________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતા
પ્રશ્ન :- સાધુજીમાં કેટલા ગુણ હોય છે? જવાબ :- સાધુજીમાં હજારો ગુણ હોય છે. જેને ૧૮ હજાર ગુણ કહે છે તથા મુખ્ય ૨૭ ગુણ કહ્યા છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય એ પણ સાધુ જ હોય છે. એટલે એને પણ એ ૨૭ ગુણ તો હોય જ છે તથા અન્ય અનેક વિશેષ ગુણ સંપન્ન હોવાથી તે આચાર્ય, ઉપાધ્યાય અને અરિહંત પદમાં કહેવાય છે. પ્રશ્ન :- ૨૭ (સત્તાવીસ) ગુણ ક્યા છે? જવાબ:- પાંચ મહાવ્રત પાલન કરે, પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે, ચાર કષાયો કરે નહીં, ભાવસત્ય, કરણસત્ય, યોગસત્ય, ક્ષમાવત, વૈરાગ્યવંત, પવિત્ર મન, મધુર વચન, કાયાની સમ્યક પ્રવૃત્તિ, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, વેદનામાં સહનશીલ અને મરણ સંકટને સહન કરનારા. પ્રશ્ન :– અરિહંતમાં વિશેષ ગુણ કયા હોય છે? જવાબ :- ૩૪ અતિશય, ૩પ વાણીના ગુણ, ૮ મહાપ્રતિહાર્ય તથા તેઓ શરીરના ૧૦૦૮ લક્ષણોથી સંપન્ન હોય છે. પ્રશ્ન – આચાર્યના વિશિષ્ટ ગુણ કયા હોય છે? જવાબ :- આચાર્યની આઠ પ્રકારની સંપદા હોય છે. ૧. આચાર સંપદા ૨. જ્ઞાન સંપદા ૩. શરીર સંપદા ૪. વચન સંપદા ૫. વાચના સંપદા ૬. મતિ સંપદા ૭. તર્ક શક્તિની સંપદા ૮. સંગ્રહ પરિજ્ઞા સંપદા. આચાર્ય શરીરથી સુંદર સુડોળ, જાતિ સંપન્ન, બુદ્ધિમાન, વિચક્ષણ, આગમોના જ્ઞાતા, બહુશ્રુત, સંયમ નિષ્ઠ અને પ્રભાવશાળી ઐશ્વર્ય સંપન્ન હોય છે. પ્રશ્ન:- ઉપાધ્યાયના વિશેષ ગુણ કયાં હોય છે? જવાબ :- શિષ્યોને ભણાવવામાં, સૂત્ર કંઠસ્થ કરાવવામાં કુશળ હોય છે. સ્વયં શાસ્ત્ર જ્ઞાનમાં બહુશ્રુત હોય છે, ભણવા ભણાવવાની તીવ્ર સચિવાળા હોય છે તથા આચાર્યના અનેક ગુણોથી પણ સંપન્ન હોય છે. બીજા સમૂહમાંથી ભણવા માટે આવનારા સાધુઓને અધ્યયન કરાવે છે. આચાર્ય તો સકલ ગણના નાયક, સકલ શિરોમણી હોય જ છે. તેના પછી સંઘમાં બીજું પૂજ્ય પદ ઉપાધ્યાયનું હોય છે. પ્રશ્ન :– અરિહંત ક્યારે, ક્યાં અને કેટલા હોય છે? જવાબ:- અરિહંત મનુષ્ય ક્ષેત્રમાં (પંદર કર્મભૂમિ ક્ષેત્રમાં) હોય છે. ભરત, ઐરવત ક્ષેત્રમાં ત્રીજા ચોથા આરામાં હોય છે, મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત હોય છે. ભરત ક્ષેત્રમાં એક સમયમાં એક હોય છે અને ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં ત્રીજા ચોથા આરામાં કુલ મળીને ૨૪-૨૪ થાય છે. પાંચ મહાવિદેહમાં ૧૬O વિજય છે. તે પ્રત્યેકમાં એકેક હોઈ શકે છે. એટલે ઉત્કૃષ્ટ ૧૬૦ (તીર્થકર) ત્યાં હોઈ શકે છે તથા ઓછામાં ઓછા ૨૦ તીર્થકર તો સદા રહે છે. એથી ઓછી સંખ્યા ક્યારે ય હોતી નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org