SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત ઉપલબ્ધ છ આવશ્યકમાં તો ફક્ત ર૩ પાઠ છે અને બે આદિ, અંત મંગલ પાઠ માનવામાં આવ્યા છે. એમ કુલ ૨૫ પાઠથી શ્રમણ પ્રતિક્રમણ પૂર્ણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા આવશ્યક પછી પરિશિષ્ટ રૂપમાં શ્રાવક પ્રતિક્રમણ સંક્ષેપમાં વ્યાખ્યાકારે સ્વીકાર કર્યો છે. તેના આધારથી વિસ્તૃત રૂપમાં પૂર્ણ શ્રાવક પ્રતિક્રમણ પ્રચલિત છે. જેમાં કાલાંતરથી કેટલીય સ્તુતિઓ, ભજન, દોહા પ્રવેશી ગયા છે. (૨૪) પ્રશ્ન :– ખમાસમણાના પાઠથી ઉત્કૃષ્ટ વંદનની વિધિ કર્યા બતાવવામાં આવી છે ? ૨૩૬ જવાબ : સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાંથી એની વિધિ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના આધારે બે વાર ખમાસમણા, ૪ વાર માથું નમાવવું, ૧૨ આવર્તન કરવા, પ્રવેશ, નિષ્ક્રમણ, ઉક્કડું આસન આદિ કરવામાં આવે છે. એનું સ્પષ્ટીકરણ સમવાયાંગ ટીકા અને આવશ્યક સૂત્રની નિયુક્તિ ટીકામાં ઉપલબ્ધ છે. (૨૫) પ્રશ્ન :- કાઉસ્સગમાં બોલાતા ૯૯ અતિચાર આદિ પાઠોને બીજીવાર પ્રગટ કેમ બોલાય છે ? જવાબ :- કાઉસ્સગ્ગમાં મૌનપૂર્વક વ્રતોના અતિચાર–દોષોના ચિંતનથી આત્માનુ- પ્રેક્ષણ કરવામાં આવે છે અને પછી પ્રગટમાં બોલીને તેનું આલોચના પ્રતિક્રમણ મિથ્યા દુષ્કૃત આપવામાં આવે છે. પ્રશ્ન :- બે વાર બોલવું ઠીક છે તો ત્રણ વાર અતિચારોને કેમ બોલાય ? જવાબ :– ઉત્તરાધ્યયન સૂત્રના આધાર થી જ પ્રતિક્રમણની વિધિ સ્પષ્ટ થાય છે. તદનુસાર બે વાર બોલવાનું જ સ્પષ્ટ થાય છે. અર્થાત્ કાઉસ્સગ્ગમાં ચિંતન કરીને પછી પ્રગટમાં વ્રત અતિચારોનું પ્રતિક્રમણ સંલગ્ન કરી લેવું જોઈએ અને પછી પ્રાયશ્ચિત્ત શુદ્ધિને માટે પુનઃ કાઉસ્સગ્ગ કરી લેવો જોઈએ. વિશેષ જાણકારી માટે ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ જોવું જોઈએ. (૨) પ્રશ્ન :- સંકલિત, સંપાદિત પાઠ કેટલા અને કયા છે ? જવાબ :- એમ તો શ્રાવક પ્રતિક્રમણ સંપૂર્ણ જ સંકલિત સંપાદિત છે અને શ્રમણ પ્રતિક્રમણમાં કેટલાક પાઠ સંકલિત સંપાદિત બોલાય છે. આ પાઠોની સ્પષ્ટ જાણકારી માટે આ પુસ્તકના પરિશિષ્ટોનું ધ્યાન પૂર્વક અધ્યયન કરવું જોઈએ. ત્યાં અન્ય આગમોથી સંકલિત પાઠ તથા આગમ સિવાય સંકલિત, સંપાદિત, પાઠોનો એક સાથે સંગ્રહ આપવામાં આવ્યો છે. સામાન્ય રૂપથી એ સમજી શકાય છે કે જેટલા પણ પાઠ હિન્દી, ગુજરાતી ભાષામાં અથવા મિશ્ર ભાષામાં છે તે બધા નવા સંપાદિત છે અને ૨૫ મિથ્યાત્વ, ૧૪ સંમૂર્છિમ, મહાવ્રત, સમિતિ ગુપ્તિ, અણુવ્રત, સંલેખના, પાંચ પદની વંદના, આરિય વજ્ઞાનો પાઠ, તલ્સ સવ્વસ્ત્ર આદિ પાઠ સંગ્રહિત સંપાદિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy