________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
જિજ્ઞેશ ઃ- નંદીસૂત્ર તથા કલ્પસૂત્રમાં તો ઘણા વખત પહેલાથી જ હતી ને ? જ્ઞાનચંદ :- કલ્પસૂત્રનું આ પ્રારંભિક રૂપ, આ જ બારમી-તેરમી વિક્રમ શતાબ્દીમાં તૈયાર કરાયેલું છે. માટે તેમાં ઉપલબ્ધ પટ્ટાવલીઓ પણ એ જ યુગનું સંકલન છે, તે સ્પષ્ટ જણાય છે. આ સંબંધી ચર્ચાની માહિતી માટે છેદ શાસ્ત્ર સારાંશ ખંડ–૪ જુઓ. નંદી સૂત્રમાં પટ્ટાવલીઓ નથી, ફક્ત પ્રસિદ્ધ કે સ્મૃતિ પ્રાપ્ત અનુયોગધર બહુશ્રુતોનું ગુણ-કીર્તન છે. આ વિષયની વિસ્તૃત ચર્ચા આ જ પુસ્તકના આગળના પરિશિષ્ટ ખંડ–રના વિષય નંબર–૨૨માં જુઓ.
અન્ય ગ્રંથ વાર્તા
જિજ્ઞેશ :– અન્ય જૈન સાહિત્ય તથા ગ્રંથોની રચના ક્યારે થઈ ? જ્ઞાનચંદ – નિર્યુક્તિ રચના પછી, ભાષ્ય રચનાકાળમાં શરૂ થઈને આજ સુધી અનેક ગ્રંથ તથા સાહિત્યની રચનાઓ થઈ છે અને થઈ રહી છે.
:
૧૯
જિજ્ઞેશ ઃ- તીર્થંકરોના સમયમાં કે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પર્યન્ત શુ કોઈ પણ શ્રમણ કશું લખતા ન હતા ?
જ્ઞાનચંદ :- વ્યક્તિગત અપેક્ષાએ કોઈપણ શ્રમણ પોતાની પાસે નોંધના રૂપમાં ગમે તે લખી શકતા હતા. તેમાં તે પોતાના માટે અથવા શિષ્યો માટે આવશ્યકતાનુસાર કોઈપણ વિષય તત્ત્વ કે ચિંતનનું સંકલન કરી શકતા હતા. એટલા માટે જ નંદી સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જેટલા શ્રમણ થયાં તેટલાં જ પ્રકીર્ણક સૂત્રો પણ સંભવી શકે છે. તેમ છતાં આજના સમયે લેખનકાર્યની જેટલી આવશ્યકતા જણાય છે તેટલી તે કાળે જણાતી નહોતી. વેપારી વર્ગ પણ આજની અપેક્ષાએ પ્રાચીન સમયમાં કે આજથી ૫૦-૧૦૦ વર્ષે પહેલાં પણ લેખનકાર્ય ઓછું કરતો હતો. આગમોનું વ્યવસ્થિત ક્રમબદ્ધ લેખન તો એક સાથે દેવર્કિંગણિના સમયે જ થયું.
કથા ગ્રંથ વાર્તા
જિજ્ઞેશ ઃ- કથા ગ્રંથ ક્યારે બન્યા ?
જ્ઞાનચંદ :- સૂત્રો અને વ્યાખ્યાઓમાં પણ અનેક કથાઓ છવાયેલી છે. એ સિવાય સ્વતંત્ર કથા ગ્રંથ ‘પ્રબંધ’ના નામે આગમ લેખન પછી ગ્રંથ રચનાઓની સાથે જ લખાવા લાગ્યા.
જિજ્ઞેશ :— આ કથા ગ્રંથ કે બીજા ગ્રંથ અને વ્યાખ્યા ગ્રંથ આગમની જેમ જ માન્ય કરવા જોઈએ ?
જ્ઞાનચંદ :- આગમોનું સ્થાન સર્વોચ્ચ છે એ સ્વતઃ પ્રમાણિત છે. જેનાં નામ નંદીસૂત્રમાં છે. તે સિવાયની રચનાઓ પરતઃ(આગમ કસોટીથી) પ્રમાણિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org