પત્તિ કાળના વિભાજનની કલ્પના કરવી તે એક નિરર્થક પ્રયત્ન છે. આજકાલના કલાકારો-લેખક પણ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, મારવાડી કે સાહિત્યિક ભાષા કે સરળ ભાષા કે ગૂઢ ભાષામાં તથા ગદ્ય, પદ્ય, મુક્તક, ઢાળ, ચોપાઈ, એક દેશીય કે અનેક રાગોવાળી, સંક્ષિપ્ત કે વિસ્તૃત વિવિધ રૂપોમાં રચના કરવાની ક્ષમતા રાખે છે અને એવી વૈવિધ્યપૂર્ણ રચનાઓ રચે છે. એક વક્તા પણ આ રીતે વિભિન્ન રૂપોમાં વક્તવ્ય આપી શકે છે અને એટલે જ આવી વિભિન્ન રચનાઓના આધારે વ્યક્તિ ભેદ કે કાળભેદની કલ્પના કરવી એ કોઈ પ્રામાણિક સત્ય ચિંતન કહી ન શકાય. આપણા ગણધર પ્રભુ તથા શાસ્ત્રકાર બહુશ્રુત પૂર્વધર શું આજના વિદ્વાનોથી નિમ્ન હતા? કે તેઓ જુદા જુદા પ્રકારની રચના નહોતા કરી શકતા? શું ગણધર ભગવંતો અગિયાર અંગોને કે આવશ્યક સૂત્રને કે દષ્ટિવાદને વિભિન્ન પદ્ધતિથી જુદી જુદી શૈલીમાં ગુંથી ન શકે? વાસ્તવમાં ગણધર પ્રભુ ઉપલબ્ધ પ્રથમ આચારાંગ પણ આવી રીતે બનાવી શકતા હતા. આચારાંગનો બીજો શ્રુતસ્કંધ તેમજ સૂયગડાંગ પણ પદ્યમય ગધમય બનાવી શકતા હતા; ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીની પદ્ધતિની ગૂંથણી પણ તેઓ કરી શકે તેમ હતા જ અને જ્ઞાતા આદિ ધર્મ શાસ્ત્રોની ગૂંથણી પણ કરી શકે તેમ હતા પરંતુ તેમને જે શૈલી કે પદ્ધતિ ઉપયુક્ત લાગી તે મુજબ સૂત્રોનું કથન અલગ-અલગ પ્રકારે કર્યું. આમાં કશું જ અસંભવ કે શંકા કરવા જેવું નથી. અતઃ ભાષાશૈલીને આધારે આગમોના રચનાકાળનો વિચાર કરવો તે વિદ્વાનોની એકાંગી દષ્ટિ છે, તેના પ્રવાહમાં તણાઈ જવું તે નરી ભાવુકતાનો અતિરેક માત્ર સમજવો જોઈએ. 'ઠાણાંગ: સમવાયાંગ વાત જિજ્ઞેશ :- ઠાણાંગ, સમવાયાંગ સૂત્રોમાં તો સંખ્યા સંબંધી કેટલાય વર્ણનો ગણધરોની પછીના છે, તો તેને કેમ સમજવા? જ્ઞાનચંદ – આ બને સૂત્રો સંખ્યા સંબંધી સંકલન સૂત્ર છે. તેમાં ઉપયોગી કેટલાય તત્ત્વો, સમયે-સમયે સંપાદનકર્તા પૂર્વધર બહુશ્રુતોએ ફરી સ્થાપિત કર્યા છે, તેમ માનવામાં કોઈ શંકા નથી. અન્ય સૂત્રોમાં પણ ક્ષેત્રકાળની અપેક્ષાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy