________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
શ્રાવક પ્રતિક્રમણના રેમિ ભંતે અનેરૂત્ઝામિ નમિના પાઠ પણ સંપાદિતસંશોધિત છે.
૨૩૦
(૨૭) પ્રશ્ન :– શ્રાવકના ૯૯ અતિચાર અને સાધુના ૧૨૫ અતિચારોનુ કથન સંકેત ક્યાં છે ?
જવાબ :– એવી સંખ્યાનો સંકેત કોઈપણ આગમમાં નથી. બીજી પણ એવી સંખ્યાઓની ગણતરી પરંપરામાં ચાલે છે, જેનો આગમોમાં કોઈ નિર્દેશ નથી, જેમ કે ર૧ પ્રકારના ધોવણ, પંચ પરમેષ્ટિના ૧૦૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ, જીવના ૫૩ ભેદ ઇત્યાદિ.
એ બધા અપેક્ષાથી સંકલિત કરીને બનાવવામાં આવે છે. જે કેટલાક તો આગમ સંમત હોય છે અને કેટલાક અસંગત પણ થઈ જાય છે. (૨૮) પ્રશ્ન :- સંલેખના તો જીવનના અંત સમયમા થાય છે. તેના અતિચારોની રોજના કાઉસ્સગ્ગમાં ચિંતનની શું આવશ્યકતા છે ? જવાબ :— આ તપના અતિચારોની અપેક્ષાએ સંકલિત પાઠ છે. એટલે એમાં સંલેખનાના સ્થાન પર તપના અતિચાર કહેવા જોઈએ અને સાથે જ તપ સ્વરૂપ પણ બોલવું જોઈએ. આ પુસ્તકમાં આ સંલેખના પાઠના સ્થાન પર ‘તપ સ્વરૂપ અને તેના અતિચાર' નામથી તે પાઠ આપવામાં આવ્યો છે.
(૨૯) પ્રશ્ન :- બાર અણુવ્રતોમાં કરણ—યોગ એક સમાન કેમ નથી ? જવાબ :- શ્રાવકના અણુવ્રત ત્રણ કરણ અને ત્રણ યોગના ૪૯ ભાંગામાંથી કોઈપણ ભંગથી લઈ શકાય છે; એવું ભગવતી સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક વ્રતમાં શ્રાવકની પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એટલે કરણ યોગ સમાન થઈ શકતા નથી. એટલે આ વ્રતો મધ્યમ દરજ્જાના સાધક શ્રાવકોની યોગ્યતાને લક્ષ્યમાં રાખીને સંપાદિત કરાયેલ છે. જે એક પ્રકારની સામૂહિક વ્યવસ્થાની દૃષ્ટિથી બરાબર પણ છે. જેટલા અનુકૂળ હોય તેટલા વધારે કરણ યોગ કરી શકાય છે, તેમાં આગમથી કોઈ વિરોધ નથી. એટલે આ પાઠોના સાચા આશયને વિવેક બુદ્ધિથી સમજી લેવા જોઈએ.
આ અણુવ્રતોના મૂળ પાઠોમાં આગાર, વ્રત સ્વરૂપ અને તેના અતિચારોની સંરચના ઘણી અનુભવ પૂર્ણ છે. આ સંરચનાથી યુક્ત આ વ્રતોને, ગરીબ-અમીર, યુવા યા વૃદ્ધ, સ્ત્રી-પુરુષ એવં રાજા-નોકર, શેઠ-મુનિમ, કોઈપણ ધારવા ઇચ્છે તો ધારી શકે છે.
પ્રથમના ત્રણ વ્રત અને ૮, ૯, ૧૧મું વ્રત બે કરણ ત્રણ યોગથી હોવાનું બરાબર અને પાલનમાં સંભવ છે. પરંતુ ૫, ૬, ૭, ૧૦ મું; આ ચાર વ્રતો એક કરણ ત્રણ યોગથી જ પાલન કરવા સુગમ છે. આ પ્રકારે બધા વ્રતોમાં કરણ યોગ સમજી લેવા. ૧૨મા વ્રતમાં કરણ યોગને બોલવાની આવશ્યકતા પણ નથી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org