SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત જવાબ:- પૌષધનું વ્રત ૧૧મું છે. તેમાં ૧૦મા ને ૧૧મા એમ બે ભેદ કરવા આગમ સાપેક્ષ નથી. બધા પ્રકારના પૌષધ ૧૧મા વ્રતમાં જ સમજવા જોઈએ. કારણ કે પૌષધનું વ્રત એક જ છે, ૧૧મું જ છે. કોઈપણ વ્રત જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ રીતે ધારણ કરી શકાય છે. પરંતુ તેને તે વ્રતમાં જ ગણાશે, અન્ય વ્રતમાં નહીં. એવી રીતે ૧૮ પાપોના ત્યાગ રૂપ સંવર પ્રવૃત્તિના હીનાધિક થવા પર; આહાર ત્યાગ અથવા આહાર સેવન થવા પર પણ અથવા ૨૪ કલાકના ૨૦ અથવા ૧૬ કલાક થવા પર પણ તે સંવર પ્રવૃત્તિ(સાવધ ત્યાગ પ્રવૃત્તિ)ને ૧૧મા વ્રતથી ઉતારીને ૧૦મા વ્રતમાં નાખવું અથવા 10મું પૌષધ વ્રત નામ દેવું અથવા નામકરણ કરવું બરાબર નથી અને આગમ સંમત પણ નથી. વિશેષ વિચારણા માટે ભગવતી સૂત્રના શંખ પુષ્કલી શ્રાવકના પ્રકરણનો સારાંશ ખંડ-શ્રી ભગવતી સૂત્રમાં અધ્યયન કરવું જોઈએ. ત્યાં ભગવાનના પ્રમુખ શ્રાવકોનો આહાર યુક્ત પૌષધ ૧૧મા વ્રતમાં ગણવામાં આવ્યો છે. કારણ કે પાખીનો પ્રતિપૂર્ણ પૌષધ કરવાનો તે શ્રાવકોનો આજીવન નિયમ હતો. (૩૫) પ્રશ્ન – પૌષધમાં સામાયિક પણ લઈ શકાય છે? જવાબ :- પૌષધમાં સામાયિક લેવાનું વાસ્તવમાં કોઈ પ્રયોજન હોતું નથી. કારણ કે પૌષધનું જ સ્વતઃ અપ્રમત્ત ભાવથી આચરણ થાય છે. તેમાં રાત દિવસ આત્માને ધર્મ જાગરણમાં જોડી શકાય છે. પરંતુ પ્રવાહરૂપમાં સામાન્ય સાધકોને વ્યર્થ પ્રમાદ પ્રવૃત્તિથી બચાવવા માટે સામાયિકની પ્રેરણાની પ્રવૃતિ ચાલી છે. આ નિમિત્તથી સાધક સુવા માટે આળસ કે પ્રમાદ કરશે નહીં. - આ તો પૌષધના સ્વરૂપને ન સમજનાર અથવા ભૂલનાર સામાન્ય સાધકોને સામાયિકના મહત્ત્વ વડે પ્રમાદથી અટકાવવાનો એક ઉપાય છે. વાસ્તવમાં તો પૌષધનું મહત્ત્વ સામાયિકથી પણ અધિક અપ્રમત્તતાનું છે. એટલે જાણકાર સાધકોને પૌષધમાં સામાયિક લેવી અથવા ગણવી કોઈ જરૂરી નથી. છતાં પણ સામાન્ય પ્રવાહની સાથે બધાને ચાલવામાં એકરૂપતા રહે એટલે સામાયિક લ્ય અને ગણતરી કરવામાં આવે તો કોઈ નુકસાન સમજવું જોઈએ નહીં અને સામાયિક લેવી અથવા ન લેવાનો એકાંતિક આગ્રહ પણ ન કરવો જોઈએ. આ હાનિ લાભના વિચારથી સામાન્ય સાધકોની અપેક્ષાએ ચલાવવામાં આવેલી પ્રવૃત્તિ છે, એવું સમજી લેવું જોઈએ. પ્રશ્ન :- સામાયિકમાં ગયા કાળની સામાયિક મળવીને આગળની સામાયિક લઈ શકાય છે? જવાબ :- પૂર્વ સમાધાનના આશયની સમાન જ આ પ્રશ્નનું સમાધાન છે. સામાયિક વ્રત, ૯(નવ)મું વ્રત યથાવસર અધિકતમ સમય માટે પ્રતિદિન કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy