________________
૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીતા
જિશ :- આજકાલ આગમોની સંખ્યા ૩ર કે ૪૫ માનવામાં આવે છે જે નદી સૂત્રની આ સંખ્યાથી ભિન્ન છે, એવું કેમ? જ્ઞાનચંદ – ભિન્ન-ભિન્ન સમયે અપેક્ષા વિશેષથી ૪૫ કે ઉર આગમની માન્યતા પ્રચલિત થઈ છે. વાસ્તવમાં બંને માન્યતાઓ કસોટીએ ખરી નથી ઉતરતી એટલે બંને જ અશુદ્ધ માન્યતાઓ છે. આ વિષય પર અન્ય ચર્ચા, પ્રમાણ સહિત, જાણકારી માટે આગમ સારાંશના ખંડ-૪, છેદ શાસ્ત્રનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ.
વ્યાખ્યા ગ્રંથ વાર્તા જિગ્નેશ - આ સૂત્રો પર વ્યાખ્યાઓ ક્યારે બની અને તે ક્યારે લખવામાં આવી? જ્ઞાનચંદઃ- સૂત્રોના અર્થ, પરમાર્થ અને વ્યાખ્યાઓ પણ પરંપરાથી મૌખિકરૂપે તો તે સુત્રોની સાથે જ શરૂઆતથી જ ચાલતાં આવ્યાં છે. આગમોનું જ્યારે વ્યવસ્થિત લખાણ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના સમયમાં થઈ ગયું, ત્યારબાદ ટૂંક સમયમાં જ વ્યાખ્યાઓની લેખિત રચનાઓ પુસ્તકરૂપે કરવામાં આવી. અર્થાત્ વીર નિર્વાણ દસમી શતાબ્દીના અંતમાં આગમો લિપિબદ્ધ થયા અને વીર નિર્વાણ અગ્યારમી શતાબ્દીના પૂર્વાર્ધમાં દ્વિતીય ભદ્રબાહુ દ્વારા કેટલાંક સૂત્રોની નિયુક્તિ નામની વ્યાખ્યાઓ લેખિત રૂપમાં રચાઈને પુસ્તકારૂઢ કરવામાં આવી. ત્યારપછી ક્રમશઃ કેટલાંક સૂત્રોના ભાષ્ય લેખિત બન્યાં. તે પછી ચૂર્ણિઓ આદિ વ્યાખ્યાઓ પણ લેખિત રૂપમાં તૈયાર થઈ અર્થાત્ બધા સૂત્રોની વ્યાખ્યાઓ એક સાથે ન રચાતાં, જુદા-જુદા આચાર્યો અથવા બહુશ્રુતો દ્વારા જુદા-જુદા સમયે રચવામાં આવી; તે વિક્રમની બારમી-તેરમી શતાબ્દિ અને વીર નિર્વાણની સોળમી સત્તરમી શતાબ્દિમાં મલયગિરિ આચાર્યના સમયમાં પૂર્ણ થઈ. પરંતુ ત્યાં સુધીમાં ૭ર આગમોમાંથી કેટલાય આગમો અનુપલબ્ધ થઈ ગયા! અને આમ કેટલાક સૂત્ર પર એક, તો કેટલાક સૂત્રો પર અનેક આચાર્યોની વ્યાખ્યાઓ લખાઈને ઉપલબ્ધ થવા લાગી.
' પાવલી ગ્રંથ વાર્તા | જિજ્ઞેશ :- ઈતિહાસ અને પાવલિઓ ક્યારે બન્યા? જ્ઞાનચંદ – ઉક્ત આગમોમાં તથા વ્યાખ્યાઓમાં વિખરાયેલા ઇતિહાસની સામગ્રી અહીં-તહીં જોવા મળે છે અર્થાત તેમાં જે કોઈ ઘટના કે ચારિત્ર વગેરે દર્શાવ્યા છે, તેમાંથી જ ઘણાં ઇતિહાસના તત્ત્વો જાણવા મળે છે. તેમ છતાં ઐતિહાસિક સ્વતંત્ર ગ્રંથ તથા પટ્ટાવલિઓ બારમી-તેરમી શતાબ્દિમાં તથા ત્યારપછીના સમયમાં લેખિત રૂપમાં રચાવા લાગી.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only