________________
'ર
૨૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત
સત્ય સંકેત છે. આનો આશય સમજ્યા વિના ઉપેક્ષા અને આક્ષેપ કરવા તે સમજદારી નથી.
' નિર્યુક્તિ રચના વાર્તા જિગ્નેશ :- વીર નિર્વાણ દસમી શતાબ્દિ પછી નિયુક્તિ ભાષ્ય વગેરે બન્યા એવું કથન કઈ રીતે યોગ્ય છે? કેમકે નિયુક્તિઓની રચના તો ભદ્રબાહુ સ્વામીએ વીર નિર્વાણ ત્રીજી સદીમાં જ કરી દીધી હતી? જ્ઞાનચંદ – એક સરખા નામની સમાનતાને કારણે આવો ભ્રમ થયો છે. પૂર્વે પ્રસિદ્ધ બે ભદ્રબાહુ સ્વામી થઈ ગયા છે. લાંબા સમયના આંતરાના કારણે બંનેના જીવન સંબંધી કેટલાક વર્ણનો મિશ્રિત થઈ ગયા છે. વરાહમિહિરના ભાઈ ભદ્રબાહુસ્વામી વીર નિર્વાણ દસમી સદીમાં થઈ ગયા, જ્યારે ૧૪ પૂર્વ ભદ્રબાહુસ્વામી વીર નિર્વાણ ત્રીજી સદીમાં થયા હતા. નિર્યુક્તિઓની રચના તથા ભદ્રબાહુસંહિતાની રચના વરાહ મિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ સ્વામીની છે, જ્યારે ત્રણ છેદસૂત્રની રચના પ્રથમ ભદ્રબાહુ સ્વામીએ કરી છે. કેમકે વરાહમિહિરે વરાહી સંહિતા બનાવી છે અને તેમાં જે રચનાકાળ ઉપલબ્ધ છે તે દસમી સદીનો છે તથા નિયુક્તિઓના કર્તા ભદ્રબાહુસ્વામી, વરાહમિહિરના ભાઈ છે. છેદસૂત્રની નિર્યુક્તિમાં પ્રારંભની મંગલગાથામાં ત્રણ છેદસૂત્રોની રચના કરનારા પ્રાચીન ભદ્રબાહુ સ્વામીને વંદન કર્યા છે. આ વિષયમાં સપ્રમાણ વિસ્તૃત ચર્ચા. મંદિરમાર્ગી વિદ્વાનમુનિ શ્રી પુણ્યવિજયજીએ સભા બહત્કલ્પસૂત્રના છઠ્ઠા ભાગની પ્રસ્તાવનામાં કરી છે. ઉક્ત મંતવ્ય એ જ ચર્ચાનો એક ભાગ છે. વધારે જાણકારી માટે આ જ પુસ્તકમાં ઐતિહાસિક પરિશિષ્ટ ખંડ–રમાં તે સંકલન જેમ છે તેમજ આપ્યું છે. માટે તે જોઈ લેવા વિનંતી.
| પ્રાચીન ભદ્રબાહુ વાર્તા] જિગ્નેશ :- પ્રાચીન ભદ્રબાહુ સ્વામીએ મહાપ્રાણ સાધના કરી હતી? તે સાધના શું છે? કયા સૂત્રમાં છે? જ્ઞાનચંદ – આ પણ એક કલ્પિત કથા અને કલ્પિત ઇતિહાસ છે. શ્રાવકો અને શ્રમણોની અનેક સાધનાઓ, અભિગ્રહ, જિનકલ્પ કે પડિકાઓના વર્ણન આગમોમાં છે. મહાપ્રાણ સાધના નામની કોઈ ચીજ આગમોમાં નથી. ગચ્છ મુક્ત બાર ભિક્ષુ-પડિમાઓ પણ અલ્પ સમય માટે હોય છે. જિનકલ્પ આદિ ગચ્છ મુક્ત સાધનાઓ પણ ૧૪ પૂર્વીઓએ ધારણ કરવાની આવશ્યકતા નથી હોતી. પરિહાર વિશુદ્ધ ચારિત્ર પણ ૧૪ પૂર્વીઓએ ધારણ કરવાની આવશ્યકતા હોતી નથી. તેઓ ગચ્છમાં રહીને જ વિશિષ્ટ નિર્જરા કરી લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org