SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પ્રશ્ન :- આ દોષ લગાડનારા અનેક સો કરોડ સાધુ પાંચમા પદમાં રહે છે. તેને વંદન કરાય છે? જવાબ :- આ અનેક સો કરોડની સંખ્યા પાંચમા સાધુ પદમાં ગણવામાં આવેલાની બતાવવામાં આવી છે. કારણ કે જે શ્રમણ પરિસ્થિતિથી દોષ સેવન કરીને પણ અંતઃકરણમાં તેનો ખેદ રાખે છે, જેને પોતાના દોષ સમજાય છે અને યથા અવસર તે દોષ પ્રવૃત્તિને છોડીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે એટલે તે પાંચમા પદમાં હોય છે અને વંદનીય પણ હોય છે. એ પોતાના દોષની પુષ્ટી કે પ્રરૂપણા કરતા નથી. પરંતુ પોતાની કાયરતા સમજે છે અને તે નબળાઈ સિવાય તપ, સંયમ અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે. તેઓ શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે, શુદ્ધ સંયમ પાલન કરનારા સાધુઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ રાખે છે. તેના સિવાય જે શ્રમણો સંયમ, નિયમ અને ભગવંત આજ્ઞાના પ્રતિ બેદરકારી રાખનારા અથવા અશુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા કરનારા હોય છે, તે આ સંખ્યામાં સમાવેલા નથી. એટલે તેઓ પાંચમા પદમાં પણ સમાવેલા નથી, માટે તેઓ ભાવ વંદનીય પણ હોતા નથી. દ્રવ્યલિંગ અને સમાજથી ગ્રહાયેલા હોવાથી તેઓ માત્ર વ્યવહારથી વંદનીય છે. એક ગચ્છમાં પણ અનેક જાતના સાધક હોય છે. તેમાં પણ કેટલાય ભાવ વંદનીય હોતા નથી. તો પણ તેઓ ગચ્છમાં હોય, સાધુના વ્યવહારમાં બંધાયેલા હોય, ત્યાં સુધી વ્યવહાર વંદનીય રહે છે. (૭) પ્રશ્ન :- નવકાર મંત્ર ક્યારે ગણવા જોઈએ ? જવાબ :- સતાં સમયે, ઉઠતાં સમયે, ઘરથી બહાર જતા સમયે, અથવા કષ્ટ આપત્તિના સમયે અથવા મૃત્યુ સમયમાં નવકાર મંત્ર અવશ્ય ગણવા(બોલવા) જોઈએ. પ્રશ્ન – નવકાર મંત્ર ક્યારે ક્યાં ન ગણવા જોઈએ? જવાબ:- નવકાર મંત્રને માટે કોઈ સ્થાન અથવા કોઈ સમયનું બંધન નથી. જ્યારે જ્યાં સમય હોય, ઇચ્છા થાય, આવશ્યક લાગે ત્યાં તેનું ઉચ્ચારણ કરી શકાય છે. શૌચ ગૃહમાં પણ જો કષ્ટ, સંકટ અથવા મૃત્યુ સમય નજીક લાગે તો ત્યાં પણ નવકાર મંત્રનું સ્મરણ કરી શકાય છે. (૮) પ્રશ્ન – પાંચે પદમાં કુલ કેટલા ગુણ છે? જવાબ :- પાંચ પદમાં એક પદ સિદ્ધ ભગવાનનું છે અને ચાર પદ સાધુ અવસ્થાના છે. એટલા માટે આ બે પદોની અપેક્ષાએ શાસ્ત્રમાં સિદ્ધોના મુખ્ય ૩૧ ગુણ કહ્યાં છે અને સાધુનાં મુખ્ય ૨૭ ગુણ કહ્યાં છે. શેષ ત્રણ પદની ગુણ સંખ્યા શાસ્ત્રમાં કહી નથી. પરંતુ આચાર્યોએ બીજી અપેક્ષાએ અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ર૭. આ રીતે કુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy