________________
૫૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
જવાબ ઃ– અરિહંત ભગવાન જ લોકમાં ધર્મ પ્રગટ કરે છે. સિદ્ધોનું સ્વરૂપ પણ તે જ બતાવે છે. એટલે લોકમાં પરમ ઉપકારી હોવાથી તેને પ્રથમ પદમાં નમસ્કાર કર્યા છે.
પ્ર. ૧૩ :— ત્રણ ગુરુ પદમાં મોટા કોણ છે ?
જવાબ ઃ જે દીક્ષામાં મોટા હોય છે, તે ગુરુ પદમાં મોટા કહેવાય છે. એટલે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કોઈપણ મોટા હોઈ શકે છે અને કોઈ નાના પણ હોઈ શકે છે. પ્ર. ૧૪ :- નવકાર મંત્રમાં આચાર્ય, ઉપાધ્યાયને સાધુજીથી જુદા અને પહેલાં નમસ્કાર કેમ કર્યા છે ?
જવાબ :– આચાર્ય સંઘના નાયક હોય છે, સાધુ સાધ્વીઓની સંપૂર્ણ દેખરેખ રાખે છે. ઉપાધ્યાય સાધુઓને જ્ઞાનદાન આપે છે. એટલે સંઘના ઉપકારી હોવાથી એને સર્વ સાધુઓથી પહેલાં અર્થાત્ ત્રીજા ચોથા પદમાં નમસ્કાર કર્યા છે. પ્ર. ૧૫ :- શું અરિહંત ભગવાન સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે ? જવાબ : હા, કરે છે.
પ્ર. ૧૬ :- શું આચાર્ય ઉપાઘ્યાય પણ સાધુજીને વંદન કરે છે ? જવાબ : હા, દીક્ષામાં મોટા હોય તો તેને વંદન કરે છે.
પ્ર. ૧૭ :– એમ કેમ ? પદ મોટુ છે એટલે વંદન ન કરવા જોઈએ ? જવાબ :- જો કોઈ પ્રધાન મંત્રી બની જાય તો પણ પોતાના માતા-પિતા, મોટા ભાઈ આદિને વંદન કરશે જ. એવી રીતે જે પહેલાં દીક્ષા લીધેલા હોય છે, તે સાધુઓમાં મોટા કહેવાય છે. એટલે તેને વંદન કરવામાં આવે છે.
પ્ર. ૧૮ :- પાંચ પદોના મુખ્ય ગુણ કેટલા કહેવાય છે ?
જવાબ :– અરિહંતના−૧૨, સિદ્ધના−૮, આચાર્યના—૩૬, ઉપાધ્યાયના–૨૫ અને સાધુના–૨૭.
પ્ર. ૧૯ :– માળામાં એકસો આઠ મણકા કેમ હોય છે ?
જવાબ ઃ પાંચ પદોના કુલ મળીને ૧૦૮ ગુણ થાય છે. એટલે માળાના મણકા ૧૦૮ હોય છે.
પ્ર. ૨૦ :- નવકાર મંત્ર ક્યારે ગણવા જોઈએ ?
જવાબ : સુતી વખતે, ઉઠતી વખતે, ઘરથી બહાર જતી વખતે, સંકટમાં અને જ્યારે ઇચ્છા થાય ત્યારે નવકાર મંત્ર ગણવા જોઈએ.
ગુરુવંદનનો પાઠ -
પ્ર. ૧ : વંદના કોને કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org