SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત મૂળ પાઠમાં કેમ સ્વીકારે છે? (૨૮) ઠાણાંગ સૂત્રમાં અનેક જગ્યાએ દેવોના ચૈત્યવૃક્ષ એમ કહ્યું છે– ઠાણાંગ સૂત્ર ઠાણા ૪, ઉદ્દેશક ત્રીજો, સૂત્ર-૪૪૮. ચોવીસ તીર્થકરોના અશોકવૃક્ષ સિવાયના પણ ચૈત્યવૃક્ષ કહ્યાં છે. તો દેવો અને દેવાધિદેવોના ચેત્યવૃક્ષના વૃક્ષમાં “ચત્ય” કેમ લખ્યું છે? તેનો શબ્દાર્થ અને તાત્પર્યાર્થ ઉદ્ધરણ પ્રમાણ ટીકા ગ્રંથ વગેરે સહિત સ્પષ્ટ કરવો ઘટે. (ર૯) નંદી અને ઠાણાંગ સૂત્રમાં દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્રનું નામ મળે છે અને તે સૂત્ર પ્રકાશિત ઉપલબ્ધ પણ છે, તો તેને આગમ કેમ નથી માનવામાં આવતું? (૩૦) સ્થાનકવાસી તેરાપંથી આદિ વિભિન્ન સમુદાયોમાં જે રીતે ૩ર સૂત્રની માન્યતાવાળા બત્રીસ-બત્રીસ સૂત્રો તથા તેના નામો બાબત કોઈ વિકલ્પ નથી બધે તે ૩ર જ સર્વ માન્ય છે, તો દેરાવાસીમાં એવી એકરૂપતા કેમ નથી? અને ૪૫ માનવામાં પણ અહીં-તહીં વિભિન્નવિકલ્પો કેમ આપવામાં આવે છે, અર્થાત્ પંચકલ્પ, જીતકલ્પ, પાક્ષિક સૂત્ર, ઓઘનિર્યુક્તિ, પિંડ નિયુક્તિ વિગેરે માટે ગણના ભેદ છે, એટલે કે ક્યાંક ૪૬ તો ક્યાંક ૪૭ નામ પણ લખે છે અને સંખ્યા ૪૫ જ ગણાવે છે, તો આવું કેમ? (૩૧) (૧) દસ પ્રકીર્ણકની સિવાયના પ્રકીર્ણક ન માનવામાં કયું કારણ છે? (૨) અને દસને માનવા પાછળનો કયો હેતુ છે કે, નંદી સૂત્રમાં જે નથી, તેને દસમાં ગણિ રાખ્યાં છે? (૩) પ્રકીર્ણકોના રચયિતાના નામ જ જ્ઞાત નથી તો તેને આગમમાં માનવાનો શો અધિકાર છે? તેનો સમય પણ જ્ઞાત છે? (૩ર) હરિભદ્ર સૂરિ તો ઘણાં મોટા પ્રકાંડ વિદ્વાન જ્ઞાની પ્રભાવક સંત શિરોમણિ યુગ પ્રધાન આચાર્ય થઈ ગયાં છે, તેમના લખેલા ગ્રંથ-સાહિત્ય અનેક છે તેને આગમ ન માનવામાં કયો હેતુ છે? (૩૩) ધ્યાન શતકને આગમ કેમ નથી માનતા? જે હરિભદ્ર સૂરિથી પણ પૂર્વેના આચાર્ય જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનું રચેલું છે? (३४) सुत्तं गणहर रइयं, तह पत्तेय बुद्ध रइयं च । सुयकेवलिणा रइयं, अभिन्न दस पुव्विणा रइयं । १५६ । અર્થ– ગણધર, પ્રત્યેક બુદ્ધ, ૧૪ પૂર્વીથી ૧૦પૂર્વી સુધીના જ્ઞાની ગીતાર્થ શ્રમણો દ્વારા કરવામાં આવેલી રચનાને આગમ કહી શકાય. આ બૃહત્સંગ્રહણીની ગાથા છે, આ અનુસાર આપની આગમ માનવાની માન્યતા છે કે નહીં? જો આ ગાથા અને તે મુજબના ગ્રંથો માન્ય હોય તો ૪૫ આગમ કઈ રીતે સિદ્ધ થાય? અને જો આ ગાથા માન્ય ન હોય તો કોઈ વિદ્વાન આચાર્યની રચનાને આગમ માનો અને કોઈ પ્રામાણિક પુરુષની રચનાને આગમ ન માનો તો તેમાં શું કારણ હોઈ શકે? આમાં શો ભેદ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy