SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કે આ અઘ્યયનો ભગવાન મહાવીરની અંતિમ દેશનામાં ફરમાવેલાં છે. ઉત્તરાધ્યયન સૂત્ર શબ્દશઃ ભગવાન મહાવીરની અંતિમ દેશના જ છે એવું ભારપૂર્વક તો ન કહી શકાય, કેમ કે કલ્પસૂત્રમાં ઉત્તરાધ્યયનના અધ્યયનોને અસ્પૃષ્ટ-વ્યાકરણ અર્થાત્ કોઈને પૂછ્યા વિના જ સ્વતઃ કથન કરેલ શાસ્ત્ર ગણાવ્યું છે. પરંતુ વર્તમાનના ઉત્તરાધ્યયનમાં જણાવેલ કેશીગૌતમીય, સમ્યક્-પરાક્રમ અધ્યયન જે પ્રશ્નોત્તર શૈલીમાં છે તે તત્ત્વચિંતકોને ચોક્કસ ચિંતન કરવા પ્રેરે તેવા છે. કેશીગૌતમના ત્રેવીસમા અધ્યયનમાં ભગવાન મહાવીરનો જે ભક્તિ અને શ્રદ્ધા સાથે ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સ્વયં ભગવાન પોતા માટે કરે એવું તો કેમ બને ? એટલે એમ જણાય છે કે ઉત્તરાધ્યયનમાં કેટલાક અંશો સ્થવિરોએ પોતાના તરફથી સંકલિત કર્યા છે અને એ પ્રાચીન તથા અર્વાચીન અઘ્યયનોને એક સહસ્ત્રાબ્દી પશ્ચાત દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે સંકલિત કરી તેને વ્યવસ્થિત રૂપે રજૂ કરેલ છે.– ઉપા॰ દેવેન્દ્રમુનિકૃત - જૈનાગમ સાહિત્ય મનન અને મીમાંસા. ૧૯૪ ટિપ્પણ :– આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિનું એ અનુમાન પણ ઉત્તરાધ્યયન સૂત્રની રચનાનો સમય વીર નિર્વાણ દસમી શતાબ્દીનો બતાવે છે, જે પ્રશ્ન વ્યાકરણ સૂત્રના મહાવીર માસિયાડું, આયરિય માસિયાનું વગેરે અઘ્યયનોથી સંકલિત કરીને બનાવેલ છે, તે કથનનું સમર્થક છે. જેથી એટલું તો સિદ્ધ થઈ જાય છે કે પ્રશ્નવ્યાકરણ સૂત્રના અધ્યયનોના સંકલન વડે આ અઘ્યયન ગણધર સુધર્મા રચિત છે અને એટલે જ આ સૂત્રને કાલિક સૂત્રમાં ગણાવ્યું છે અને મહાવીર ભાષિત અધ્યયનોની પ્રમુખતાની અપેક્ષાએ ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશનાના નામથી પ્રચારિત થઈ ગયું છે કે ક્યારેય પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક પ્રશ્નોઃ દેરાવાસી વિદ્વાનોથી ઊ (૧) પખ્તોસવળા ૫ સૂત્ર નામના આ સૂત્રનું અલગ અસ્તિત્ત્વ ક્યારથી થયું ? (૨) શું કોઈ આગમમાં કે નિર્યુક્તિમાં, ભાષ્યમાં, ચૂર્ણિમાં, ટીકામાં તેનું સ્વતંત્ર રૂપે અસ્તિત્ત્વ હોવાનું જણાવ્યું છે ? (૩) નંદીસૂત્ર રચનાકારે શ્રુતજ્ઞાનમાં આ સ્વતંત્ર સૂત્રને કોઈ નામથી નિર્દેશ્યુંછે ખરું ? (૪) નિર્યુક્તિઓમાં નંદીસૂત્રનો નિર્દેશ મળે છે. તો શું નંદી સૂત્રની રચના પછી નિર્યુક્તિઓ બની ? (૫) ઉપલબ્ધ સ્વતંત્ર અસ્તિત્વવાળા પર્યુષણા કલ્પસૂત્રના આદિ પાઠરૂપ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy