________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬
પરિશિષ્ટ-૬
11ge 91 972 16સામાયિક સૂત્ર : સરળ પ્રશ્નોત્તર
પ્ર. ૧ :- અરિહંત કોને કહેવાય છે ?
જવાબ :– તીર્થંકર ભગવાનને અરિહંત કહેવાય છે. જેઓએ ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, તેને અરિહંત કહે છે.
પ્ર. ૨:- સિદ્ધ કોને કહે છે ?
જવાબ ઃ- જે આઠ કર્મને ક્ષય કરી મોક્ષે ચાલ્યા ગયા છે, તેને સિદ્ધ ભગવાન કહે છે. પ્ર. ૩ :– આચાર્ય કોને કહે છે ?
જવાબ :- જે ચતુર્વિધ સંઘના નાયક હોય છે, તેને આચાર્ય કહે છે.
પ્ર. ૪ :– ઉપાધ્યાય કોને કહે છે ?
૨૫૦
જવાબ ઃ- જે સાધુઓને ભણાવે છે, તેને ઉપાધ્યાય કહે છે.
પ્ર. ૫:- સાધુ કોને કહે છે ?
જવાબ : ધન પરિવારનો ત્યાગ કરી જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે, તેને સાધુ કહે છે.
પ્ર. ૬ :~ ચાર ઘાતી કર્મ કયા છે ?
જવાબ ઃ- (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અંતરાય. પ્ર. ૭ :– શેષ ચાર કર્મ કયા છે ?
જવાબ : વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર.
પ્ર. ૮ઃ
તીર્થંકર કેટલા છે ?
જવાબ :
ચોવીસ.
પ્ર. ૯ :– નવકાર મંત્રમાં કેટલા પદોને નમસ્કાર કર્યા છે ?
જવાબ :– પાંચ પદોને, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
=
પ્ર. ૧૦ :- આ પાંચ પદમાં આપણા દેવ કેટલા અને ગુરુ કેટલા ?
જવાબ ઃ– બે પદ આપણા આરાધ્ય દેવના છે. ત્રણ પદ આપણા પૂજ્ય ગુરુ છે. પ્ર. ૧૧ : - દેવ બે છે, તેમાં મોટા કોણ છે ?
Jain Education International
જવાબ :- - સિદ્ધ ભગવાન.
પ્ર. ૧૨ :– નમસ્કાર મંત્રમાં સિદ્ધોથી પહેલા અરિહંતોને નમસ્કાર શા માટે?
For Private & Personal Use Only
www.jainelibrary.org