________________
અનુભવ અર્ક: ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૯૯
(૩૫) શું મંદિર બંધાવવાનો ઉપદેશ વ્રતધારી સાધુ આપી શકે કે સચેત ફૂલપાણી અને અગ્નિ વડે પૂજા કરવાનું જૈન સાધુ કહે ખરા? શું વર્તમાનના મંદિર માર્ગી સાધુઓ આ ક્રિયાઓની પ્રેરણા કરે છે કે તેમના પૂર્વાચાર્યોએ જ આવી પ્રેરણા કરી હતી? અને આવી પ્રેરણા કરનારાનું પહેલું મહાવ્રત દૂષિત થાય તેમ માની શકાય ? (૩૬) શું દેવલોકની શાશ્વત પ્રતિમામાં આ અવસર્પિણીના પ્રથમ અને અંતિમ તીર્થકરના નામ આવે તે ઉચિત છે? કે પછી મંદિરમાર્ગીઓએ કરેલ સૂત્રમાં પ્રક્ષિપ્ત પાઠનો આ પ્રભાવ છે? (૩૭)મુહપતિ મુખવસ્ત્રિકા કે મુહપત્તિ નામ કહેવા (હોવા) છતાં તેને હાથમાં રૂમાલની જેમ રાખવી ઉચિત છે? (૩૮) બોલતી વખતે મુખવસ્ત્રિકાને હાથમાં ન રાખે કે મુખ પાસે હાથ લઈ જવાનો પ્રયત્ન પણ ન કરે, તેવા સાધુ પોતાને જિનાજ્ઞાને પાળનારા ગણાવી શકે ખરા? (૩૯) શું કોઈ સ્વચ્છેદમતિ સાધુ પોતાનું પુસ્તક બનાવીને, તે સ્થાનકવાસીના નામે છપાવે, પોતાનું નામ ખાનગી રાખી, ખોટાં નામો છપાવી, પ્રચાર કરાવે, પ્રસિદ્ધ કરાવે, તેવા કુમાર્ગી સાધુને જૈન સાધુ માની શકાય? (૪૦) વરાહસંહિતા બનાવનારા વરાહમિહિર નિર્યુક્તિ કર્તા ભદ્રબાહુ સ્વામીના સગા નાના ભાઈ હતા? (૪૧) વરાહ સંહિતા અને પંચસિદ્ધાંતિકા ગ્રંથની રચનાનો સમય તેના અંતમાં જાણવા મળે છે કે નહીં? જો જણાય તો બતાવો. (૪૨) કયા બાર વ્રતધારી શ્રાવકે મૂર્તિપૂજા કરી હતી, તે શાસ્ત્રમાં ૪૫ આગમ કે ૭ર આગમમાંથી જણાવો. નોંધ :- ઉપરોક્ત પ્રશ્નોના જવાબ સરળતા યુક્ત પત્ર સંપર્ક સૂત્રના સ્થાને લખી શકો છો. જો કોઈ ફરી પ્રશ્ન પૂછવો હોય તો પહેલાં ઉપરના બધા પ્રશ્નોના જવાબ લખી જણાવે, તો જ તે પ્રશ્ન કરવાને યોગ્ય ગણાશે.
સામાન્ય પાઠકોએ આ બધા પ્રશ્નોના સમાધાન સારાંશ-પુસ્તકોમાંથી મેળવી લેવા. દેરાવાસીઓની અપેક્ષા અને તેઓની જ્ઞાન શક્તિ કે ભક્તિ જાણવા આ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. માટે તેઓ વિવેક બુદ્ધિથી સમાધાન કરે. જ્ઞાતવ્ય :- ઉપરોક્ત અનેક પ્રશ્ન કેટલાંક મૂર્તિપૂજક વિદ્વાન સંતોને મૌખિક પૂછેલાં છે. સંતોષકારક ઉત્તર ન મળવાથી અત્રે એ બધાં સંકલિત કરેલા છે.
Eા ઐતિહાસિક નિબંધઃ પરિશિષ્ટ ખંડ-ર સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org