________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીતા
બધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની ક્ષમાયાચના કરી એવંક્ષમાભાવ પ્રદાન કરીને. પછી બધા નાના મોટા જીવોની ક્ષમાયાચના એવં ક્ષમાભાવ પ્રદાન કરું છું. અથવા કોઈપણ પ્રાણીના પ્રતિ વૈર વિરોધભાવ રાખતો નથી.
પૂર્વે લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોમાં કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તેને યાદ કરી, આલોચના, પ્રતિક્રમણ કરીને, તેને ત્યાજ્ય સમજી હવે હું પૂર્ણ શલ્ય રહિત થાઉં છું.
પહેલાં મેં અંશતઃ હિંસા, આદિ ૧૮ પાપોનો ત્યાગ કર્યો હતો, હવે હું આપની સાક્ષી (શાસનપતિની સાક્ષી)એ સંપૂર્ણ ૧૮ પાપોનો ત્યાગ ત્રણ કરણ ત્રણ યોગથી જીવન પર્યંતને માટે કરું છું.
અસન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારના આહારોનો(અથવા ત્રણ આહારોનો) પણ જીવન પર્યંતને માટે ત્યાગ કરું છું.
- ધન, કુટુંબ, પરિવાર, સગા, સંબંધી, મિત્ર, સાથી જેને માટે “આ મારા છે આ મારા છે, એવું માન્યું છે, તેનો પણ હું ત્યાગ કરૂં છું. કારણ કે હું તો એકલો છું અને એકલો જ મૃત્યુને પ્રાપ્ત કરનારો છું.
જે આ મારું શરીર છે તેના પ્રતિ મેં જીવનભર બહુ જ મોહ રાખ્યો છે. એની ઘણી જ સાર સંભાળ કરી છે. આ શરીરની સુખ સુવિધાને માટે જ રાતદિવસ પ્રયત્નશીલ રહ્યો છું. આ શરીરનો પણ હવે હું ત્યાગ કરું છું. એને વોસિરાવું છું. કારણ કે આ ઔદારિક શરીર પણ અહીં રહીને બળીને ભસ્મ થવાવાળું છે.
આ પ્રકારે હું પૂર્ણ રૂપથી આજીવન અનશન-ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરું છું અને પંચ પરમેષ્ટી મહામંત્રને જ શરણભૂત માની, તેનું જ સ્મરણ કરું છું અને તેનું જ ચિંતન, મનન, અર્થ, પરમાર્થ અવગાહનામાં હું મારા આત્માને લીન બનાવું છું. ૧૪ સંમૂર્છાિમનો પાઠ -
મનુષ્ય સંબંધી આ ચૌદ અશુચિ સ્થાન છે. જેમાં ઉત્કૃષ્ટ બે મિનિટની ઉંમરવાળા અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્ય જન્મતા મરતાં રહે છે. જેમ કે ૧. મળમાં ૨. મૂત્રમાં ૩. કફમાં ૪. પ્લેખમાં ૫. વમનમાં છે. પિત્તમાં ૭. લોહીમાં ૮. રસીમાં ૯. શુક્ર(વીય)માં ૧૦. ફરી ભીના થયેલા વીર્યમાં ૧૧. મૃત શરીરમાં ૧૨. સ્ત્રી પુરુષના સંયોગમાં અર્થાત્ કુશીલ સેવનમાં ૧૩. ગટરોમાં ૧૪. બીજા પણ ઉકરડા આદિ અશુચિ સંકલનના દુર્ગધયુક્ત સ્થાનોમાં.
આ જીવોની જાયે અજાણ્યે આદત કે પ્રમાદવશ વિરાધના થઈ હોય તો તેનો હું પશ્ચાત્તાપ કરું છું અને એવી પ્રમાદ પ્રવૃત્તિથી એક દિવસ નિવૃત્ત થાઉં એવી મનોકામના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org