________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
.
અને સર્વથા અપ્રમાણિક થઈ ગયા છે, તેમાં કથિત બધા જ તત્ત્વ સંદેહશીલ થઈ ગયા.’ પરંતુ ઉપલબ્ધ આગમોને ઉપલબ્ધ અન્ય આગમો સાથે સમન્વય કરીને તથા મૌલિક સિદ્ધાંતો સાથે સમન્વય કરીને વિવેકબુદ્ધિથી સમજવાની કોશિશ કરવામાં જ તટસ્થતા રહેલી છે. કોઈપણ વ્યાખ્યા ગ્રંથ કે વિવેચન, ભાષાંતર, નિબંધ, ઇતિહાસના ગ્રંથો પર રાગ-દ્વેષ ન રાખતા તેની પ્રત્યે આદરભાવ રાખવો, અવસરે તે વાંચવા, સમજવા, સ્વવિવેક અનુસાર તેનું ચિંતન કરવું, અન્ય આગમજ્ઞાનના (સિદ્ધાંત જ્ઞાનના) અનુભવથી તુલના કરી વિચારવું, નવનીત પ્રાપ્ત કરતા રહેવું તે જ્ઞાન આરાધનાનું જ એક અંગ છે. આવું કરવું તે ‘કોઈપણ પૂર્વાચાર્ય કે ગુરુ પ્રતિ અશ્રદ્ધા અભક્તિ છે' તેમ કહેવું તે શાસ્ત્રજ્ઞાનની અણસમજનું સૂચક છે.
ર૪
કેમ કે શાસ્ત્ર બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે ગીતાર્થ ગુરુ આચાર્યએ આપેલું પ્રાયશ્ચિત્ત પણ જો આગમોક્ત હોય તો તે ગ્રહણ કરવું જોઈએ અને જો તે આગમોક્ત ન હોય તો ગ્રહણ કરવું જોઈએ નહીં.
વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે કાળ કરતા સમયે આચાર્યએ જો જણાવ્યું હોય કે મારા સ્થાને અમુક સાધુને આચાર્ય બનાવજો; છતાં પણ તે આચાર્યના કાળધર્મ પામ્યા બાદ તે સાધુ યોગ્ય હોય તો જ તેને આચાર્ય પદ આપવું અન્યથા બીજા યોગ્ય સાધુને આચાર્ય બનાવવા. આમ છેદ સૂત્રોમાં પણ ગુરુ તથા આચાર્યની આજ્ઞાનું પાલન કરવામાં પણ વિવેક બુદ્ધિને પ્રમુખતા આપવામાં આવી છે.
સારાંશ એટલો જ છે કે બધા છદ્મસ્થોની વાક્ય રચનાઓ, વિચારણાઓ ચિંતન કરવા યોગ્ય છે. ઉક્ત બંને આગમ પ્રમાણોથી શાસ્ત્રાજ્ઞા પણ આવી રીતે સ્પષ્ટ છે. માટે આવું કરવાથી કોઈની આશાતના થાય તેવી કલ્પનાને કોઈ સ્થાન નથી ! જિજ્ઞાસા તથા સત્યની શોધ કરવાની દૃષ્ટિથી ન્યાય બુદ્ધિથી કોઈ અપરાધ થતો નથી. સર્વજ્ઞોનો પરિચય ન થતાં નિર્ણય કરવાને માટે તેમની પણ પરીક્ષા કરનાર ભગવતી સૂત્ર વર્ણિત ગાંગેય અણગાર આદિ આરાધક બન્યા છે.
વર્તમાનમાં ઉપલબ્ધ માન્ય આગમોમાં પણ લિપિ દોષ, પ્રેસ દોષ, પરંપરા દોષ, પ્રક્ષેપ દોષ, મિશ્રણ દોષ, હ્રાસ દોષ વિગેરે અનેક નાના-મોટા ક્ષમ્ય દોષો છે. જે સર્વવિદિત અને સર્વમાન્ય તત્ત્વ છે. તેથી વિદ્વાનો માટે સત્યની શોધ, વિવેકપૂર્ણ તટસ્થ વૃતિથી આગમના મૂળ પાઠોનો, અર્થોનો, પરંપરાઓનો નિર્ણય કરવો તે અનુપયુક્ત તો ન જ કહી શકાય.
જે પ્રકારે ગાળેલું પાણી તથા શુદ્ધ ભોજન પણ ગ્રહણ કરતી વખતે જોઈને ખાવું-પીવું જોઈએ તથા તેમાંની અશુદ્ધિને કાઢી નાખવી જોઈએ, તે વિવેક છે અને તેમાં માખી કે ઝેરી જંતુનો અંશ હોય તો છોડી દેવા તે પણ વિવેક છે; પછી ભલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org