SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ | રછ | ર જિનશાસનની આવશ્યક સેવા છોડીને ૧૪ પૂર્વી દ્વારા ૧૨ વર્ષની એકલવિહારી વાળી સાધના કરવી, આવા ઉત્કૃષ્ટબહુશ્રુત જ્ઞાની વિચક્ષણ મહાન શ્રમણ દ્વારા સંઘની આજ્ઞાની અવહેલના ઉપેક્ષા કરાવવી, ગોતી ગોતીને જુદા તારવીને યોગ્ય ૫૦૦ સાધુઓને સંઘ દ્વારા મોકલવા, તેમાંથી પણ ૪૯૯ સાધુઓનું વચ્ચેથી જ છોડીને પાછા ફરવું, બાર વર્ષનો દુકાળ પડવો, ઈત્યાદિ જે અણઘડ બાબતોનું વર્ણન છે, તે કલ્પિત છે. તેમાં પણ અમુક બાબતો વિચારવા લાયક છે. જેવી કે– (૧) ચૌદ પૂર્વ જ્ઞાની એવા ભદ્રબાહુસ્વામી પોતે નહીં સમજતા હોય કે જિનશાસનમાં જ્ઞાન આપવું મારે આવશ્યક છે (૨) આવી મહાપ્રાણ સાધનાનું વર્ણન કોઈ આગમમાં તપના ભેદોમાં નથી (૩) ૫૦૦ યોગ્ય સાધુ તારવનારા પણ મૂર્ખ હતા શું? (૪) વળી તેમની એવી કેવી યોગ્યતા હતી કે જેઓ ત્યાં રોકાયા નહીં અને તેમને છોડીને વચ્ચેથી પાછા ફર્યા (પ) ઉપાલંભ દઈને તેમને ફરી પાછા કેમ ન મોકલ્યા? (૬) શું પાછા ફરનારા આજ્ઞા માનીને ફરી જઈ નહોતા શકતા? (૭) તો તે જ ૪૯૯ ને આજ્ઞા બહાર કેમ ન કર્યા? (૮) બાર વર્ષના દુકાળ પહેલાં જ ભદ્રબાહુ મહાપ્રાણ સાધના કરવા નીકળ્યાં કે પછી? (૯) પહેલાં નીકળ્યા હોય તો ૧૨ વર્ષની મહાપ્રાણ સાધના પૂર્ણ થઈ જવી જોઈતી હતી અને જો દુકાળ પછી ગયા હોય તો તેઓ મહાન અવિવેકી છે તેમ ગણાય ! કેમ કે આવા ભયંકર દુકાળની સંકટમય સંઘની સ્થિતિમાં તેમનું એકલા જવું એજ વિચારણા માંગી લે તેવું છે. તેમણે કોની આજ્ઞા લીધી? તેવા સમયે આજ્ઞા દેનારું કોણ હતું? (૧૦) બાર વર્ષના દુકાળની કલ્પના આવા કથાનકો સાથે કેમ જોડી દેવાય છે? (૧૧) ભદ્રબાહુ સ્વામીની કથા માટે કે સ્કંદિલાચાર્યના સમયે તથા દેવર્ધિગણિના આગમ લેખન માટે, ૧ર વર્ષના દુકાળની કલ્પના માત્ર છે. આવા દુકાળ, આવી બધી ઘટના સાથે જોડી દેવાયા છે. વાસ્તવમાં વિચારવામાં આવે તો અજ્ઞાત સુદૂર એ વીર નિર્વાણના ૧૦૦૦ વર્ષમાં કેટલાય ૧૨ વર્ષીય દુકાળ થઈ ગયા હોય તો પછી હવે ૧૫૦૦ વર્ષોમાં આવા દુકાળો કેમ નથી પડ્યા? આનું કારણ સ્પષ્ટ છે કે આ ૧૫00 વર્ષમાં લેખન યુગ ચાલી ગયો હતો, જેના માટે એવા વ્યાપક વિષયની કલ્પનાઓ ચાલવી સંભવ રહી નથી અને એ ૧૦૦૦ વર્ષોને માટે જેને જે મન ફાવ્યું તે કલ્પના કરી હોત તો તે પણ ચાલ્યુ જાત. વાસ્તવમાં-૪ વર્ષનો કે એક વર્ષનો પણ મહા દુકાળ પડે તો લોકો ત્રાહીત્રાહી પોકારી ઉઠે છે. તો બાર વર્ષનો દુકાળ અને તે પણ વારંવાર પડ્યા કરે ઇત્યાદિ કથન યોગ્ય નથી. એ તો તે તે ઘટનાઓ તેમજ કલ્પનાઓને જમાવવા માટે કરવામાં આવેલી એક કલ્પના માત્ર છે. વાસ્તવિક્તા એ જ છે કે કોઈપણ વિશેષ ઘટનાને સિદ્ધ કરવા સમજાવવા માટે ૧ર વર્ષના દુષ્કાળ બતાવવાનો જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy